16મી જાન્યુઆરીથી કોરોનાની મહામારી સામે રસીકરણનું મહાઅભિયાન શરૂ થવાનું છે ત્યારે કોંંગ્રેસમાં આ મામલે ઘમાસાણ જોવા મળ્યું હતુ.
કોંગ્રેસ પ્રવક્તા ડૉ.જીતુ પટેલનો આક્ષેપ
'વેક્સિનનું ત્રીજા તબક્કાનું ટ્રાયલ પૂર્ણ થયું નથી'
'ટ્રાયલ પૂર્ણ થાય તે પહેલા જ મંજૂરી અપાઇ'
કોંગ્રેસ પ્રવક્તા ડૉ.જીતુ પટેલે ભાજપા સરકારનો મોટો આક્ષેપ કર્યો હતો. ડો. જીતુ પટેલે કહ્યું હતુ કે, ભારત બાયોટેકની વેક્સિનનું ત્રીજા તબક્કાનું ટ્રાયલ પૂર્ણ થયું નથી અને મોદી સરકારે ટ્રાયલ પૂર્ણ થાય તે અગાઉ જ રસીકરણની મંજૂરી આપી દીધી છે. સરકાર લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહી હોવાનો જીતુ પટેલે આક્ષેપ કર્યો હતો.
પરેશ ધાનાણીએ કહ્યુ હતુ કે, રસી મુદ્દે રાજકારણ નહીં
ગઈકાલે કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ રસીકરણ મામલે સરકારની સાથે હોવનું અને રસીરકરણ મામલે રાજકારણ નહીં કરવાની વાત કહી હતી જ્યારે આજે તેમના જ પક્ષના બીજા નેતા રસીકરણને લઈને સવાલ ઉઠાવી રહ્યા છે ત્યારે કોંગ્રેસમાં અંદરો અંદર કોમ્યુનિકેશનનો અભાવ હશે કે પછી અંદરો અંદર વિખવાદ છે? તેવી ચર્ચાએ જોર પકડ્યુ હતુ. કારણ કે, રસીકરણ મામલે કોંગ્રેસની બેમોઢાળી નીતિ જોવા મળી રહે છે.
શું કહે છે સરકાર
બીજી તરફ રસીકરણ મામલે સરકારી ડોક્ટરો અને ગુજરાતમાં રસીકરણના નોડલ ઓફિસર ડો. પંડ્યાનું કહેવું છે કે, પોલીયોની રસી શોધાતા વર્ષો વિત્યા હતા પરંતુ કોવિડની રસી ફટાફટ શોધી લેવામાં આવી છે એટલે તેની આડઅસર થઈ શકે છે અને તેને આપ્યા બાદ જ તેના પરિણામો અંગે ખબર પડી શકશે. એવું કહી શકાય કે આ એક સાથે મોટા પાયે રસીકરણનું ટ્રાયલ હશે. પરંતુ એનો મતલબ જરાય એવો નથી કે કોરાનની રસીના ટ્રાયલ નથી લેવાયા. પણ આ રોગ નવો છે અને રસી પણ એટલે થોડાક કોમ્પિકેશન રહેશે.