ભારતમાં મહામારી સામે લડવા માટે આજે સૌથી મોટી ખુશખબર સામે આવી છે જ્યાં એક સાથે બે વેક્સિનને મંજૂરી આપી દેવામાં આવી છે ત્યારે આ વેક્સિનથી આડઅસર થવા મુદ્દે પણ સ્પષ્ટતા આપવામાં આવી છે.
ભારતમાં બે કોરોના વાયરસની રસીને મળી મંજૂરી
ભારત બાયોટેક અને સિરમ ઇન્સ્ટિટ્યૂટની રસીને મળી મંજૂરી
રસીથી વ્યક્તિ નપુંસક થઈ જશે તે વાત સાવ ખોટી : DCGI
ભારત માટે 'વેક્સિનયર' શરૂ
આજે મહામારી સામે ભારતમાં સૌથી મોટા રાહતના સમાચાર આવ્યા છે જેમાં ભારતમાં બે બે કોરોના વાયરસની રસીને મંજૂરી આપી દેવામાં આવી છે. ભારતમાં હજારો પરિવારોએ પોતાના સ્નેહીજનો કોરોના વાયરસના કારણે ગુમાવ્યા છે અને લાખો લોકો વાયરસની સંક્રમિત થયા છે ત્યારે હવે કોરોના વાયરસની રસી આવી જવાના કારણે ભારતીયોએ રાહતનો શ્વાસ લીધો છે. ભારતમાં એક સાથે બે બે કોરોના વાયરસની રસીને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી દેવામાં આવી છે. આજે DCGI દ્વારા કોરોના વાયરસની રસી પર એલાન કર્યા બાદ પીએમ મોદીએ પણ ડોકટરો અને વૈજ્ઞાનિકોનો આભાર વ્યક્ત કર્યો અને સાથે સાથે દેશને શુભકામનાઓ પણ પાઠવી.
આડઅસર કેવી થશે ?
કોરોના વાયરસની રસીને મંજૂરી ભારતમાં અપાઈ ગઈ છે પરંતુ ઇન્ટરનેટ પર ઘણીવાર વેક્સિનને લઈને ઘણા અહેવાલો વહેતા થાય છે. કોરોના વાયરસની રસી પર સામાન્ય નાગરિકોને જો કોઇ ભય હોય તો એ એક જ છે કે રસીની સાઈડ ઈફેક્ટ કેવી આવશે. કોરોના વાયરસની રસીના કારણે ઘણા દેશોમાં જોવા મળ્યું કે લોકોને આડઅસર થઈ રહી છે અને તેને જોતાં વિવિધ સ્ટડી અને રીપોર્ટ હાલમાં ઇન્ટરનેટ પર વહેતા થયા છે. ભારતમાં પણ કોરોનાની રસીને લઈને આવા સવાલો ઘણા લોકોના મનમાં છે ત્યારે DCGIએ આ વિષય પર પણ સ્પષ્ટતા કરી છે.
વ્યક્તિ નપુંસક થઈ જશે તેવી વાત માત્ર બકવાસ : DCGI
DCGIએ કહ્યું કે જો સુરક્ષાને લઈને થોડી પણ આશંકા હોય તો અમે ક્યારેય રસીને મંજૂરી ન આપી હોત. કોરોના વાયરસની રસી 100 ટકા સુરક્ષિત છે. જોકે DCGI વિજી સોમાણીએ એમ પણ કહ્યું કે સામાન્ય તાવ, દુખાવો અને એલર્જી તો કોઇ પણ વેક્સિનમાં સામાન્ય છે. નોંધનીય છે કે ખાસ જ્યારે તેમને નપુંસકતા વિશે સવાલ કરવામાં આવ્યો તો તેમણે આ વાતને તદ્દન બકવાસ ગણાવી.
We'll never approve anything if there is slightest of safety concern. The vaccines are 100 per cent safe. Some side effects like mild fever, pain & allergy are common for every vaccine. It (people may get impotent) is absolute rubbish: VG Somani, Drug Controller General of India pic.twitter.com/jsIeWEoI20
પીએમ મોદીએ કહ્યું કે આજે દરેક ભારતીયને ગર્વ થશે કે ભારતમાં જ બનેલી કોરોના વાયરસની રસીને ઈમરજન્સી ઉપયોગની મંજૂરી આપવામાં આવી છે. આ આત્મનિર્ભર ભારતના સ્વપ્નને પૂર્ણ કરવા વૈજ્ઞાનિકોને ઉત્સાહને દર્શાવે છે. પીએમ મોદીએ કહ્યું કે અમે તબીબો, હેલ્થ વર્કર્સ, વૈજ્ઞાનિકો, પોલીસ કર્મચારીઓ, સ્વચ્છતા કર્મચારીઓ અને બધા કોરોના યોદ્ધાઑ દ્વારા કરવામાં આવેલ ઉત્કૃષ્ટ કાર્યો માટે તેમનો આભાર વ્યક્ત કરી છે . કેટલાય લોકોને જીવ બચાવવા માટે અમે તેમના આભારી છીએ. ભારતમાં કોરોના વાયરસની રસીને મંજૂરી મળતા જ પીએમ મોદીએ મોટું નિવેદન આપ્યું હતું. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે કોરોના સામેની લડતમાં આ એક નિર્ણાયક વળાંક છે. કોરોના વાયરસની બે રસીને મંજૂરી મળતા હવે કોરોનામુક્ત ભારતનો રસ્તો સરળ બનાશે. પીએમ મોદીએ દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી અને સાથે સાથે તનતોડ મહેનત કરી રહેલા વૈજ્ઞાનિકો અને શોધકર્તાઓને પણ પીએમ મોદીએ વધાવ્યા.