ભારતમાં કોરોના વાયરસની વેક્સિન શોધવા માટે પૂરજોર પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. પરંતુ કોરોના વાયરસની વેક્સિન આવતાની સાથે જ તરત જ બધાને ડોઝ આપી શકાશે નહીં આમ રસીકરણમાં કોને પ્રાથમિકતા આપવી તે મુજબ સરકારે યાદી બનાવવાની શરૂઆત કરી દીધી છે.
ભારતમાં રસીકરણ માટે સરકારની તડામાર તૈયારીઓ
વેક્સિન પર બનેલા ગ્રુપ દ્વારા લિસ્ટ બનાવવાની શરુઆત કરાઈ
30 કરોડ ભારતીયોને પહેલા વેક્સિનનો ડોઝ અપાશે
30 કરોડ ભારતીયોને પહેલા અપાશે ડોઝ
કોરોના વાયરસની રસી જેમને સૌથી પહેલા આપવામાં આવશે તેમાં ફ્રન્ટલાઈન કોરોના વાયરસમાં ફ્રન્ટલાઈન હેલ્થ વર્કર્સ, પોલીસ અને સેનીટેશન કર્મચારીઓ હશે. આશરે 30 કરોડને સૌથી પહેલા ડોઝ આપવામાં આવશે જેમાં 60 કરોડ જેટલા ડોઝ લાગશે. એકવાર રસી અપ્રૂવ થઇ જતાની સાથે જ આ રસીકરણ ચાલુ કરી દેવામાં આવશે.
કોને કોને યાદીમાં અપાઈ શકે છે પ્રાથમિકતા !
અહેવાલ મુજબ પ્રાથમિકતાની યાદીમાં સૌથી પહેલા 50થી 70 લાખ જેટલા હેલ્થવર્કર્સ, બે કરોડ જેટલા ફ્રન્ટલાઈન વર્કર્સ, 50 વર્ષથી વધુ ઉંમરના 26 કરોડ લોકો અને એવા લોકો જે 50 વર્ષથી નાની ઉંમરનાં છે પણ કોઈ બીમારીથી પીડાઈ રહ્યા છે.
વેક્સિનને લઈને જે એક્સપર્ટ ગ્રુપ બનાવવામાં આવ્યું છે તેમણે ડ્રાફ્ટ પ્લાન તૈયાર કરી લીધો છે. આ ગ્રુપમાં નીતિ આયોગના સદસ્ય ડૉ. વીકે પોલ આગેવાની કરી રહ્યા છે અને પ્લાન અનુસાર દેશની 23% જનસંખ્યાને કવર કરવામાં આવી રહી છે.
એક્સપર્ટનું જે અનુમાન છે તે અનુસાર સરકારી અને પ્રાઈવેટમાં ભેગા થઇને આશરે 70 લાખ જેટલા હેલ્થ વર્કર્સ છે. 45 લાખ જેટલા પોલીસકર્મી, સેનાના પણ 15 લાખ જવાનોને લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યા છે. આ સિવાય કમ્યુનિટી સર્વિસ કરતા લોકો જેવાકે પબ્લિક ટ્રાન્સપોર્ટના ડ્રાઈવર્સ, ટીચર્સ. આ બધાની સંખ્યા આશરે દોઢ કરોડ થઇ રહી છે. આ સિવાય 50 વર્ષથી વધુ ઉંમરના 26 કરોડ લોકો છે. 50 વર્ષથી નાની ઉંમરના એવા લોકો જેમને ગંભીર બીમારી છે તે બધાને પણ યાદીમાં સામેલ કરવામાં આવી રહ્યા છે