કોરોનાથી બચવા માટે સરકાર રસી લેવા માટે કહી રહી છે પરંતુ સામુદાયિક સ્વાસ્થ કેન્દ્રમાં ત્રણ વૃદ્ધ મહિલાઓને રેબિઝની રસી આપી દેવામાં આવી હતી.
કોરોનાની રસીની જગ્યાએ બીજી રસી લગાવી
ત્રણ મહિલાઓને એન્ટિ રેબીઝની રસી આપી
હાલત બગડતા હોસ્પિટલમાં ખસેડવામાં આવી
આવડી મોટી બેદરકારી સામે આવ્યા બાદ પરિવારના લોકો ભડકી ઉઠ્યા હતા અને સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓનું કહેવુ છે કે તપાસ કરાવીને કાર્યવાહી કરવામાં આવશે.
મળતી માહીતી અનુસાર ગુરુવારે સરાવજ્ઞાન નિવાસી સરોજ, સત્યવતી અને અનારકલી કોરોનાની રસી લેવા માટે પહોંચ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો છે કે જેવી આ મહિલાઓ ત્યાં પહોંચી કોરોનાની રસી આપવાને બદલે 10 રૂપિયાની સિરીંઝ મંગાવીને એન્ટી રેબિઝનું ઇન્જેક્શન આપીને રવાના કરી દીધા હતા. આરોપ છે કે સરોજની હાલત આ રસીના કારણે બગડી ગઇ હતી.
મહિલાને ચક્કર આવવા લાગ્યા અને બાદમાં ગભરામણ પણ થવા લાગી હતી. પરિવારજનોએ ઉતાવળમાં પ્રાઇવેટ ડૉક્ટરને બતાવ્યુ તો પ્રાઇવેટ ડૉક્ટર હેરાન થઇ ગયો હતો. પ્રાઇવેટ ડૉક્ટરે રિસીપ્ટ જોઇને કહ્યું કે તેમને કોરોના નહી પરંતુ એન્ટિ રેબીઝની રસી આપવામાં આવી છે. ત્રણેય મહિલાઓની તપાસ કરતા સ્વાસ્થ્ય કેન્દ્રના કર્મચારીઓની બેદરકારી સામે આવી હતી. જેના પર પિડીતા મહિલામા પરિવારજનોએ સીએમઓ શામલીને મામલાની ફરિયાદ કરતા કાર્યવાહી કરવાની માગ કરી છે.
ત્રણ વૃદ્ધ મહિલાઓને કોરોનાની જગ્યાએ એન્ટિ રેબિઝની વેક્સિન લગાવ્યાનો મામલો સામે આવ્યા બાદ કહ્યું કે તપાસ થયા બાદ કર્મચારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.
દેશમાં હાલની કોરોના સ્થિતિ
ભારતમાં એક દિવસમાં કોવિડ 19ના નવા 1,31,968 નવા કેસ સામે આવ્યા છે. દેશમાં ટોટલ કેસ 1,30,60,542 થઇ ગઇ છે. શુક્રવારે જાહેર કરેલ આંકડામાં 780 લોકોની મોત થયા બાદ 1,67, 642 થઇ ગઇ હતી. 18 ઓક્ટોબર બાદ આ સૌથી વધારે મામલા છે.
આંકડા અનુસાર, દેશમાં સતત 30 દિવસથી નવા કેસની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. તે સાથે એક્ટિવ કેસની સંખ્યા વધીને 9,79,608થઇ ગઇ છે. જે કુલ મામલાનો 7.5 ટકા છએ. 12 ફેબ્રુઆરીના રોજ સૌથી ઓછી સંખ્યા 1,35,926 એક્ટિ દર્દીઓ હતા.