દેશની પહેલી કોરોના વેક્સીન પર ચર્ચા માટે મેદાંતો હોસ્પિટલના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ડોક્ટર ત્રેહાને ગઈકાલે કહ્યું કે આજે દેશને માટે મહત્વનો દિવસ છે. સીરમ ઈન્સ્ટીટ્યૂટ જે વેક્સીન બનાવી રહ્યું છે તેને સ્ટોર કરવા માટે 2-8 ડિગ્રી સેન્ટિગ્રેડ તાપમાન જરૂર છે અને તેને ફ્રિઝમાં રાખી શકાય છે. આ સિવાય તેની કિંમત પણ ઓછી છે માટે તે આપણા માટે યોગ્ય છે.
કોવિશીલ્ડને લઈને ડો.ત્રેહાનનું મોટું નિવેદન
વેક્સીનની કિંમત ઓછી હોવાથી પોસાઈ શકે છે
સ્ટોરેજની સુવિધા પણ સરળતાથી થઈ શકે છે
ગઇકાલે કોરોના વેક્સીનની ખાસ બેઠક યોજાઇ જેમાં ઓક્સફર્ડની એસ્ટ્રાજેનેકેની કોરોના વેક્સીન કોવિશિલ્ડને ઈમરજન્સી અપ્રૂવલ આપવાનો વિચાર કરાયો છે. આ પછી સીરમ ઈન્સ્ટીટ્યૂટ દ્વારા બનાવેલી કોવિશિલ્ડને ઈમરજન્સી ઉપયોગની મંજૂરી અપાઈ છે. કોવિશિલ્ડને પેનલથી મંજૂરી માટે સિફારિશ મળી અને સાથે અંતિમ નિર્ણય DCGI દ્વારા લેવાશે.
કોરોના વેક્સીન આ કારણોથી યોગ્ય છેઃ ડો. ત્રેહાન
ડો. ત્રેહાને કહ્યું કે સીરમ ઇન્સ્ટીટ્યૂટ જે વેક્સીન બનાવી રહ્યું છે તેની સ્ટોરેજની ક્ષમતા 2-8 ડિગ્રી સેન્ટીગ્રેડ છે એટલે કે તમે તેને ફ્રિઝમાં પણ રાખી શકો છો અને સાથે તેની કિંમત પણ ઓછી છે આ સાથે તેની પ્રોડક્શનની કેપેસિટી પણ એટલી છે કે તેના પૂરતા પ્રમાણમાં ડોઝ મળી શકે છે. હિદુસ્તાનની વાત કરીએ તો 100 કરોડથી વધારે ડોઝ જોઈશે આ માટે આ વેક્સીન સારી છે. તેનું અપ્રૂવલ મળવામાં 2-4 દિવસનો સમય લાગશે અને પછી પ્રક્રિયા શરૂ કરાશે. સૌથી વધારે ખતરામાં રહેતા ફ્રંટલાઈન વર્કર્સ અને સાથે વૃદ્ધો અને ગંભીર બીમારીથી પીડાતી વ્યક્તિઓે પ્રાથમિકતા અપાશે. વેક્સીન આવ્યા બાદ 3-6 મહિનામાં મોટી રાહત મળી શકે છે.
વેક્સીન ડ્રાઈવને લઈને જણાવ્યું પ્લાનિંગ
વેક્સીનેશન ડ્રાઈવ પર વાત કરીએ તો ડો. ત્રેહાને કહ્યું કે હિંદુસ્તાનને માટે આવું પહેલી વાર નથી જ્યારે પહેલી વાર આવી ડ્રાઈલ ચાલી રહી હોય. અનેક વાર અનેક વાયરસને માત આપવામાં આવી છે. ભારતમાં તેના માટે અનેક દિવસોથી તૈયારી ચાલી રહી છે. ભારત બાયોટેકનો ડેટા પણ ચકાસવામાં આવી રહ્યો છે. તેને પરમિશન મળતાં મોટી રાહત મળશે. ડો. ત્રેહાને કહ્યું કે ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં સરકારનું મોટું યોગદાન છે. શરૂઆતમાં સરકાર નક્કી કરશે કે ક્યાં વેક્સીન સ્ટોર થશે અને ક્યાં સપ્લાય થશે. આવનારા સમયમાં વેક્સીનના ડોઝ વધશે તો પબ્લિક ચોઈસ આપી શકાશે.
જલ્દી અન્ય 2 વેક્સીન પણ અપ્રૂવ થવાની આશાઃ ગુલેરિયા
એમ્સના નિર્દેશક ડો. રણદીપ ગુલેરિયાએ કહ્યું કે નવા વર્ષની સાથે જ આ સારા સમાચાર છે. હવે આપણું અન્ય પગલું વેક્સીનને દેશના લોકોને કેવી રીતે આપવી તે રહેશે. વેક્સીન અપ્રૂવ થતાં 2 વેક્સીન અને ફાઈનલ ફેઝમાં છે તે પણ અપ્રૂવ થશે. તેનાથી નંબર ઓફ ડોઝ વધશે અને સાથે દરેક લોકોને વેક્સીન લગાવવામાં સરળતા રહેશે. તેઓએ કહ્યું કે વેક્સીન બનાવવામાં એક તો એન્ટીજન જેને વાયરસથી લેવામાં આવે છે અને જે શરીરમાં એન્ટીબોડીઝ ડેવલપ કરે છે. કોરોનામાં તેના એન્ટીજન છે તે સ્પાઈક પ્રોટીનનો એક ભાગ છે. તેનાથી બોડીમાં એન્ટીબોડીઝ બનશે. અન્ય પ્લેટફોર્મમાં જેની મદદથી તે અંદર જાય છે અને નવું પ્લેટફોર્મ જેને આપણે મેસેન્જર આરએનએ પ્લેટફોર્મ કહીએ છીએ. જે શરીરમાં સેલને સ્ટિમિલેટ કરે છે અને સ્પાઈક પ્રોટીન બનાવીને એન્ટીબોડીઝ બને છે.