દેશમાં ઝડપથી વધી રહેલા કોરોના વાયરસના સંક્રમણની વચ્ચે આજથી કોરોના વેક્સીનનું હ્યુમન ટ્રાયલ શરૂ કરાશે, આ વેક્સીનને ફાર્માસ્યૂટિકલ કંપની ભારત બાયોટેક તૈયાર કરી રહી છે. મળતી માહિતી અનુસાર જો બધું યોગ્ય રહેશે તો કોવૈક્સીનને જલ્દી જ બજારમાં લાવવામાં આવશે, વેક્સીનના ટ્રાયલ માટે દેશની 12 સંસ્થાઓને પસંદ કરવામાં આવી છે જેમાંથી એક પટના એમ્સ છે.
ભારતમાં આજથી કોવૈક્સીનનું થશે હ્યુમન ટ્રાયલ
ત્રણ ફેઝમાં થશે વેક્સીનનું ટ્રાયલ
દેશની 12 સંસ્થાઓમાં કરવામાં આવશે વેક્સીનનું ટ્રાયલ
આ રીતે કરાશે કોવૈક્સીનનું ટ્રાયલ
વેક્સીનનું ટ્રાયલ કુલ 3 ફેઝમાં કરવામાં આવશે. પહેલા ફેઝમાં સુરક્ષાની સાથે ઓછા લોકો પર ટ્રાયલ કરાશે. સફળતા મળતાં જ બીજા અને ત્રીજા સ્ટેજમાં પટના એમ્સના ડોક્ટર અને વેક્સીન બનાવનારી કંપનીની સાથે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગના અધિકારી અને વૈજ્ઞાનિકોની ટીમના નેતૃત્વમાં ટ્રાયલ કરાશે.
વેક્સીન સાથે આ ખાસ વાતો સંકળાયેલી છે
પહેલા ફેઝમાં 125 લોકો પર કરાશે ટ્રાયલ
કોવૈક્સીનનું હ્યૂમન ટ્રાયલ ત્રણ ફેઝમાં કરાશે. આ ત્રણેય ફેઝને માટે 375 લોકો પર ટેસ્ટ કરાશે. પહેલાં ફેઝમાં આજથી 125 લોકો પર કોવૈક્સીનનું ટ્રાયલ કરાશે. દરેકને વેક્સીનના 2 ડોઝ અપાશે. પહેલો ડોઝ આજે અપાશે અને બીજો ડોઝ 14 દિવસ બાદ આવશે. ત્યારબાદ આ દરેક લોકોની તપાસ કરાશે. જો બધું બરાબર રહેશે તો આ પ્રક્રિયાને આગળ વધારી શકાશે.
3 ઓગસ્ટ સુધી પૂરો થશે પહેલો ફેઝ
વેક્સીનને ફાર્માસ્યૂટિકલ કંપની ભારત બાયોટેકના આધારે આજે જો કોઈ વેક્સીન અપાશે તો તેને આ વેક્સીનનો બીજો ડોઝ 14 દિવસ બાદ આપવામાં આવશે. આ રીતે પહેલો ફેઝ પૂરો થવામાં 28 દિવસનો સમય લાગશે. એવામાં 3 ઓગસ્ટે કોવૈક્સીનનો પહેલો ફેઝ પૂરો કરી શકાશે.
12 સંસ્થાઓમાં એક સાથે શરૂ કરાશે ટ્રાયલ
ICMRએ ફાર્માસ્યૂટિકલ કંપની ભારત બાયોટેકની તરફથી તૈયાર કરાયેલી કોવૈક્સીનના ટ્રાયલ માટે 12 સંસ્થાઓને પસંદ કરી છે. તેમાં દિલ્હી અને પટનાની એમ્સ પણ સામેલ છે. ICMRએ કહ્યું કે મોટા પાયે સાર્વજનિક સ્વાસ્થ્યના હિતમાં વેક્સીનને જલ્દી લોન્ચ કરવું જરૂરી છે. પરંતુ તેના માટે કોઈના સ્વાસ્થ્યની સાથે બેદરકારી કરવામાં આવશે નહીં.
અનેક મોટી બીમારીઓની વેક્સીન બનાવી ચૂકી છે ભારત બાયોટેક
ભારત બાયોટેકની તરફથી બનાવવામાં આવેલી પહેલાંની વેક્સીન દુનિયાભરના દેશોમાં જાય છે. આ કંપનીએ અગાઉ પોલિયો, રેબિઝ, ચિકનગુનિયા, જાપાની ઈનસેફ્લાઈટિસ, રોટાવાયરસ અને ઝિકા વાયરસની વેક્સીન પણ બનાવી છે.
ભારત બાયોટેક સિવાય જાઈકોવ ડીને પણ મળી મંજૂરી
અમદાવાદની કંપની ઝાયડસ કેડિલા હેલ્થ કેર લિમિટેડ ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાએ પણ કોરોનાની વેક્સીન તૈયાર કરી છે. જાઈકોવ ડી વેક્સીનના ફેઝ 1 અને ફેઝ 2ના હ્યુમન ટ્રાયલની પરમિશન મળી છે. કહેવાયું છે કે આ ક્લિનિકલ ટ્રાયલને પૂરું થવામાં 3 મહિનાનો સમય લાગશે, કંપનીનો દાવો છે કે તેની આ વેક્સીનનું જાનવરો પરનું પરીક્ષણ સફળ સાબિત થયું છે. તેના આધારે તેને અન્ય ફેઝની મંજૂરી મળી છે.
ઉંદર, સસલા પર કરાયેલું પરીક્ષણ રહ્યું સફળ
ભારત બાયોટેક અને ગુજરાતની કંપની ઝાયડસ કેડિલાની તરફથી તૈયાર કરાયેલી વેક્સીનને સૌ પહેલાં જાનવરો પર ટેસ્ટ કરાયો હતો. ઉંદરો અને સસલા પર કરાયેલો આ ટેસ્ટ સફળ રહ્યો અને તેના બાદ આઈસીએમઆર તરફથી આ વેક્સીનના હ્યુમન ટ્રાયલને મંજૂરી મળી.
સરકાર પણ વેક્સીનને લઈને કંઈ કરી રહી નથી
વિજ્ઞાન મંત્રાલયે પહેલાં કહ્યું હતું કે તેમાંથી કોઈ પણ વેક્સીન 2021 સુધી ઉપયોગમાં લેવાય તેવી કોઈ શક્યતા નથી. તેનાથી થોડા સમય બાદ તેને હટાવી લેવામાં આવી હતી. ભારતમાં આઈસીએમઆરે તેના પહેલાં 15 ઓગસ્ટ સુધીમાં રસી બનાવવાની વાત કરી હતી. તેને લઈને વિશેષજ્ઞોએ ઉતાવળથી બચવાની સલાહ આપી છે.