સમગ્ર દેશની સાથે ગુજરાતમાં આગામી ૧૬ જાન્યુઆરી ૨૦૨૧થી કોરોના વેક્સિનેશન અભિયાન શરૂ થઇ રહ્યું છે. વેક્સિનેશનનાં વિતરણ માટે ગુજરાત સરકાર તમામ રીતે સજ્જ છે. આજે વેક્સિન અમદાવાદ એરપોર્ટ પર આવી જશે પરંતુ વેક્સિનેશનની તૈયારીઓ વચ્ચે આજે હડતાળનું નવું વિઘ્ન આડે આવ્યું છે.
કોરોના રસીકરણ કાર્યક્રમ કરવા માટે ગુજરાતમાં ચાર લાખથી વધુ હેલ્થકેર વર્કર્સ,
‘આર યા પાર’ના સંકલ્પ સાથે ઉગ્ર લડતના કાર્યક્રમો જાહેર
આરોગ્યકર્મીઓ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે સવારના ૧૧થી ૪ વાગ્યા સુધી ધરણાં કરશે
આજથી પંચાયત સેવા હેઠળના આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાળ પર છે વાત હડતાળથી નહીં અટકતાં કોવિડ-૧૯ અંતર્ગત આંદોલનના સમયગાળા દરમિયાન અસહકાર દાખવી આરોગ્ય કર્મચારીઓ રસી લેશે નહીં અને આપશે પણ નહીં.
‘આર યા પાર’ના સંકલ્પ સાથે ઉગ્ર લડતના કાર્યક્રમો જાહેર
ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા આદેશ કરાયો છે. રાજ્ય સરકારને ૨૦ ડિસેમ્બર ૨૦૧૮ અને ૧૫ ડિસેમ્બર ૨૦૨૦નાં આવેદનપત્ર તથા ૧ જાન્યુઆરી ૨૦૨૧ની આંદોલનની લેખિત નોટિસ, ૨૭ ફેબ્રુઆરી ૨૦૧૯ અને ૨૫ ડિસેમ્બર ૨૦૧૯ એમ બે હડતાળનાં સમાધાનપત્રો થયા હોવા છતાં અને અગ્ર આરોગ્ય સચિવ સાથે ૧૧ જાન્યુઆરી ૨૦૨૦ની બેઠકમાં સાનૂકુળ પ્રતિભાવ ન મળતાં મહાસંઘ આંદોલનના માર્ગે છે ‘આર યા પાર’ના સંકલ્પ સાથે ઉગ્ર લડતના કાર્યક્રમો જાહેર કરવામાં આવ્યા છે. જેનું રાજ્યના તમામ આરોગ્ય કર્મચારીઓ પાલન કરશે. આજે આરોગ્યકર્મીઓ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે સવારના ૧૧થી ૪ વાગ્યા સુધી ધરણાં કરશે આંદોલનના સમયગાળા દરમિયાન અસહકાર દાખવી આરોગ્ય કર્મચારીઓ રસી લેશે નહીં અને આપશે પણ નહીં.
૫૦ વર્ષથી નાના ૨ લાખ ૭૫ હજાર લોકો જે લોકો અન્ય બીમારીથી પીડાય
અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના રસીકરણ કાર્યક્રમ કરવા માટે ગુજરાતમાં ચાર લાખથી વધુ હેલ્થકેર વર્કર્સ, છ લાખથી વધુ ફ્રન્ટલાઇન વર્કર્સ, જેમાં પોલીસ, સફાઇ કર્મચારી અને કોવિડની ડ્યૂટીમાં ડાયરેક્ટ ફરજ બજાવતા કર્મચારીઓનો સમાવેશ થાય છે, એમ કુલ ૧૧ લાખથી વધુ કોવિડ કર્મચારીઓને વેક્સિનનો ડોઝ પહેલાં અપાશે. તેમજ ૫૦ વર્ષથી વધુની વયના લગભગ ૧ કરોડ પાંચ લાખ નાગરિકો તેમજ ૫૦ વર્ષથી નાના ૨ લાખ ૭૫ હજાર લોકો જે લોકો અન્ય બીમારીથી પીડાય છે તેમનો પણ ડેટાબેઝ તૈયાર કરી દેવામાં આવ્યો છે. ગુજરાતમા લગભગ ૧૬ હજારથી વધુ હેલ્થ વર્કર્સને વેક્સિનેટર તરીકેની વિશેષ ટ્રેનિંગ આપીને તૈયાર કરવામાં આવ્યા છે.
આ બાબતે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કહ્યું હતું કે, કોઈ પણ કર્મચારી, અધિકારી કે નાગરિક માટે જીવનની સલામતી અગત્યની છે. આવું દરેક વખતે કોઈ ધાર્મિક કે રાજકીય રીતે વેક્સિનને સરખાવે કે સાંકળે તે યોગ્ય નથી. નાની મોટી માગણી માટે આ પ્રકારની ચીમકી યોગ્ય નથી.