કોરોના વાયરસને માચ આપીને બ્રિટનમાં મોટા સ્તર પર રસી આપવાનું કામ શરુ થઈ ગયું છે. બ્રિટેનમાં Pfizer-BioNTechની રસી આપવામાં આવી રહી છે. પરંતુ શરુઆતના દિવસોમાં ચિંતાનો વિષય સામે આવ્યો છે. રસી મળ્યા બાદ 2 લોકોને એલર્જી થઈ છે. જેણે વૈજ્ઞાનિકોની ચિંતા વધારી છે. હવે બ્રિટનમાં મેડિકલ ડિપાર્ટમેન્ટે એક ચેતવણી જાહેર કરી છે અને કહ્યું છે કે કોઈ પણ વ્યક્તિને દવાઓનું રિએક્શન અથવા ખાવાથી થનારા રિએક્શનમાં સમસ્યા આવી શકે છે તેમને આ રસી ન આપવામાં આવે.
રસીથી દરેકને એલર્જી થશે એ જરુરી નથી
... તેમને આ રસી ન આપવામાં આવે
કેનેડામાં પણ આ મામલામાં સતર્કતા વર્તવાની વાત કરી છે
મંગળવારે બ્રિટનમાં મોટા સ્તર પર કોરોના રસી આપવામાં આવી. પરંતુ અત્યાર સુધીમાં 2 લોકોને એલર્જીની સમસ્યા સામે આવી છે. બ્રિટન હેલ્થ ડિપાર્ટમેન્ટે કહ્યું કે રસીને દરેક સ્તરે તપાસ્યા બાદ મંજૂરી આપવામાં આવી હતી. તેવામાં ફક્ત 2 લોકો ઉપરાંત બીજા કોઈને આવી સમસ્યા આવી નથી.
જે મામલા સામે આવ્યા છે તેમને લઈને તપાસ કરવામાં આવી રહી છે. પરંતુ ત્યાં સુધીમાં તે લોકોને રસી આપવાથી ઈન્કાર કરવામાં આવ્યો છે. દેમને પહેલાથી દવાથી એલર્જી છે.
કેનેડામાં પણ આ મામલામાં સતર્કતા વર્તવાની વાત કરી છે
ઉલ્લેખનીય છે કે બ્રિટન દુનિયામાં કોરોના રસીને મંજૂરી આપનારો પહેલો દેશ બન્યો છે. એ બાદ કેટલાક અન્ય દેશ આ લાઈનમાં છે. અમેરિકામાં જલ્દી જ રસી આપવાની શરુ કરવામાં આવશે. જો કે અમેરિકાએ પહેલાથી સ્પષ્ટ કરી દીધું છે જેને દવાની એલર્જી છે તેમને આ રસી ન આપવામાં આવે. જ્યારે બ્રિટનમાં 2 કેસ સામે આવ્યા બાદ કેનેડામાં પણ આ મામલામાં સતર્કતા વર્તવાની વાત કરી છે.
રસીથી દરેકને એલર્જી થશે એ જરુરી નથી
Pfizer-BioNTech તરફથી મળતી જાણકારી મુજબ ટ્રાયલ દરમિયાન કોઈ પણ એવા વ્યક્તિને સામેલ કરવામાં આવ્યા નહોતા જેમને દવાની એલર્જી હોય. આ અંતર્ગત બ્રિટન સરકાર પાસે મંજૂરી પણ લેવામાં આવી હતી. એક્સપર્ટનું કહેવું છે કે રસીથી દરેકને એલર્જી થશે એ જરુરી નથી. ઉલ્લેખનીય છે કે બ્રિટનમાં અલગ અલગ ફેઝમાં રસી આપવાનું કામ કરવામાં આવી રહ્યું છે. શરુઆતમાં હેલ્થવર્કર્સ, વુદ્ધ લોકોને રસી આપવામાં આવી રહી છે. આ બાદ ગંભીર બિમારીથી પીડિતો લોકોને પ્રાથમિકતામાં રાખવામાં આવ્યા છે. ભારતમાં અડધો ડઝન રસીના ટ્રાયલ ચાલી રહ્યા છે. જે અંતિમ ફેજમાં છે.