ભારતમાં કોરોના વાયરસ સામે વેક્સિનેશન પર મોટું અભિયાન ચાલી રહ્યું છે ત્યારે વેક્સિનનાં બુસ્ટર ડોઝને લઈને સરકાર દ્વારા મોટું નિવેદન સામે આવ્યું છે.
ભારતમાં હજુ કોરોના વાયરસનો કહેર
વાયરસ સામે વેક્સિન સૌથી મોટો હથિયાર
બુસ્ટર ડોઝને લઈને મોદી સરકારનું મોટું નિવેદન
દેશભર કોરોના વાયરસ સામે મોટા પાયે વેક્સિનેશન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ભારતમાં મોટા પાયે રસીકરણને લઈને આજે પીએમ મોદીનાં જન્મદિને નવો રેકોર્ડ સ્થાપિત થવા જઈ રહ્યો છે ત્યારે બુસ્ટર ડોઝને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયનું મોટું નિવેદન
ભારતમાં અત્યારે 18 વર્ષથી વધુ ઉંમરનાં લોકોને કોરોના વાયરસની વેક્સિન આપવામાં આવી રહી છે ત્યારે અમુક દેશોમાં વેક્સિનના બુસ્ટર ડોઝ આપવાની શરૂઆત થઈ ગઈ છે. ભારતમાં વેક્સિનનો બુસ્ટર ડોઝ ક્યારે આપવામાં આવશે તેને લઈને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા મોટું નિવેદન સામે આવી રહ્યું છે.
બુસ્ટર ડોઝ પર અત્યારે કોઈ ચર્ચા નહીં
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે ભારતમાં અત્યારે બધાને કોરોના વેક્સિનનાં બે ડોઝ આપવા એ જ પ્રાથમિકતા છે. સરકાર આ વર્ષનાં અંત સુધીમાં બધાને વેક્સિન આપી દેશે તે લક્ષ્ય છે જ્યારે બુસ્ટર ડોઝને લઈને કોઈ જ વૈજ્ઞાનિક ચર્ચા કેન્દ્રીય વિષયમાં નથી.
ગત 24 કલાકમાં 34,403 કોરોના નવા કેસ આવ્યા
ભારતમાં કોરોનાના મામલામાં રોજના આંકડા જોઈએ તો કોઈ ખાસ રાહત નથી આવી રહી. ગત 24 કલાકમાં દેશભરમાં 34,403 કોરોના મામલા જોવા મળી રહ્યા છે. જો કે આ દરમિયાન કુલ 37,950 લોકો સંપૂર્ણ સાજા થઈ ગયા છે. આ સમયે દેશમાં કોરોનાના 3, 39, 056 મામલા સક્રિય છે. દેશમાં કુલ 33 લાખ 81 હજાર 629 લોકો કોરોનાનો શિકાર થઈ ચૂક્યા છે. આ સ્થિતિનું સૌથી મોટું કારણ કેરળ પણ છે. અહીં કોરોનાના દૈનિક આંકડા 20 હજારની ઉપર બનેલા છે. દક્ષિણના રાજ્યોથી કોરોનાના સૌથી વધારે નવા મામલા સામે આવી રહ્યા છે. ત્યારે તમિલનાડુ અને આંધ્ર પ્રદેશમાં ગત અનેક દિવસોથી 1 હજારથી વધારે કેસ સામે આવી રહ્યા છે. જો કે આ તમામની વચ્ચે રિકવરી રેટ વધતા કોરોનાના એક્ટિવ કેસ ઘટ્યા છે. દેશમાં કોરોનાના રિકવરી કેસ 97.65 ટકા પર છે. ત્યારે કુલ મામલાના 1.02 ટકા કેસ સક્રિય છે.
કેરળમાં સૌથી વધારે કોરોનાનો કેર
કોરોનાનો સૌથી ખરાબ કેર કેરળમાં વર્તાઈ રહ્યો. અહીં ગુરુવારે કોરોનાના સંક્રમણના 22, 182 નવા મામલા સામે આવ્યા તથા મહામારીથી 178 અને દર્દીના મોત થયા છે. આની સાથે કુલ મામલા વધીને 44, 46, 228 થઈ ગયા અને મૃતકોની સંખ્યા 23, 165 પર પહોંચી ગઈ છે.