કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યુ કે પોલિયો અને ઓરીના વેક્સિનેશન કાર્યક્રમ વખતે પણ આ પ્રકારની અફવાઓ ઉડી હતી. કોરોના વેક્સિન સંપૂર્ણ રીતે સુરક્ષિત અને પ્રભાવી છે.
કોરોના વેક્સિનથી નપુંસકતા આવે છે?
કોરોના વેક્સિનને લઈને નિષ્ણાંતોએ શું આપ્યો જવાબ
અગાઉ પોલિયો અને ઓરીની વેક્સિન વખતે પણ અફવાઓ ઉડી હતી
કોરોના વેક્સિનને લઈને સતત ઘણા પ્રકારની અફવાઓ ફેલાઈ રહી છે. તેમાંથી એક એવી પણ અફવા છે કે તેને લગાવવાથી નપુંસકતા અને મહિલાઓમાં વંધ્યત્વ આવી જાય છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે સોમવારે જણાવ્યું કે તેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. વેક્સિન સુરક્ષિત અને પ્રભાવી છે. મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું છે કે મીડિયોમાં આવેલી ખબરોમાં કોવિડ-19 વેક્સિનેશનના કારણે પ્રજનન આયુના લોકોની વચ્ચે વંધ્યત્વને લઈને ચિંતા દર્શાવવામાં આવી છે .
ઓરી અને પોલિયો વખતે પણ ઉડી હતી આ પ્રકારની અફવાહ
મંત્રાલયે કહ્યું કે પાછલા ઘણા દિવસોમાં મીડિયામાં આવેલી એમુક ખબરોમાં નર્સો સહિત સ્વાસ્થ્ય કર્મિઓ અને અગ્રિમ મોર્ચાના કર્મિઓના એક વર્ગમાં વિવિધ અંધવિશ્વાસો અને અફવાઓએને દુર કરી હતી. પોલિયો અને ઓરી વખતે પણ વેક્સિનેશન વખતે આ પ્રકારની અફવાઓ ઉડી હતી.
પ્રજનન ક્ષમતાને પ્રભાવિત કરે છે કે નહીં?
મંત્રાલયે કહ્યું કે તેણે વેબસાઈટ પર પોસ્ટ કરવામાં આવેલા એફએક્યુમાં સ્પષ્ટ કહ્યું છે કે ઉપલબ્ધ વેક્સિનમાંથી કોઈ પણ પ્રજનન ક્ષમતાને પ્રભાવિત નથી કરતી. કારણ એ છે કે દરેક વેક્સિન અને તેના ઘટકોના પરીક્ષણ પહેલા જાનવરો અને બાદમાં મનુષ્યો પર કરવામાં આવે છે જેથી એવું જાણી શકાય કે તેનો કોઈ ખોટો પ્રભાવ તો નથી.
નિષ્ણાંતોએ શું કહ્યું?
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વેક્સિનને તેની સુરક્ષા અને પ્રભાવશીલતા સુનિશ્ચિત થયા બાદ જ ઉપયોગ માટે અધિકૃત કરવામાં આવે છે. નિવેદન અનુસાર, "ભારત સરકારે કોવિડ-19 વેક્સિનેશનના કારણે વંધ્યત્વ વિશે ઉડેલી અફવાઓને રોકવા માટે સ્પષ્ટતા આપવામાં આવી છે કે તેનું કોઈ વૈજ્ઞાનિક પ્રમાણ નથી કે કોવિડ-19 વેક્સિનેશન પુરુષો અને મહિલાઓમાં વંધ્યત્વનું કારણ બની શકે છે. વેક્સિન સુરક્ષિત અને પ્રભાવી જોવામાં આવી છે. "
સ્તનપાન કરતી મહિલાઓ માટે વેક્સિન કેટલી સેફ?
કોરોના વેક્સિનેશનને લઈને નિષ્ણાંતોએ એવું પણ કહ્યું છે કે સ્તનપાન કરાવતી દરેક મહિલાઓ માટે પણ કોવિડ-19 વેક્સિનેશનની ભલામણ કરવામાં આવી છે. નિષ્ણાંતોએ કહ્યું કે વેક્સિનેશન પહેલા અથવા પછી સ્તનપાનને રોકવાની કોઈ જરૂર નથી.