દુનિયાના સૌથી મોટા લોકતંત્ર ભારતમાં જેમ ચૂંટણીમાં પોલીંગ બૂથ બને છે તે રીતે રસી માટે બૂથ બનાવવાનો પ્લાન છે. એક મીડિયા ગ્રુપને સૂત્રો દ્વારા પ્રાપ્ત જાણકારી મુજબ કેન્દ્ર સરકારની શરુઆતમાં રસી પર 18 હજાર કરોડ રુપિયાનો ખર્ચ કરી શકે છે. કોરોનાની રસીના 1 ડોઝ પર 210 રુપિયાનો ખર્ચ થવાની સંભાવના છે. મનાઈ રહ્યું છે કે પોલિંગ બૂથની જેમ ટીમો બનાવવામાં આવશે. બ્લોક લેવલ રણનીતિ તૈયાર કરવામાં આવશે. સરકારી અને ખાનગી ડોક્ટરોને આ અભિયાનમાં વિશેષ જવાબદારી આપવામાં આવશે. સાથે જનભાગીદારી માટે પ્રયાસની સાથે સાથે તેમણે જરુરી પ્રશિક્ષણ આપવામાં આવશે.
પોલિંગ બૂથની જેમ ટીમો બનાવવામાં આવશે.
રસીના 2 ડોઝ લગાવવાના રહેશે.
30 કરોડ લોકોને રસીનો ડોઝ પ્રથમ મળશે
ભારતમાં મોટા સ્તર પર રસીકરણ અભિયાન ચલાવવામાં આવશે. અહીં દુનિયાભરની 60 ટકા રસી બને છે. અહીં અડધા ડઝન નિર્માતા હાજર છે. જેમાં દુનિયાની સૌથી મોટી રસી બનાવનારી કંપની સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયા પ્રાઈવેડ લિમિટેડ શામિલ છે. જેમાં આશ્ચર્ય પામવા જેવી વાત નથી. ભારત સરકાર અરબો લોકો સુધી કોરોનાની રસી પહોંચાડવાની ઈચ્છા ધરાવે છે. ભારતમાં આવતા વર્ષના જુલાઈ સુધીમાં રસીની 50 કરોડ ડોઝ બનાવવા અને 25 કરોડ લોકોના રસીકરણ કરવાની યોજના છે.
રસીના 2 ડોઝ લગાવવાના રહેશે
સૂત્રોના જણાવ્યાનુંસાર પહેલા ચરણમાં 30 કરોડ લોકોનું રસીકરણ થશે. રસીના 2 ડોઝ લગાવવાના રહેશે. ત્યારે એક ડોઝ રુ 210 રુપિયા અને બે ડોઝ પર 420 રુપિયાના ખર્ચ થવાની શક્યતા છે. મોટી સંખ્યામાં રસીકરણ પર 50 હજાર કરોડ રુપિયાનો ખર્ચ આવી શકે છે. જો કે હજું સુધી કોરોનાની રસીની કિંમત નક્કી કરાઈ નથી.
30 કરોડ લોકોને રસીનો ડોઝ પ્રથમ મળશે
ભારતમાં 30 કરોડ લોકોને રસી મળે તેવી તૈયારી છે. ભારતમાં પ્રાથમિક્તાના આધારે સૌથી પહેલા હેલ્થ વર્કર્સ, ફ્રન્ટલાઈન વર્કર્સ અને સીનિયર સિટિજન્સને રસી આપવાની તૈયારી છે. આ હાઈ પ્રાયોરિટી ગ્રપમાં જે સામેલ થશે તેમને એસએમએસ દ્વારા રસીકરણની તારીખ, સમય અને જગ્યા જણાવવામાં આવશે. મેસેજમાં રસી આપનાર સંસ્થા- હેલ્થ વર્કરનું નામ પણ હશે.
આ રીતે રસીનું મોનિટરિંગ કરાશે
પહેલો ડોઝ લીધા બાદ બીજા ડોઝ માટે એસએમએસ મોકલવામાં આવશે. જ્યારે રસીકરણ પુરુ કરવામાં આવશે ત્યારે ડિજિટલ QR આધારિક સર્ટિફિકેટ પણ જનરેટ થશે તો રસી લગાવવાના પુરાવા પણ હશે. એક ડિજિટલ પ્લેટફોર્મ બનાવવામાં આવશે. જેના માધ્યમથી કોરોનાની રસી સ્ટોક અને ડિસ્ટ્રીબ્યૂશન , વેક્સીનેશન ટ્રેક કરવામાં આવશે. સરકાર ક્રમબદ્ધ રીતે રસીકરણ આગળ વધારશે.
રાજ્યોને એડર્નાલાઈન ઈન્જેક્શનનો પુરતો સ્ટોક રાખવા કહ્યું છે
કોરોનાની રસી લગાવ્યા બાદ સરકાર લોકોનું મોનિટરિંગ કરશે. એવું એટલા માટે જેથી રસીની સુરક્ષાને લઈને લોકોમાં ભરોસો વધે. રસીકરણને લઈને અલગ અલગ તબક્કામાં અલગ અલગ ભરતી કરવામાં આવશે. એટલા માટે સરકાર પહેલા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને આ દિશામાં જાગૃતતા અભિયાન શરુ કરવાનું કહી દીધું છે. આ ઉપરાંત રસીની કોઈ પણ આડ અસરને પહોંચી વળવા માટે તૈયાર રહેવા કહેવામાં આવ્યું છે. રાજ્યોને એડર્નાલાઈન ઈન્જેક્શનનો પુરતો સ્ટોક રાખવા કહ્યું છે. જેથી કોઈ એલર્જિક રિએક્શનની સ્થિતિમાં લોકોનને તે લગાવી શકાય.