ઈન્દોર જિલ્લામાં એક દિવસમાં 2 લાખ 23 હજારથી વધારે લોકોને રસી અપાઈ.
ઈન્દોર દેશનો પહેલો જિલ્લો બન્યો છે
એક 2 લાખ 23 હજારથી વધારે લોકોને રસી અપાઈ
જિલ્લામાં એક હજારથી વધારે રસીકરણ કેન્દ્ર બનાવવામાં આવ્યા
રસી લેનારને આપવામાં આવી બસ ટિકિટથી માંડી ફ્રીજ સુધીની ગીફ્ટ
ઈન્દોર જિલ્લામાં 2 લાખ 23 હજારથી વધારે લોકોને રસી અપાઈ
દેશમાં સ્વસ્છતાના મામલામાં નંબર 1 રહ્યા બાદ હવે ઈન્દોરમાં સોમવારે ફરી એક નવો ઈતિહાસ રચ્યો છે. એક દિવસમાં સૌથી વધારે રસીકરણ કરનારામાં ઈન્દોર દેશનો પહેલો જિલ્લો બન્યો છે. ઈન્દોર જિલ્લામાં સોમવારે રસીકરણમાં 2 લાખ 23 હજારથી વધારે લોકોને રસી અપાઈ છે. આ સંખ્યા હજું વધી શકે છે.
મંત્રીએ ઈન્દોરની જાગૃત જનતાનો આભાર વ્યક્ત કરતા કહ્યું...
આ મહત્વપૂર્ણ ઉપલબ્ધિને મેળવવા પર મંત્રી તુલસી સિલાવટે તથા કલેક્ટર મનીષ સિંહે તમામ સંસ્થા, રસીકરણમાં જોડાયેલા લોકો સહિત તમામનો આભાર વ્યક્ત કર્યો છે. સિલાવટે ખાસ કરીને ઈન્દોરની જાગૃત જનતાનો આભાર વ્યક્ત કરતા કહ્યુ કે આ બધાના સક્રિય સહયોગથી આ ગૌરવપૂર્ણ ઉપલબ્ધિ મળી છે. કોરોનાને હરાવનારા પ્રધાનમંત્રીના સંકલ્પને પૂરો કરવા માટે સીએમ શિવરાજ સિંહના નેતૃત્વમાં તથા નિર્દેશનમાં આ ઉપલબ્ધી મળી છે. જે કોરોનાને હરાવવામાં કારગત સાબિત થશે. અમારું લક્ષ્ય ઈન્દોર જિલ્લાને 100 ટકા રસીકરણ કરવાનું છે.
રસીકરણ કેન્દ્ર પર બે -બે ઓપરેટર તૈનાત કરવામાં આવ્યા
ઓછા સમયમાં વધારે રસીકરણ માટે પ્રત્યેક રસીકરણ કેન્દ્ર પર બે -બે ઓપરેટર તૈનાત કરવામાં આવ્યા હતા. રસી લગાવનાર સ્ટાફને વિશેષ તાલિમ અપાઈ હતી. સમાજના દરેક વર્ગની બેઠક કરી તેમની સાથે સંવાદ કર્યો અને કાર્યક્રમમાં સહયોગ આપવા માટે તેને સફળ બનાવવા માટે આગ્રહ કર્યો છે. ધર્મગુરુઓના સંદેશનું પણ વિશેષ પ્રભાવ જોવા મળ્યો હતો.
જિલ્લામાં એક હજારથી વધારે રસીકરણ કેન્દ્ર બનાવવામાં આવ્યા
જિલ્લામાં રસીકરણ અભિયાનની વિભિન્ને વ્યવસ્થાઓ લોકતંત્રના મહોત્સવ તરીકે સ્વીકાર્યો. જિલ્લામાં એક હજારથી વધારે રસીકરણ કેન્દ્ર બનાવવામાં આવ્યા. વ્યવસ્થાઓ પર નજર રાખવા માટે રસીકરણ કેન્દ્ર પર આવનારી સમસ્યાઓના નિરાકરણ માટે એઆઈસીટીએસએલ ઓફિસરમાં સર્વસુવિધાયુક્ત કન્ટ્રોલ રુમ સ્થાપિત કરવા આવ્યા.
રસી લેનારને આપવામાં આવી બસ ટિકિટથી માંડી ફ્રીજ સુધીની ગીફ્ટ
ઈન્દોરમાં કોવિડ -19ની વિરુદ્ધ સોમવારે શરુ થયેલા રસીકરણ મહાઅભિયાનને પ્રોત્સાહિત કરવા માટે કારોબારી સંગઠન અને ઉદ્યોગપતિઓ રસી લગાવનારા લોકોને અનેક પ્રકારની ગીફ્ટ આપી રહ્યા છે. આ ગીફ્તમાં બસની ટિકિટથી લઈને રેફ્રિજરેટર સુધી સામેલ છે. પ્રાઈમ રુટ બસ ઓનર્સ અસોશિયેશનના અઘ્યક્ષ ગોવિંદ શર્માને જણાવ્યું છે કે શહેરના નવલખા બસ સ્ટેન્ડ પર બનાવવામાં આવ્યા કેન્દ્રમાં રસી લગાવનાર પ્રવાસીઓને એક વાર સફર માટે મફત ટિકીટ આપી રહ્યા છે.