નરેન્દ્ર મોદી બુધવારે રસીકરણની સમીક્ષા બેઠક કરશે. ત્યારે બપોર 12 વાગે 40 જિલ્લાના ડીએમની સાથે વીડિયો કોન્ફ્રેન્સિંગના માધ્યમથી વાતચીત કરશે.
નરેન્દ્ર મોદી બુધવારે રસીકરણની સમીક્ષા બેઠક કરશે
ઓછા રસીકરણ વાળા જિલ્લાના 40થી વધારે જિલ્લાના જિલ્લાધિકારીઓની સાથે વાતચીત કરશે
મંગળવારે સાંજ સુધી લગભગ 37,38,574 ડોઝ આપવામાં આવ્યા
નરેન્દ્ર મોદી બુધવારે રસીકરણની સમીક્ષા બેઠક કરશે
કોરોના વાયરસથી લોકોને બચાવવા માટે દેશમાં મોટા સ્તરે રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર મંગળવાર સુધીમાં ભારતમાં 107 કરોડથી વધારે રસીના ડોઝ આપાઈ ચૂક્યા છે. આ દરમિયાન નરેન્દ્ર મોદી બુધવારે રસીકરણની સમીક્ષા બેઠક કરશે. ત્યારે બપોર 12 વાગે 40 જિલ્લાના ડીએમની સાથે વીડિયો કોન્ફ્રેન્સિંગના માધ્યમથી વાતચીત કરશે.
ઓછા રસીકરણ વાળા જિલ્લાના 40થી વધારે જિલ્લાના જિલ્લાધિકારીઓની સાથે વાતચીત કરશે
પીએમ મોદી જે 40 જિલ્લાના ડીએમ સાથે વાત કરશે. ત્યાં કોરોના રસીકરણનો આંકડો ઓછો છે. પીએમ બુધવારે ઝારખંડ, મણિપુર, નાગાલેન્ડ , અરુણાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર, મેઘાલય સહિત અન્ય રાજ્યોમાં ઓછા રસીકરણ કવરેજ વાળા જિલ્લામાં જિલ્લાધકારીઓ સાથે વાતચીત કરી આ વિષય પર ચર્ચા કરશે. આ દરમિયાન આ તમામ રાજ્યોના સીએમ પણ હાજર રહેશે. મનાઈ રહ્યું છે કે ઓછા રસીકરણ અભિયાનમાં તેજી લાવવાની રણનીતિ પર ચર્ચા થશે.
મંગળવારે સાંજ સુધી લગભગ 37,38,574 ડોઝ આપવામાં આવ્યા
ત્યારે સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાનુંસાર દેશમાં મંગળવાર સુધી કોરોનાના 107 કરોડથી વધારે ડોઝ અપાઈ ચૂક્યા છે. મંત્રાલયે કહ્યું કે મંગળવારે સાંજ સુધી લગભગ 37,38,574 ડોઝ આપવામાં આવ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ સોમવારે કહ્યુ હતુ કે ભારતની 78 ટકા વસ્તીને કોરોના રસીનો પહેલો ડોઝ જ્યારે 38 ટકા બન્ને ડોઝ અપાઈ ચૂક્યા છે. મંત્રાલયે એમ પણ કહ્યું કે દેશમાં નબળી જનસંખ્યા સમૂહોને કોરોનાથી બચાવવા માટે હથિયારના રુપમાં રસીકરણ કવાયદની નિયમિત રુપથી સમીક્ષા અને ઉચ્ચતમ સ્તર પર નજર રાખવામાં આવી રહી છે.
દેશમાં કોરોનાના કુલ મામલા 3,42,96,237 થઈ ચૂક્યા
આની સાથે દેશમાં મંગળવારે 10,423 નવા મામલા સામે આવ્યા છે. આ સાથે જ 15, 021 દર્દી સ્વસ્થ થઈ ગયા હતા. મોતના આંકડા પર નજર કરીએ તો 24 કલાકમાં 443 દર્દીના મોત થયા છે હતા. કેન્દ્ર સરકાર દ્વારા જારી આંકડા મુજબ દેશમાં કોરોનાના કુલ મામલા 3,42,96,237 થઈ ચૂક્યા છે. સાથે એક્ટિવ કેસ 1,53,776 છે. જે 250 દિવસની સરખામણીમાં સૌથી ઓછા છે. સાજા થનારાની સંખ્યા 3,36,83,581 છે. આ સંક્રમણે અત્યાર સુધીમાં 4,58,880 લોકોના જીવ લીધા છે. કોરોનાના નવા મામલામાં દૈનિક વૃદ્ધિ ગત 25 દિવસોમાં 20 હજારથી ઓછા છે અને રોજના નવા મામલા અત્યાર સુધીમાં 128 દિવસોથી 50 હજારના આંકડાની નીચે રહી રહ્યા છે.