કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોવિડ -19 રસીકરણ બાદ કોઈ સાઈડ ઇકેકટ કે ખરાબ ઘટના નોંધાય તો પગલાં લેવા નિર્દેશ આપ્યો છે, આ મામલે AEFI ની સિસ્ટમની મદદ લેવાનું પણ સૂચન કર્યું છે. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખીને જણાવાયું છે કે કોરોના ના રસીકરણ બાદ કોઈ સાઈડ ઇફેક્ટ વાળી કે અન્ય ગંભીર ઘટના નોંધાય તો AEFI સિસ્ટમ મજબૂત કરી તેની મદદથી પગલાં ભરવા, આ પ્રકારની સૂચના કેન્દ્ર સરકાર દ્વારા અપાઈ છે.
"કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કોવિડ -19 રસીકરણ માટે સમયસર અને સંપૂર્ણ AEFI રિપોર્ટિંગ સુનિશ્ચિત કરવા ભારતની હાલની એએફઆઈ સર્વેલન્સ સિસ્ટમને વધુ મજબૂત કરવાના વિકલ્પો ચકાસ્યા છે." બની શકે છે કે આ સિસ્ટમને રસી આપતા પહેલા જ મજબૂત કરવામાં આવે જેથી રસીકરણ પછીના પરિણામો ઉપર નજર રાખી શકાય અને તાત્કાલિક પગલાં ભરી શકાય.
શું છે AEFI સિસ્ટમ ?
National AEFI surveillance સિસ્ટમને vaccine safety surveillance સિસ્ટમ પણ કહેવામાં આવે છે, આ મુખ્યત્વે રસીકરણની પ્રક્રિયા, તેના ચરણ અને રસીકરણ ચાલતું હોય તે દરમિયાન અને તેના પૂરું થઈ ગયા પછીના પરિણામો ઉપર નજર રાખતી સિસ્ટમ છે, તેનાથી વ્યાપક રૂપે સલામતીના ધારાધોરણ નક્કી કરવામાં આવે છે અને તેનું પાલન કરવામાં આવે છે.
આ સિસ્ટમ એક સર્વેલન્સ સિસ્ટમ છે જેનાથી દેશમાં ગમે ત્યાં રસીકરણ પ્રોગ્રામ દરમિયાન કે પછી કોઈ સાઈડઇફેક્ટ કે ગંભીર સમસ્યા ઊભી થાય છે ત્યારે તેને શોધીને તેને રોકવા માટે આ સિસ્ટમ ઉપયોગમાં લેવાય છે, નોંધનીય છે કે હાલમાં ઘણી બધી કોરોના વેક્સિન વિશે ભારતમાં ચર્ચા ચાલી રહી છે અને અમુકના તો છેલ્લા સ્ટેજના ટ્રાયલ ચાલી રહ્યા છે જેના પછી ભારતમાં આવનારા સમયમાં રસીકરણ પ્રોગ્રામ શરૂ થઈ શકે છે તેવી શક્યતા છે જેને લઈને કેન્દ્ર સરકારે આગોતરા આયોજન તરીકે રાજ્યોને આ સિસ્ટમ મજબૂત કરવાની સૂચના આપી છે.
બીજી શું સૂચના આપવામાં આવી છે?
1. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને બાળ ચિકિત્સકો તેમજ રાજ્ય અને જિલ્લા AEFI સમિતિઓમાં તબીબી નિષ્ણાતોનો સમાવેશ કરવા જણાવ્યું છે.
2. રાજ્યના AFEI સમિતિઓમાં ન્યુરોલોજીસ્ટ, કાર્ડિયોલોજિસ્ટ્સ, શ્વસન નિષ્ણાતોનો સમાવેશ કરવા માટે સુધારણા કરવામાં આવી શકે છે તેવી શક્યતા છે. આવું જ માળખું જિલ્લા લેવલે રચવાની પણ વાત કરાઇ છે
3. દરેક રાજ્યને AFEI તકનીકી સહયોગ કેન્દ્ર તરીકે એક તબીબી કોલેજની પસંદગી કરવી પડશે. ઝડપી મૂલ્યાંકન માટેની સુવિધા સાથે AEFI સમિતિના નિષ્ણાતોને તાલીમ લેવાનું સૂચન પણ કરાયું છે.
4. આરોગ્ય મંત્રાલયે રાજ્યોને રાજ્ય AEFI સલાહકારોની નિમણૂક કરવા જણાવ્યું છે.
5. ડ્રગ ઈન્સ્પેકટરોની ભાગીદારીને સુનિશ્ચિત કરવાની સૂચના અપાઈ છે. મંત્રાલયે કહ્યું છે કે દેશભરમાં 300 મેડિકલ કોલેજ અને અન્ય હોસ્પિટલો છે જ્યાં ડ્રગ ઇન્સ્પેક્શન કેન્દ્ર એટલે કે કોઈ પણ દવાની ટ્રાયલના સાઈડઇફેકટ્સની નોંધણી રાખતા કેન્દ્રો છે તેને AEFI સાથે સંલગ્ન કરવાની વાત કરી છે.
6. કેન્દ્ર સરકારે કહ્યું છે કે જિલ્લાને એ સુનિશ્ચિત કરવું જોઈએ કે એનાફિલેક્સિસ બાળકો અને AEFI મેનેજમેન્ટ કીટમાં ઉપયોગ માટે આવતા મહિનાઓમાં ઇન્જેક્ટેડ એડ્રેનાલિનનો પૂરતો સ્ટોક છે.
7. પત્રમાં કહેવામાં આવ્યું છે કે, "સંવેદનશીલતા પર ધ્યાન કેન્દ્રિત કરતા પુખ્ત રસીકરણ પછી AEFI નો સમાવેશ થવો જોઈએ જે કોવિડ -19 રસીની રજૂઆત પછી મહત્વપૂર્ણ બનશે. ડીઆઈઓના ઑફિસમાં ડેટા એન્ટ્રી ઓપરેટર એઇએફઆઈ દ્વારા ઓનલાઇન રિપોર્ટિંગ સોફ્ટવેર કાર્યક્ષમ હોવું જોઈએ. "