આજથી કોરોના સમેની લડાઈ શરૂ થઈ ગઈ છે અને રસીકરણ દ્વારા કોરાનાને હંફાવવાનું મહા અભિયાન છેડાઈ ગયુ છે.
રાજ્યભરમાં કોરોનાના પ્રથમ તબક્કાનું રસીકરણ શરૂ
અમદાવાદ શહેરમાં AMCએ તૈયાર કર્યા 37 સેન્ટર
PM મોદી ઓનલાઈન રસીકરણ શરૂઆત કરાવી હતી.
નથી થઈ આડઅસર
અત્યારસુધીમાં ગુજરાતમાં 410 લોકોને કોરોનાની વેક્સિન આપવામાં આવી છે. ગુજરાતમાં હજુ સુધી કોઈપણ વ્યક્તિને આડઅસર નથી થઈ અને રસીકરણને લઈ આરોગ્ય કર્મીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ગુજરાતમાં સૌ પ્રથમ વેક્સિન ઈન્ટરનેશનલ પિડિયાટ્રીક એસોશિએશનના એક્ઝ્યુકિટિવ ડિરેક્ટર ડો. નવીન ઠક્કર અને ડો. કેતન દેસાઈને મૂકવામાં આવી હતી. જેમનું CM રૂપાણીએ સન્માન કર્યુ હતુ.
અમદાવાદ સહિત રાજ્યમાં સિવિલમાં સુપ્રિટેન્ડેન્ટે અને ડોકટર્સ તેમ જ નર્સિંગ સ્ટાફે લીધી વેક્સિન
ડૉક્ટરમાં સિવિલ સુપરિન્ટેન્ડન્ટ જે.પી.મોદી પણ હાજર હતા. જેમણે આજે વેક્સિન લીધા બાદ જણાવ્યું હતું કે, આજે સિવિલ હોસ્પિટલમાં કોરોના વોરિયર્સને વેક્સિન આપવાની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં ઘણા સિનિયર ડોક્ટર પણ વેક્સિન લીધી હતી. મેં સિવિલ સુપરિન્ટેન્ડન્ટ તરીકે આજે વેક્સિન લીધી હતી. કીડી કરડે એટલી જ અસર થઇ હતી. વેક્સિનથી કોઈ ડરવાની જરૂર નથી, અત્યાર સુધી કોઈને આડ અસર નથી, દરેકે વેક્સિન લેવી જોઈએ. સાથે જ અમદાવાદ મેડિકલ એસોસિયેશનના પ્રેસિડેન્ટ ડૉક્ટર મોના દેસાઈ, IIPHના ડાયરેક્ટર દિલીપ માંઉલનકર તથા નર્સ ટ્વિન્કલ દેસાઈએ પણ વેક્સિન લીધી હતી. NHL કોલેજના ડીન ડૉ. પ્રતિક પટેલે SVP હોસ્પિટલમાં વેક્સિન લીધી હતી
ભારતમાં આજથી દુનિયાની સૌથી મોટી વેક્સીનેશન ડ્રાઇવ શરુ થઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કોરોના વેક્સીનેશન ડ્રાઇવનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અભિયાન સાથે પીએમ મોદી CoWIN એપ પણ લોન્ચ કરી હતી.
અમદાવાદ ખાતે CM રૂપાણીએ કહ્યું કે,
રાજ્યમાં વેક્સિનેશનને લઈનો બોલ્યાં CM રૂપાણીએ જણાવ્યું હતુ કે, 'વેક્સિનને લઈને કોઈ અફવામાં આવવું નહી' અને સંકોચ વિના વેક્સિન લેવા લોકોને અપીલ કરી હતી.
PM મોદીએ વેક્સિનેશનના અભિયાનનો પ્રારંભ કરાવ્યો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના વેક્સિનેશનના અભિયાનની શરુઆત કરાવી છે. પીએમ મોદીએ કહ્યું આજના દિવસની આતુરતાથી રાહ જોવામાં આવી રહી હતી. કોરોના વેક્સિન આવી ગઇ છે. પીએમ મોદીએ કહ્યું કે વેક્સિન બનાવનારાઓ ઘણી મહેનત કરી છે.
CM Rupani, આરોગ્ય સચિવ જંયતિ રવિ અમદાવાદ સિવિલ ખાતે રસીકરણ અભિયાનના શ્રી ગણેશ કર્યા હતા.
રાજ્યભરમાં કોરોનાના પ્રથમ તબક્કાનું રસીકરણ શરૂ થશે. રાજ્યમાં 139 સ્થળે વેક્સિનેશનની શરૂઆત થશે. રાજ્યમાં 5 લાખ 41 હજાર વેક્સિનના ડોઝ ફાળવાયા છે. 16 હજારથી વધુ હેલ્થવર્કર્સને વેક્સિનેટર તરીકે ટ્રેનિંગ આપાઈ છે. તમામ કેન્દ્રો પર વેઇટિંગ રૂમ, વેક્સિન રૂમ, ઓબ્ઝર્વેશન રૂમ તૈયાર રખાયો છે. અ
ગાંધીનગર
ગાંધીનગર સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ સાથે VTV NEWSની ખાસ વાતચીતમાં જણાવ્યું હતુ કે, સૌથી પહેલા વેક્સિનનો ડોઝ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉ.નિયતિ લાખાણી લેશે ત્યાર બાદ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ બાદ હેલ્થ વર્કરને વેક્સિનનો ડોઝ અપાશે.
ગુજરાતમાં કુલ 5,41,000 ડોઝ ફાળવાયા
અમદાવાદમાં 1,20,000 ડોઝ, ગાંધીનગર 96,000 ડોઝ, વડોદરા 94,500 ડોઝ, સુરત 93,500 ડોઝ, રાજકોટ 77,000 ડોઝ અને ભાવનગર 60,000 ડોઝ મોકલવામાં આવ્યા છે. જેમાંથી 4 લાખથી વધુ હેલ્થકેરવર્કર્સ, 6 લાખથી વધુ ફ્રન્ટલાઇન વર્કર્સ(પોલીસ, સફાઇકર્મચારી અને કોવિડની ડ્યૂટીમાં ડાયરેક્ટ ફરજ બજાવતા કર્મચારી) આમ કુલ 11 લાખથી વધુ કોવિડ કર્મચારીઓને કોરોનાની વેક્સિનનો ડોઝ પહેલા અપાશે. વેક્સિન અપાયા બાદ થોડા સમય માટે વ્યક્તિને ઓબ્ઝર્વેશન રૂમમાં રાખવામાં આવશે.
અમદાવાદ શહેરમાં AMCએ તૈયાર કર્યા 37 સેન્ટર
અમદાવાદ શહેરમાં AMCએ 37 સેન્ટર તૈયાર કર્યા છે. સવારે 10 વાગ્યે PM મોદી ઓનલાઈન રસીકરણ શરૂ કરશે. 25 હેલ્થ વર્કરોને કોવોસીલ્ડની રસીનો ડોઝ અપાશે. AMC દ્વારા કુલ 37 સેન્ટર પર રસીકરણ થશે. એક સેન્ટર પર 25 હેલ્થ વર્કરોને રસી આપવામાં આવશે. અમદાવાદ માટે 61500 કોવિશિલ્ડ વેક્સિન ફાળવાઈ છે. AMC એક દિવસમાં 925 હેલ્થ વર્કરોને વેક્સિન આપશે. વેક્સિનેશન બાદની અસરને લઈને પણ AMCની હેલ્પલાઈન જાહેર કરાઇ છે. '144' અને '14499' હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે. એડવર્સ ઇવેન્ટ્સ ફોલોઈંગ્સ ઇમ્યુનાઇઝેશનના નામે કેસ નોંધશે.
કોવિશિલ્ડ વેક્સિન વિશે જાણો
ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા આ રસીનું સંશોધન થયું છે
ભારતમાં ઓક્સફર્ડની વેક્સિનનું નામ કોવિશિલ્ડ છે
ઓક્સફર્ડે એસ્ટ્રાઝેનેકા બાયોફાર્માસ્યૂટિક કંપની સાથે કરી છે પાર્ટનરશિપ
ભારતની સીરમ ઈન્સ્ટીટ્યૂટ કોવિશિલ્ડનું કરી રહી છે ઉત્પાદન
કોવિશિલ્ડ ભારતમાં બનેલી પહેલી ત્રણ રસીમાંની એક છે
પુનાની સીરમ ઈન્સ્ટીટ્યુટે ઓક્સફર્ડ દ્વારા સંશોધિત આ રસીનું ઉત્પાદન કર્યું છે
ઓક્સફર્ડ,એસ્ટ્રાઝેનકા અને સીરમ ઈન્સ્ટીટ્યુટ એમ ત્રણેય સંસ્થાઓ વચ્ચે ભાગીદારી છે
કોવિશિલ્ડ બાળકોથી લઈ વૃદ્ધમાં અસરદાર જોવા મળી છે
શરૂઆતના પરિણામમાં લક્ષણ વગરના લોકોને સંક્રમણનો ખતરો ખુબ જ ઓછો
અન્ય વેક્સિન કરતા કોવિશિલ્ડને સ્ટોર કરવી છે ખુબ જ સરળ
કોવિશિલ્ડને સામાન્ય તાપમાનમાં પણ સ્ટોર કરી શકાય છે
કોવિશિલ્ડની કિંમત અન્ય વેક્સિન કરતા ઘણી ઓછી હશે
કોવિશિલ્ડનો એક ડોઝ સરકારને 220 રૂપિયામાં મળ્યો છે
દરેક વ્યક્તિને વેક્સિનના બે ડોઝની જરૂરિયાત પડશે
બ્રિટને ઓક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકાની આ રસીને મંજૂરી આપી દીધી છે
6ઠ્ઠી ડિસેમ્બરે સીરમ ઈન્સ્ટીટ્યુટે ઈમરજન્સી ઉપયોગ માટે સરકારને અરજી કરી હતી
16મી જાન્યુઆરીથી ગુજરાતમાં કોવિશિલ્ડનું રસીકરણ શરૂ થવાનું છે
કોવેક્સિન વિશે જાણો
કોવેક્સિન ભારતમાં બની રહેલી કોરોનાની રસીનું નામ છે
ભારતનું સૌથી મોટું પરિક્ષણ કોવેક્સિન માટે થયું છે
ભારત બાયોટેક નામની કંપની આ રસી બનાવી રહી છે
ભારત બાયોટેક નિર્માતા છે અને ભારત સરકારની સંસ્થા ICMR સંશોધન કરે છે
કોવેક્સિનના પહેલા-બીજા તબક્કાના પરીક્ષણ પછી ત્રીજો તબક્કો પણ સફળ રહ્યો છે
ત્રીજા તબક્કામાં રસીનું માનવ પરીક્ષણ એક મહિના પહેલા શરૂ થયું હતું
ત્રીજા તબક્કામાં કુલ 26 હજાર વોલંટિયર્સ પર કોવેક્સીનનું પરીક્ષણ થયું છે
26 હજારમાંથી અમદાવાદમાં 1 હજાર લોકો પર કોવેક્સીનનું પરીક્ષણ થયું
અમદાવાદમાં હાલમાં બીજા ડોઝ માટે 1 હજાર લોકોને રસી અપાઈ રહી છે
26 હજાર લોકોને 28 દિવસમાં 2 વાર રસી આપવાનું કામ ચાલી રહ્યું છે
કંપની અને સંશોધકોને એ જાણ નહોતી કે રસી ક્યા સમૂહને અપાઈ છે
સરકારના ICMR અને NIVના સહયોગથી ભારત બાયોટેક આ રસી બનાવી રહી છે
ભારત બાયોટેકે કોવેક્સિન 60 ટકા અસરકારક હોવાનો દાવો કર્યો છે
વોલંટિયરમાં 50 ટકાને કોવેક્સીન અને 50 ટકાને પ્લેસબો અપાયું છે
એટલે કે પ્લેસબો ઓછા અસરવાળી રસી હશે અને કોવેક્સીન વધુ અસરવાળી રસી હશે
બન્ને પ્રકારની રસી આપ્યા પછી દર્દીઓના પરીક્ષણને આધારે રસીની અસરકારકતા નક્કી થશે
કોવેક્સીન બનાવવા માટે ભારત સરકાર સીધી રીતે ભાગીદાર છે
અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં કોવેક્સિનનું પરીક્ષણ ચાલી રહ્યું છે
ત્રીજા તબક્કાના સફળ પરીક્ષણ પછી કોવેક્સિન થોડા સમયમાં જ આપણને મળવાની છે
કોવેક્સિનના માનવ પરીક્ષણમાં ગુજરાત પણ ભાગીદાર થઈ રહ્યું છે
CoWIN શું છે?
કોવિન એપ રસીકરણની પ્રક્રિયા સાથે જોડાયેલું સોફ્ટવેર-એપ છે
વહીવટીતંત્ર, તબીબો, અને રસી લેનારાનું પ્લેટફોર્મ છે CoWIN
CoWIN એપમાં કુલ 5 મોડ્યૂઅલ છે
પહેલું મોડ્યૂઅલ વહીવટીતંત્ર માટેનું છે
વહીવટીતંત્ર માટેનું એ લોકો માટે છે જે રસીકરણનું સંચાલન કરવાના છે
આ મોડ્યૂઅલના આધારે વહીવટીતંત્ર સેશન નક્કી કરી શકશે
રસી લેનારા અને સંચાલન કરનારાને નોટિફિકેશનના આધારે જાણ થશે
બીજું મોડ્યૂઅલ રજિસ્ટ્રેશન માટેનું છે
બીજું મોડ્યૂઅલ એ લોકો માટે છે જેમને રસી લેવાની છે
ત્રીજુ મોડ્યૂઅલ રસીકરણ માટેનું છે
ત્રીજું મોડ્યૂઅલ રજિસ્ટ્રેશન કરનારાઓની માહિતી વેરીફાઈ કરશે
ચોથુ મોડ્યૂઅલ લાભાન્વિત સ્વીકૃતિનું મોડ્યૂઅલ છે
લાભાન્વિત મોડ્યૂઅલના માધ્યમથી રસી લેનારાઓને મેસેજ આપવાનું કામ થશે
લાભાન્વિત મોડ્યૂઅલથી QR CODE જનરેટ થશે
QR CODEથી રસી લીધાનું ઈ-પ્રમાણપત્ર મળી જશે
પાંચમું મોડ્યૂઅલ રિપોર્ટનું બનાવવામાં આવ્યું છે
રિપોર્ટ મોડ્યૂઅલના આધારે રિપોર્ટ જનરેટ થશે
પાંચમાં મોડ્યૂઅલથી એ જાણકારી મળશે કે રસીકરણના કેટલા સેશન થયા
કેટલા લોકોને રસી મળી તે પણ આ પાંચમાં મોડ્યૂઅલથી જાણ થશે