લેન્સેટ સ્ટડી દ્વારા 2020 થી 2021 વચ્ચે કોરોનાને કારણે મૃત્યુની સંખ્યાનો અંદાજ લગાવવામાં આવ્યો હતો, જે દર્શાવે છે કે, કોરોનાની રસીએ ભારતમાં 42 લાખ લોકોના જીવ બચાવ્યા
ભારત સૌથી વધુ જોખમમાં હતું પરંતુ રસીકરણ કારણે ખતરો ટળ્યો
2021 નાઅંત સુધીમાં દરેક દેશમાં 40 ટકા વસ્તીને રસી આપવાનો WHOનો લક્ષ્યાંક હતો
WHOનો 2021 નાઅંત સુધીમાં દરેક દેશોમાં 40% રસી લક્ષ્યાંક હતો
કોરોના રોગચાળાને રોકવા માટે બનાવવામાં આવેલી રસી ભારતની સાથે અન્ય દેશો માટે પણ જીવનરક્ષક સાબિત થઈ છે. જ્યારે આ રસીએ ભારતમાં 42 લાખથી વધુ લોકોના જીવન બચાવ્યા છે, ત્યારે આખી દુનિયામાં 2 કરોડથી વધુ લોકોને મોતને ભેટતા અટકાવ્યા છે. લેન્સેટ સ્ટડી જર્નલના ડિસેમ્બર 2020 થી ડિસેમ્બર 2021 સુધીના ડેટામાં આ વાત સામે આવી છે. સંશોધકોએ કહ્યું કે વિશ્વમાં કોરોનાથી 3.14 કરોડ મૃત્યુનો અંદાજ હતો, પરંતુ રસીકરણને કારણે 1.98 કરોડ લોકોના જીવ બચી ગયા.
WHOનો 2021 નાઅંત સુધીમાં દરેક દેશોમાં 40% રસી લક્ષ્યાંક હતો
અભ્યાસનો અંદાજ છે કે જો 2021 નાઅંત સુધીમાં દરેક દેશમાં 40 ટકા વસ્તીને બે કે તેથી વધુ ડોઝ સાથે રસી આપવાનો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનો લક્ષ્યાંક પૂરો થઈ ગયો હોય તો અન્ય 5,99,300 લોકોના જીવ બચાવી શકાયા હોત.
ભારત સૌથી વધુ જોખમમાં હતું પરંતુ રસીકરણ કારણે ખતરો ટળ્યો : ઓલિવર વોટસન
સ્ટડીના મુખ્ય લેખક ઓલિવર વોટસને જણાવ્યું હતું કે ભારત માટે, અમારું અનુમાન છે કે આ સમયગાળા દરમિયાન રસીકરણ દ્વારા 42 લાખ મિલિયનથી વધુ મૃત્યુ અટકાવવામાં આવ્યા હતા. આ મોડેલિંગ સ્ટડી દર્શાવે છે કે, ભારતમાં રસીકરણ અભિયાનોએ લાખો જીવન બચાવ્યા છે. આ રસીકરણની નોંધપાત્ર અસરને પ્રતિબિંબિત કરે છે, ખાસ કરીને ભારતમાં, જે ડેલ્ટા વેરિઅન્ટની અસરોનો અનુભવ કરનાર પ્રથમ દેશ હતો.
ભારતમાં 51 લાખથી વધુ લોકોનું મોતનો અંદાજો
લેન્સેટ સ્ટડીના અભ્યાસ મુજબ ભારતમાં કોરોના રોગચાળા દરમિયાન 51 લાખથી વધુ લોકોના મોતનો અંદાજ હતો, પરંતુ કોરોના રસીકરણને કારણે લાખો લોકોના જીવ બચી ગયા હતા. તમને જણાવી દઈએ કે મહામારીની શરૂઆતથી અત્યાર સુધીમાં ભારતમાં 5,24,941 મૃત્યુ નોંધાયા છે. એટલે કે, રસીકરણ ખૂબ અસરકારક સાબિત થયું જેથી 10 ગણા ઓછા લોકો મૃત્યુ પામ્યા.