કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જાણકારી આપી છે કે કોરોના વેક્સીન ટ્રેકરને લોન્ચ કરાશે અને તેમાં કોરોના વેક્સીનેશનની જાણકારી અને વેક્સીનેશન બાદ લોકોના મોતની સંખ્યા પણ જાણી શકાશે.
કોરોનાથી થતા મોતને લઈને સ્વાસ્થ્ય મંત્રાલયે આપી ખાસ જાણકારી
વેક્સિનના બંને ડોઝની અસરકારકતાને લઈને કર્યો ખુલાસો
ભારતમાં કોરોના સંક્રમણની રફ્તાર હાલમાં ઘટી છે અને સાથે ત્રીજી લહેરનો ખતરો પણ વધી રહ્યો છે. સરકારની કોશિશ છે કે ત્રીજી લહેરની દસ્તક પહેલા જ વેક્સીનનો પહેલો ડોઝ આપી દેવો જેથી સંક્રમણના કારણે મોતનો ખતરો ઘટાડી શકાય. સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરુવારે કહ્યું કે દેશમાં કોરોનાના કારણે થતા મોતને રોકવામાં વેક્સીનનો સિંગલ ડોઝ 96.6 ટકા અને બંને ડોઝ 97.5 ટકા પ્રભાવી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે એમ પણ કહ્યું કે એક નવું વેક્સીન ટ્રેકર લોન્ચ કરવામાં આવી રહ્યું છે જેમાં કોરોનાની ડિટેલ્સ અને સંક્રમણ બાદ વેક્સીનેશન કરાવેલા લોકોના મોતની સંખ્યા પણ જાણી શકાશે.
શું કહે છે રાજેશ ભૂષણ
સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણના કેન્દ્રીય સચિવ રાજેશ ભૂષણે કહ્યું કે આ એક મહત્વની પહેલ છે અને તેનો હેતુ સંક્રમણ અને તેનાથી થતા મોતની જાણકારી મેળવવાનો છે. એક બ્રિફિંગમાં આઈસીએમઆરના બલરામ ભાર્ગવે કહ્યું હતું કે વેક્સીન ટ્રેકરને કોવિન પોર્ટલ, રાષ્ટ્રીય કોવિડ 19 તપાસના આંકડા અને કોવિડ 19 ઈન્ડિયા પોર્ટલના આંકડાના તાલમેલથી વિકસિત કરવામાં આવ્યું છે.
કોરોના વેક્સીનનો બીજો ડોઝ 97.5 ટકા પ્રભાવી
તેઓએ કહ્યું કે આંકડાને આઈસીએમઆરની ઓળખ સંખ્યા અને મોબાઈલ નંબરના આધારે તપાસ કરાશે. એક વેક્સીન ટ્રેકર તૈયાર કરવામાં આવી રહ્યું છે જે જલ્દી સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઈટ પર ઓનલાઈન થશે. ટ્રેકર કોવિડ વેક્સીનની પહેલી અને બીજા ડોઝની પ્રભાવકારિતાની જાણકારી દર અઠવાડિયે આપશે. 18 એપ્રિલથી 15 ઓગસ્ટ સુધીનો કોવિડ ટ્રેકરના આંકડાની મદદથી મૃત્યુદરને રોકવામાં વેક્સીનની પ્રભાવશીલતા 96.6 ટકા અને બીજા ડોઝ લીધા બાદ 97.5 ટકા હોવાનું જણાવ્યું છે.
બાળકો પર કોવેક્સીનનું ટ્રાયલ પૂરું થવાની તૈયારી
નીતિ આયોગના સભ્ય વીકે પોલે કહ્યું કે કોરોના વેક્સીનના બંને ડોઝ લીધા બાદ બીમારીની ગંભીરતા અને તેનાથી થતા મોતથી લગભગ સંપૂર્ણ સુરક્ષા મળે છે. બાળકોની કોરોના વેક્સીનને લઈને વીકે પોલે કહ્યું કે કેન્દ્ર સરકાર બાળકોને કોરોના વેક્સીન આપવા માટે વૈજ્ઞાનિક માન્તા પ્રાપ્ત કરવા માટે કામ કરી રહી છે. તેઓએ કહ્યું કે ઝાયડસ કેડિલાને પહેલા જ બાળકો પર વેક્સીનના ઉપયોગને લઈને માન્યતા મળી છે. કોવેક્સીન પણ ટ્રાયલ પૂરું કરવાની તૈયારીમાં છે. તેઓએ કહ્યું કે એકવાર પરિણામ આવ્યા બાદ એક અન્ય વેક્સીન મળી જશે.