હવે હારશે કોરોના : ભારતમાં બે કોરોના વેક્સિનને DCGIની મળી મંજૂરી
કોરોના મહામારી સામે સૌથી મોટી ખુશખબર
ભારતમાં એક સાથે બે બે વેક્સિનને મળી ગઈ મંજૂરી
સિરમ ઇન્સ્ટિટ્યૂટ અને ભારત બાયોટેકની કોરોના વેક્સિનને મળી મંજૂરી
ભારતમાં કોરોના વાયરસ સામે લડવા માટે સૌથી મોટો હથિયાર મળી ગયો છે જેમાં DCGIએ આજે એલાન કર્યું કે ભારતમાં કોરોના વાયરસની બે વેક્સિનને મંજૂરી આપી દેવામાં આવી છે. નોંધનીય છે કે આ પહેલા પહેલી જનયુઆરીએ કોવિશિલ્ડ અને બીજી તારીખે બાયોટેકની વેક્સિનને સ્વાસ્થ્ય મંત્રાલયની સંસ્થા દ્વારા મંજૂરી આપવામાં આવી હતી જેને હવે સર્વોચ્ચ સંસ્થાએ પણ કોરોના વેક્સિનને મંજૂરી આપી દીધી છે.
DCGIએ કહ્યું કે બંને વેક્સિન સંપૂર્ણપણે સુરક્ષિત છે આ તેનો ઉપયોગ ઇમરજન્સી સ્થિતિમાં કરવામાં આવશે. આ બંને વેક્સિનમાં બે બે ડોઝ આપવામાં આવશે.
નોંધનીય છે કે આ બંને વેક્સિનને 2થી 8 ડિગ્રી તાપમાનમાં સુરક્ષિત રાખી શકાશે અને તેનો સાર્વજનિક ઉપયોગ કરી શકાશે. નોંધનીય છે કે DCGIએ આ પહેલા કોરોના વાયરસની વેક્સિન પર સમીક્ષા અને તેના આંકડાઓનું અધ્યયન કર્યું હતું અને તે બાદ મંજૂરી આપવામાં આવી છે.
પીએમ મોદીએ પાઠવી શુભકામના :
A decisive turning point to strengthen a spirited fight!
DCGI granting approval to vaccines of @SerumInstIndia and @BharatBiotech accelerates the road to a healthier and COVID-free nation.
Congratulations India.
Congratulations to our hardworking scientists and innovators.
It would make every Indian proud that the two vaccines that have been given emergency use approval are made in India! This shows the eagerness of our scientific community to fulfil the dream of an Aatmanirbhar Bharat, at the root of which is care and compassion.
We reiterate our gratitude to doctors, medical staff, scientists, police personnel, sanitation workers and all Corona warriors for the outstanding work done, that too in adverse circumstances. We will remain eternally grateful to them for saving many lives.
ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા(DCGI)દવા કે ડ્રગને મંજૂરી આપે છે
ઉલ્લેખનીય છે કે, ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા(DCGI) જ્યારે કોઇ દવા કે ડ્રગને મંજૂરી આપે છે, ત્યારે કંપનીને આના ઉપયોગની મંજૂરી મળવાની રહે છે. જોકે, DCGIથી આ બન્ને વેક્સિનને ઇમરજન્સી ઉપયોગને મંજૂરી મળ્યા બાદ ભારતમાં પણ જલ્દીધી કોરોનાનું વેક્સિનેશન શરૂ થઇ જશે. દેશમાં 2 જાન્યુઆરીથી કોરોના વેક્સિનનું ડ્રાઈ રન કરવામાં આવી રહ્યું છે. ડ્રાઈ રન રિઝલ્ટ ઘણુ સકારાત્મક રહ્યું જેને લઇને કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી ડૉક્ટર હર્ષવર્ધને એક સમીક્ષા બેઠક પણ કરી હતી.
20 મંત્રાલય અને 23 વિભાગ કામ પર લાગ્યા
ભારતમાં કોરોના વાયરસની રસીને લઈને બધાને આતુરતાથી રાહ છે ત્યારે દેશના ખૂણે ખૂણે સુવિધાજનક રીતે વેક્સિન પહોંચે તે માટે સરકારે કમર કસી લીધી છે. નક્સલ પ્રભાવિત વિસ્તારઠ લઈને વેક્સિનના બૂથ પર ભીડ ભેગી ન થાય ત્યાં સુધી માઇક્રો મેનેજમેન્ટ તૈયાર કરવામાં આવ્યું છે. દેશભરમાં કોરોના વેક્સિનના રોલ-આઉટ માટે સ્વાસ્થ્ય મંત્રાલય સિવાય 20 મંત્રાલય અને 23 વિભાગ મહત્વની ભૂમિકા ભજવશે.
બ્લોક સ્તર સુધી કામગીરી
સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર કોરોના વાયરસ માટે નેશનલ એક્સપર્ટ ગ્રુપ ઑન વેક્સિન એડમિનિસ્ટ્રેશનના માર્ગદર્શનમાં ઘણા બધા મંત્રાલય અને વિભાગો વેક્સિનેશનના કામમાં લાગેલા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે વેક્સિન માટે રાષ્ટ્રીય, રાજ્ય, જિલ્લા અને બ્લોક સ્તર નક્કી કરી દેવામાં આવ્યા છે.
હજારો લોકોને અપાઈ ટ્રેનિંગ
સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું હતું કે અમે વેકસીનેશન ચૂંટણી પ્રક્રિયા અનુસાર જ બૂથ સ્તર પર કરીશું જેમાં 719 જિલ્લાના 57 હજાર પ્રતિભાગીઓએ ટ્રેનિંગ પૂરી કરી છે. અત્યાર સુધી 96 હજાર જેટલા લોકોને કોરોના વાયરસની રસી માટે ટ્રેનિંગ આપવામાં આવી છે.મીડિયા રીપોર્ટ અનુસાર ભારતમાં 82 લાખ સાઇટ્સ છે જેમાંથી સોશ્યલ ડિસ્ટન્સને ધ્યાનમાં રાખીને નક્કી કરાયેલ સાઇટ્સનો ઉપયોગ કરવામાં આવશે. ભારતમાં અત્યારે 28, 900 કોલ્ડ ચેન પોઇન્ટ્સ છે અને 85 હજારથી વધારે ઉપકરણ છે. જોકે મંત્રાલય દ્વારા આ નેટવર્કને મોટું કરવા માટે કવાયત હાથ ધરવામાં આવી રહી છે.
વેક્સિનનું મહત્વ શું છે?
વેક્સિન બનાવવાની પ્રક્રિયા ખુબ જ જટિલ હોય છે
અનેક પ્રકારના ટ્રાયલમાંથી પસાર થયા બાદ વેક્સિન બજારમાં આવે છે
સામાન્ય રીતે એક વેક્સિન બજારમાં આવતા એવરેજ 10 વર્ષ લાગી જાય છે
દરેક ઉંમરના લોકો પર કરવામાં આવશે ખાસ ટ્રાયલ
કોઈ રોગ કે બિમારી સામે લડવા માટે આપવામાં આવે છે વેક્સિન
વેક્સિનથી બિમારી સામે લડવા માટે શરીરમાં એન્ટીબોડી એક્ટિવ થાય છે
એન્ટીબોડી શરીરમાં ડેવલોપ થયા બાદ કોઈ ચેપ લાગવાનો ભય ઘટી જાય છે
કોરોના જેવી સૌથી વધારે સ્પ્રેડ થતી મહામારીને હરાવવા માટે વેક્સિન જ છે જરૂરી