બિહારમાં હજુ થોડા સમય પહેલા જ ચૂંટણી વચન તરીકે ભાજપે કોરોના રસી મફતમાં દેવાનો ચૂંટણી વાયદો કર્યો હતો, જેને લઈને મોદી સરકાર પહેલાથી જ કોંગ્રેસ સહિતની વિપક્ષી પાર્ટીઓના નિશાને છે અને હવે માધ્ય પ્રદેશમાં પણ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે રાજ્યમાં બધાને કોરોના રસી મફતમાં આપવાનો વાયદો કર્યો છે, નોંધનીય છે કે મધ્યપ્રદેશમાં પણ પેટાચૂંટણીઓ યોજાવા જઈ રહી છે.
MP CM શિવરાજે કહ્યું, "પ્રદેશમાં કોરોના રસી મફત અપાશે"
બિહારમાં પણ ઘોષણા પત્રમાં મફત રસીનો મુદ્દો સમાવી ચૂક્યું છે ભાજપ
આ ચૂંટણી વાયદાને લઈને થયો છે વિવાદ, ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઈ છે
ભારતમાં હાલમાં બે મોસમ ચાલી રહી છે, એક કોરોનાની અને બીજી ચૂંટણીની, કોરોના આ પહેલા દેશ માટે આરોગ્ય ને પછી આર્થિક મુદ્દો બની ગયો હતો, જો કે ભારતના રાજકારણની તાસીર જોતા હવે કોરોના એક રાજકીય મુદ્દો પણ બની ગયો છે.હવે ચૂંટણીઓમાં રાજનેતાઓ કોરોના રસી નું પણ ચૂંટણી હથિયાર તરીકે પ્રયોગ કરી રહયા છે.
जब से देश में #COVID19 वैक्सीन का ट्रायल शुरू हुआ, देश के गरीब वर्ग में एक चर्चा भी शुरू हुई, “क्या हम ये खर्च वहन कर पाएँगे?”
आज मैं स्पष्ट कर देना चाहता हूँ, मध्यप्रदेश में हर एक गरीब प्रदेशवासी को मुफ्त वैक्सीन मिलेगी।
બિહારમાં ભાજપે જે ઘોષણા પત્ર જાહેર કર્યું તેમાં કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારામને કહ્યું હતું કે ચૂંટણી જીત્યા બાદ દરેક બિહારીને કોરોના રસી મફતમાં આપવામાં આવશે, જેને લઈને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ કટાક્ષ કર્યો હતો કે ભારતના લોકોને કોરોના રસી મળશે તે જાણવું હોય તો પોત પોતાના રાજ્યોની મતદાનની તારીખો ચેક કરે. આ સિવાય શશી થરૂર અને રણદીપ સૂરજેવાલા એ પણ ભાજપ પર પ્રહારો કર્યા હતા.
ત્યારે હવે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે ટ્વીટ કરીને કહ્યું હતું કે કોરોનાથી જનતા ને બચાવવા માટે ઘણા કારગર નિર્ણયો લેવામાં આવ્યા છે, ભારતમાં કોરોના રસી બનાવવાનું કામ ઝડપથી થઇ રહ્યું છે, જેવી તે ડેવલપ થશે પ્રદેશમાં દરેક નાગરિકને તે મફતમાં આપવામાં આવશે"
શા માટે છે વિવાદ?
ચૂંટણી ની જાહેરાત થાય ત્યારે ભારતમાં નિયમ છે કે ચૂંટણીની આચાર સંહિતા લાગૂ થઇ જાય છે, જેને લઈને તમે કોઈ એવા વાયદા કરી શકતા નથી જે વિવાદિત હોય.
આમાં વિવાદિત શું છે?
દુનિયામાં હજુ ક્યાંય પણ પૂર્ણ રીતે કોઈ કોરોના રસી ડેવલપ થઇ નથી, ભારતમાં પણ ત્રણ મુખ્ય રસીઓ પાર કામ ચાલી રહ્યું છે, હજુ કોઈ રસી બની નથી, પરંતુ પરિણામોને જોઈએ તો આગામી વર્ષના આરમ્ભ સુધીમાં રસી મળી જાય તેવી શક્યતા છે, ભારતમાં પહેલા થી જ રસીકરણ એક સરકારી કાર્યક્રમ રહ્યું છે અને મોટાભાગની રસી ઓ સરકાર દ્વારા મફતમાં જ આપવામાં આવે છે, એટલે આ રસી પણ મફતમાં જ મળે તેવી આશા રખાઈ રહી છે, પરંતુ આ વિષય કેન્દ્ર સરકાર નો કહી શકાય.
As soon as #COVID19 vaccine will be available for production at a mass scale, every person in Bihar will get free vaccination. This is the first promise mentioned in our poll manifesto: Union Minister Nirmala Sitharaman at the launch of BJP Manifesto for #BiharPollspic.twitter.com/x4VjVmkA3Q
રાષ્ટ્રીય સ્તરે રસી નું વિતરણ કેવી રીતે કરાય તેનું કોઈ જ ફ્રેમવર્ક હજુ જાહેર કરાયું નથી, ત્યારે ચૂંટણીની મોસમમાં કોઈ રાજ્યની સરકાર આવી રીતે વાયદા કરે તે વિવાદ ઉભો કરી શકે છે, ચૂંટણી પંચમાં પણ આ જ રીતે ફરિયાદ થઇ છે અને કેન્દ્રીય મંત્રી વિરુદ્ધ પગલાં લેવાની માંગણી થઇ છે.
વિરોધ પક્ષોને એક દર સતાવી રહ્યો છે કે અત્યારે કોરોના રસી સૌથી પહેલી જરૂરિયાતોમાંની એક છે અને જો જનતા ભાજપ ના આ વાયદાને માની લે છે તો ચૂંટણીમાં વિપક્ષના જીતવાની આશા ધૂંધળી બની શકે છે.