ગુજરાતમાં કોરાના રસીકરણનો બીજો તબક્કો શરૂ થઈ ગયો છે ત્યારે Cm રૂપાણીના પત્નીએ કોરોનાની વેક્સિન લીધી હતી. અને જંયતિ રવિના માતા તેમજ સ્વામિનરાયણ સંપ્રદાયના સંતોએ પણ કોરોના વેક્સિન લીધી હતી. દિલ્હીમાં PM મોદી આજે વેક્સનેશન લીધી હતી ત્યારે Pm બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પોતાના નિવાસ સ્થાને કોરોના વેક્સિન લેશે
CM રૂપાણીના પત્ની અંજલીબેન રૂપાણીએ પણ કોરોનાની વેક્સિન લીધી છે. અમદાવાદમાં રાજ્યના આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિના માતાએ અને સાસુએ કોરોનાની વેક્સિન લીધી હતી. અપોલો હોસ્પિટલમાં જયંતિ રવિના માતા અને સાસુએ વેક્સિન લીધી હતી.
વડોદરામાં શું છે સ્થિતિ?
વડોદરામાં આજથી કોરોના વેક્સિનેશનનો બીજો રાઉન્ડ શરૂ થઇ ગયો છે. રસી લેવા માટે સિનિયર સિટીઝનોની લાંબી લાઇનો લાગી છે. 60 વર્ષથી ઉપરના લોકો વેક્સિન લેવા પહોંચ્યા છે. જોકે એક જગ્યાએ 100 વ્યક્તિઓને જ રસી આપવામાં આવશે. 45થી 60 વચ્ચેના કો-મોર્બિડિટી ધરાવતા દર્દીઓને પણ રસી આપવામાં આવશે
સુરત 52 કરતા વધારે જગ્યાઓ પર વેક્સિનેશન
સુરત શહેરમાં કોરોના વેક્સિનેશનનો બીજો તબક્કો શરૂ થઇ ગયો છે. 52 કરતા વધારે જગ્યાઓ પર વેક્સિનેશન કરવામાં આવશે. સુરતના સાંસદ દર્શના જરદોશે પહેલી વેક્સિન લીધી છે. સિનિયર સિટીઝન તરીકે દર્શના જરદોશે વેક્સિન લીધી છે. વેક્સિન એકદમ સુરક્ષિત હોવાનો સાંસદે સુરતવાસીઓને સંદેશ આપ્યો છે.
રાજકોટમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ કોરોનાની રસી લીધી છે. સંતોએ કોવિશિલ્ડ રસી લીધી છે. સંતોએ કહ્યું વિશ્વના લોકો જ્યારે પ્રશંસા કરે ત્યારે એ રસી લેવી જોઈએ. સ્વામિનારાયણ સંપ્રદાયના અપૂર્વ મુનિ સ્વામીએ દરેક વ્યકિત વેક્સિન લેવા અપીલ કરી છે. પૂર્વ સાંસદ અભય ભારદ્વાજના પત્નીએ કોરોનાની રસી લીધી હતી. અભય ભારદ્વાજના પત્ની અલ્કાબેન ભારદ્વાજે પણ કોરોનાની વેક્સિન લીધી હતી.
ગુજરાતમાં 2050 હોસ્પિટલમાં રસી મળશે
60 વર્ષ કરતા વધું ઉંમરના 60 લાખ કરતા વધુ લોકો નોંધાયા છે. રાજ્યની 2050 હોસ્પિટલ, આરોગ્ય કેન્દ્રમાં રસી અપાશે જેમાં 534 ખાનગી હોસ્પિટલમાં પણ રસીકરણ કરવામાં આવશે ખાનગી હોસ્પિટલમાં રસી માટે 250 રૂપિયા ચાર્જ રહેશે. રસી માટેનો ચાર્જ ઓનલાઇન ચૂકવવાનો રહેશે. મુખ્યમંત્રી રૂપાણીએ વરિષ્ઠ નાગરિકોને રસી લેવા અપીલ કરી છે.
કેવી રીતે લઇ શકશે વેક્સિન?
વેક્સિન માટે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે
ભારત સરકારે કોવિન 2.0 પોર્ટલ લોન્ચ કર્યુ છે
cowin.gov.in પરથી લોગ-ઇન કરી શકાશે
આરોગ્ય સેતુ એપ પરથી પણ કરી લોગ-ઇન કરી શકશો
મોબાઇલ નંબર રજિસ્ટર કરાવવા પર OTP મળશે
OTP મેળવ્યા બાદ તમારૂ એક એકાઉન્ટ બનશે
નામ,ઉંમર,જાતિ અને ઓળખપત્રની વિગત આપવાની રહેશે
એક એકાઉન્ટમાં પરિવારના 4 સભ્યોને ઉમેરી શકશો
રજિસ્ટ્રેશન માટે ઓળખ પત્રની જરૂરત હશે જેના આધાર પર નક્કી કરાશે વેક્સિન અપાશે કે નહીં