કોરોના વેક્સિનને લઇને PM મોદી સોમવારે દેશના તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજવાના છે. આ વચ્ચે રસીકરણને લઇને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. દેશભરમાં 16 જાન્યુઆરીથી રસીકરણ શરૂ થશે. ઉલ્લેખનીય છે કે, દેશમાં વેક્સિનેશનને લઈને તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.
પ્રધાનમંત્રીએ આજે ઉચ્ચસ્તરીય બેઠક યોજી
16 જાન્યુઆરીથી શરૂ થશે રસીકરણઃ ભારત સરકાર
ભારતના વેક્સીન પર દુનિયાની નજર: PM મોદી
કોરોના મહામારી સામે લડવા માટે ભારત તૈયાર થઇ ચૂક્યું છે. આગામી 16 જાન્યુઆરીથી દેશભરમાં રસીકરણ શરૂ થઇ જશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કોરોનાની સ્થિતિની સમીક્ષા માટે ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. જે બેઠકમાં કેબિનેટ સચિવ, પ્રધાનમંત્રીના મુખ્ય સચિવ, આરોગ્ય સચિવ અને અન્ય અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.
16 જાન્યુઆરીથી શરૂ થશે રસીકરણઃ ભારત સરકાર
આ બેઠકમાં કોરોનાના રસીકરણ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. જેમાં 16 જાન્યુઆરી 2021થી રસીકરણ ઝુંબેશ શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. હેલ્થકેર અને ફ્રન્ટલાઇન વર્કરોને અગ્રતા આપવામાં આવશે, જેમાં અંદાજે 3 કરોડ જેટલા લોકોને રસી આપવામાં આવશે. ત્યારબાદ 50 વર્ષથી વધુ ઉંમર અને 50 વર્ષથી ઓછી ઉંમરના જેઓ ગંભીર બિમારથી પીડીત છે જેમની સંખ્યા 27 કરોડ છે.
આજે પ્રવાસી ભારતીય સંમેલનમાં PM મોદીએ કર્યું હતું સંબોધન
આ બેઠક અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 16મા પ્રવાસી ભારતીય સંમેલનને સંબોધન કરતા કહ્યું કે આજે નવી પેઢી ભલે થોડી દૂર થઇ ગઇ હોય પરંતુ તેમનો લગાવ ભારત સાથે વધ્યો છે. પીએમ મોદીએ કહ્યું આ વખતે કોરોનાકાળમાં દેશના લોકોએ શાનદાર કામ કર્યું છે અને આ લોકોએ આસપાસના લોકોને મદદ કરતા જોવા મળ્યાં.
ભારતના વેક્સીન પર દુનિયાની નજર
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે ભારતની વેક્સીનને લઇને દુનિયાભરના લોકો રાહ જોઇ રહ્યાં છે. પીએમ મોદીએ કહ્યું કે ભારતના સામર્થ્યનો લાભ દરેક વ્યક્તિને મળે છે. તે સિવાય પીએમ મોદીએ જાણકારી આપી કે કોવિડ-19ના સમયમાં નવા ટેક સ્ટાર્ટએપ્સ ભારતથી જ નીકળીને આવ્યાં છે.
સોમવારે પ્રધાનમંત્રી મોદી તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે યોજશે બેઠક
કોરોના વેક્સિનને લઇને PM મોદી સોમવારે દેશના તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજવાના છે. આ બેઠક સોમવારે સાંજે 4 કલાકે યોજાશે. આ બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે કોરોના રસીનો પ્રથમ જથ્થો દિલ્હી સહિત દેશના ઘણા ભાગોમાં પહોંચવાનો છે. 16 જાન્યુઆરીથી કોરોના રસીની રસીકરણ પણ થઈ જશે.
3 કરોડ આરોગ્ય કર્મચારીઓ અને ફ્રન્ટલાઈન કામદારો નિ:શુલ્ક રસી અપાશે
કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે 3 કરોડ આરોગ્ય કર્મચારીઓ અને ફ્રન્ટલાઈન કામદારો નિ:શુલ્ક રસી આપવામાં આવશે. પરંતુ પહેલા તબક્કામાં રસી અપાવનારી બાકીના 27 કરોડ લોકોને રસી મફત મળશે કે નહીં તે અંગે કોઈ સ્પષ્ટતા નથી. 50 વર્ષથી વધુ વયના લોકો માટે રસીકરણ અને ગંભીર રોગોથી પીડાતા કેન્દ્ર અથવા રાજ્ય સરકાર દ્વારા ઉઠાવવામાં આવશે, આ અંગે સોમવારની બેઠકમાં ચર્ચા થઈ શકે છે.
દેશમાં કોરોનાના વેક્સીનેશનના કાર્યક્રમને શરૂ થતા પહેલાં આજે 8 જાન્યુઆરીએ મોટું રિહર્સલ છે. દેશના 736 જિલ્લામાં આજે ડ્રાય રન કરાશે. આ પહેલાં 28 અને 29 ડિસેમ્બરે 4 રાજ્યોમાં 2 દિવસને માટે ડ્રાય રન કરાયું હતું. ત્યારબાદ 2 જાન્યુઆરીએ દરેક રાજ્યોમાં ડ્રાય રન શરૂ કરાયું અને હવે 33 રાજ્યો (હરિયાણા, હિમાચલ અને અરુણાચલને છોડીને) કેન્દ્રશાસિત પ્રદેશોમાં વેક્સીનનું ફરીથી ડ્રાય રન શરૂ થઈ રહ્યું છે.