કોરોના ટાસ્ક ફોર્સના પ્રમુખ ડો. વીકે પોલે કહ્યું કે ભારતનું ધ્યાન હાલ દેશમાં વયસ્ક વસ્તીનાં સંપૂર્ણ રસીકરણ પર છે. હાલ બૂસ્ટર ડોઝને લઈને કોઈ વિચાર નથી કરાઈ રહ્યો.
ભારતનું ધ્યાન હાલ દેશમાં વયસ્ક વસ્તીનાં સંપૂર્ણ રસીકરણ પર
હાલ બૂસ્ટર ડોઝને લઈને કોઈ વિચાર નથી કરાઈ રહ્યો- પોલ
બૂસ્ટર ડોઝ હજું પણ રિસર્ચનો વિષય છે
ભારતનું ધ્યાન હાલ દેશમાં વયસ્ક વસ્તીનાં સંપૂર્ણ રસીકરણ પર
કોરોના વાયરસ સંક્રમણની વિરુદ્ધ મહત્વનું હથિયાર મનાતી કોરોનાની રસીએ ગુરુવારે 100 કરોડ ડોઝને પર થઈ એક સિદ્ધિ મેળવી છે. તેવામાં હવે બૂસ્ટર ડોઝને લઈને ચર્ચા જોર પકડી રહી છે. આ ચર્ચાની વચ્ચે કોરોના ટાસ્ક ફોર્સના પ્રમુખ ડો. વીકે પોલે કહ્યું કે ભારતનું ધ્યાન હાલ દેશમાં વયસ્ક વસ્તીનાં સંપૂર્ણ રસીકરણ પર છે. તેમણે કહ્યું કે અત્યાર સુધી આપણી પાસે બૂસ્ટર ડોઝની અસર સાથે જોડાયેલો કોઈ ડેટા ઉપલબ્ધન નથી. એટલા માટે ભારત હાલ બૂસ્ટર ડોઝને લઈને કોઈ વિચાર નથી કરાઈ રહ્યો.
હાલ બૂસ્ટર ડોઝને લઈને કોઈ વિચાર નથી કરાઈ રહ્યો- પોલ
પોલે જણાવ્યું કે ભારતમાં અત્યાર સુધી કોરોનાની રસીના બૂસ્ટર ડોઝની ભલામણ કરવાની જરુરીયાતો પર વિચાર નથી કરી રહ્યા. કેમ કે આ હજું પણ રિસર્ચનો વિષય છે. પોલે કહ્યું કે હજું ઘણા દેશો બૂસ્ટર ડોઝ નથી આપી રહ્યા. ત્યાં સુધી કે અમેરિકન એજન્સીઓની સલાહ પણ બૂસ્ટર ડોઝને લઈને મળતી આવે છે. ડો. પોલે કહ્યું કે બૂસ્ટર ડોઝને લઈને હજુ વૈશ્વિક ભલામણ નથી કરવામાં આવી રહી.
બૂસ્ટર ડોઝ હજું પણ રિસર્ચનો વિષય છે
ડો. પોલે કહ્યું કે બૂસ્ટર ડોઝના મામલાને અનેક રીતે જોવી જોઈએ. સૌથી પહેલા આપણે એ જોવું જોઈએ કે રસીને લીધા બાદ કોઈ પણ વ્યક્તિમાં ઈમ્યુનિટી ક્યારે અને કેટલી હોય છે અને પછી તેને બૂસ્ટર ડોઝ આપવામાં આવે છે તો તેને કેટલી મદદ મળે છે. આ નિર્ણય પોતાની રસી અને ઘણાનું સાયન્સની દ્રષ્ટિએ નથી થયું. ત્યાં સુધી કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પર યુનિવર્સલ બૂસ્ટર ડોઝ આપવાની ભલામણ નથી કરતું. અનેક દેશોને બૂસ્ટર ડોઝ આપવાનું શરુ કરી દીધુ હતુ. પરંતુ ત્યાં પણ આને લઈને વિવાદ છે.
ભારત સરકાર અને ટેક્નિકલ ટીમનું આના પર સંપૂર્ણ ધ્યાન છે. જોકે બૂસ્ટરની પહેલા તમામ લોકોને રસી લાગવા પર ફોકસ કરાઈ રહ્યું છે. અમારો પ્રયાસ છે કે દેશના તમામ વ્યક્તિને કોરોનાની રસી લાગે.