આ વર્ષે 3 જાન્યુઆરીથી 15થી 18 વર્ષના બાળકોના રસીકરણની શરુઆત થઈ હતી. હવે માર્ચથી 12થી 15 વર્ષના બાળકો માટે રસીકરણ અભિયાન શરુ થશે.
માર્ચથી 12થી 15 વર્ષના બાળકો માટે રસીકરણ અભિયાન શરુ થશે
અત્યાર સુધીમાં 3.31 કરોડ બાળકોને લાગી ચૂકી છે રસી
સરકાર માટે પ્રાથમિકતામાં છે કિશોર
માર્ચથી 12થી 15 વર્ષના બાળકો માટે રસીકરણ અભિયાન શરુ થશે
ભારતમાં રસીકરણ અભિયાનની શરુઆતને એક વર્ષ પુરુ થઈ ચુક્યું છે. અત્યાર સુધીમાં દુનિયામાં સૌથી વધારે રસી 1 અબર 56 કરોડ ડોઝ અપાઈ ચૂક્યા છે. આ વર્ષે 3 જાન્યુઆરીથી 15થી 18 વર્ષના બાળકોના રસીકરણની શરુઆત થઈ હતી. હવે માર્ચથી 12થી 15 વર્ષના બાળકો માટે રસીકરણ અભિયાન શરુ થશે. આ જાણકારી કોરોના પર બનેલા નેશનલ ટેક્નિકલ એડવાયજરી ગ્રુપ ઓન ઈમ્યુનાઈઝેશનના ચેરમેન ડો. એન કે અરોડાએ આપી છે. અરોડાએ કહ્યું છે કે ફેબ્રુઆરીના અંત અથવા માર્તની શરુઆતથી 12થી 15 વર્ષના બાળકો આપવામાં આવશે.
3.31 કરોડ બાળકોને લાગી ચૂકી છે રસી
બાળકો માટે 3 જાન્યુઆરીથી શરુ થયેલા રસીકરણ અભિયાન અંતર્ગત 15થી 18 વર્ષના 3.31 કરોડ બાળકોને અત્યાર સુધી રસીનો પહેલો ડોઝ અપાઈ ચૂક્યો છે. આંકડા મુજબ 13 દિવસમાં આ ઉંમરના 45 ટકા બાળકો કવર થઈ ચૂક્યા છે. ડો. અરોડાએ કહ્યું કે 15થી 17 ની ઉંમરના દેશમાં 7.4 કરોડ બાળકો છે. અમારો હેતુ આ તમામને જાન્યુઆરીના અંત સુધીમાં રસીનો પહેલો ડોઝ ઉપલબ્ધ કરાવવાનો છે. આ બાદ અમે બીજા ડોઝ માટે ફેબ્રુઆરીમાં અભિયાન ચલાવશું. ફેબ્રુઆરીના અંત સુધીમાં બીજા ડોઝનું લક્ષ્ય પુરુ કરીશુ. એટલા માટે અમે ઈચ્છીએ છીએ કે 12થી 14 વર્ષની વચ્ચેના બાળકોને ફેબ્રુઆરીના અંત અથવા માર્ચના પહેલા અઠવાડિયામાં રસી આપવી શરુ થઈ જશે.
સરકાર માટે પ્રાથમિકતામાં છે કિશોર
ડો. એન કે અરોડાએ કહ્યું કે 12થી 17 વર્ષના બાળકો માટે ઘણી હદ સુધી એડલ્ટ જેવા હોય છે. એટલા માટે કોરોનાની સામે સુરક્ષા પ્રદાન કરવી બહું જરુરી છે. આ ઉંમરના બાળકો ઘણા ગતિશીલ હોય છે અને તેમને આમતેમ વધારે કરવું પડે છે. તેમને સ્કૂલ, કોલેજ, મિત્રોથી મળવા જવાનું હોય છે. એટવા માટે તેમને સંક્રમણનો ખતરો વધારે છે. ઓમિક્રોન આવ્યા બાદ જોખમ વધી ગયું છે. એટલા માટે સરકાર આ બાળકોને પ્રાથમિક્તામાં લઈ રહી છે અને તેમને જલ્દીથી જલ્દી રસી કવરેજ હેઠળ લાવવા માંગે છે. ઈન્ડિયન એકેડમી ઓફ પેડએટ્રિક્સના પૂર્વ અધ્યક્ષ ડો. પ્રમોદ જોગે જણાવ્યું કે સરકારે કોઈ બિમારીથી પીડિત 5થી 14 વર્ષના બાળકોના રસીકરણના દાયરામાં લવવા જોઈએ.