દેશમાં 3 જાન્યુઆરીથી 15થી 18 વર્ષના તરૂણોને કોરોના વેક્સીન આપવામાં આવશે.
વેક્સીનને લઈને દરેક પ્રશ્નોના જવાબ
જાણો બાળકો માટે કેટલી સુરક્ષિત વેક્સીન
કઈ ઉંમરમાં બાળકોએ લેવી જોઈએ વેક્સીન?
દેશમાં વધી રહેલા કોરોના વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રોનના ખતરાની વચ્ચે દેશમાં 15થી 18 વર્ષના બાળકોનું વેક્સીનેશન શરૂ થવા જઈ રહ્યુ છે. 15 વર્ષથી ઉપરના બાળકોનું વેક્સીનેશન 3 જાન્યુઆરીથી શરૂ થશે. બાળકો માટે ભારત બાયોટેકની કોવેક્સીન અને ઝાયડસ કેડિલાની ઝાયકોવ-ડીને મંજૂરી મળી ચુકી છે. આવતા અઠવાડિયાથી શરૂ થવા જઈ રહેલા બાળકોના વેક્સીનેશન સાથે જોડાયેલા દરેક મોટા સવાલના જવાબ અહીં જાણો.
રજીસ્ટ્રેશન ક્યારથી ?
વેક્સિન લેવા ઇચ્છતા કિશોરોનું રજીસ્ટ્રેશન પણ CoWIN એપ પર કરાવવાનું રહેશે. નેશનલ હેલ્થ ઓથોરોટીના CEO ડો. આર એસ શર્માએ માહિતી આપતા જણાવ્યું હતું કે 1 જાન્યુઆરી 2022 થી 15 થી 18 વર્ષની ઉંમરના બાળકો માટે રજીસ્ટ્રેશન શરૂ થઈ જશે.
10 માં ધોરણની માર્કશીટથી પણ થઈ શકશે વેકસીનેશન.
CoWIN પર રજીસ્ટ્રેશન માટે 10 માં ધોરણની માર્કશીટ પણ લગાવી શકાશે કારણ કે ઘણા બાળકો પાસે પોતાનું આધાર કાર્ડ કે બીજું ઓળખ માટેનો પુરાવો ન હોય તો તેનું વેકસીનેશન અટકી ન પડે.
PM મોદીએ 25 ડિસેમ્બરે 15 થી 18 વર્ષના બાળકો માટે વેકસીનેશન શરૂ કરવાનું એલાન કર્યું હતું. તેમણે કરેલી જાહેરાત મુજબ 7 થી 8 કરોડ બાળકોને વેક્સિન મળી શકશે.
કઈ ઉંમરમાં બાળકોએ લેવી જોઈએ વેક્સીન?
દેશમાં હાલ 15થી 18 વર્ષના તરૂણોને કોરોનાની વેક્સીન લગાવવામાં આવી રહી છે. તેનાથી નાની ઉંમરના બાળકોની વેક્સીનેશન પર સરકારે નિર્ણય નથી લીધો.
કોવેક્સીન 12થી 18 વર્ષના તરૂણોને આપવાની મંજૂરી મળી ગઈ છે?
ડ્રગ્સ કંટ્રોલરે ભારત બાયોટેકની કોવેક્સીનને 12થી 18 વર્ષની ઉંમરના તરૂણો પર ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી ભલે આપી દેવામાં આવી છે પરંતુ સરકારે હજું પણ 15થી 18 વર્ષના તરૂણોનું વેક્સીનેશન જ શરૂ કરવાનો નિર્ણય લીધો છે.
વેક્સીન લેવા માટે શું કરવું પડશે?
વેક્સીનેશન માટે રજીસ્ટ્રેશન જરૂરી રહેશે. વેક્સીનેશન માટે બનાવવામાં આવેલા CoWin પ્લેટફોર્મથી તેનું રજીસ્ટ્રેશન કરાવવામાં આવી શકે છે. બાળકોના વેક્સીનેશન માટે રજીસ્ટ્રેશન ક્યારથી શરૂ થશે. તેની જાણકારી સરકારની તરફથી નથી આપવામાં આવી.
કઈ વેક્સીન લગાવવામાં આવશે?
બાળકોને હાલ ભારત બાયોટેકની કોવેક્સીન જ લગાવવામાં આવશે. ઓફિશ્યલ સૂત્રોએ આ વાતની જાણકારી આપી છે. દેશમાં હાલ 15થી 18 વર્ષના તરૂણોની અનુમાનિત વસ્તી 7-8 કરોડ છે.
ઝાયકોવ-ડીનું શું?
ઝાયડસ કેડિલાની ઝાયકોવ-ડીને 20 ઓગસ્ટે જ મંજૂરી મળી ગઈ હતી. પરંતુ તેને હજુ વેક્સીનેશન પ્રોગ્રામમાં શામેલ નથી કરવામાં આવી. આ વેક્સીન 12 વર્ષથી ઉપરના લોકોને આપવામાં આવશે.
બાળકોને વેક્સીન આપવી કેટલી સુરક્ષિત?
દુનિયાના ઘણા દેશોમાં બાળકોને કોરોનાની વેક્સીન લગાવવામાં આવી રહી છે. બાળકો પર વેક્સીન અસરદાર સાબિત થઈ છે. ત્યાં જ 2થી 18 વર્ષના બાળકો પર ભારત બાયોટેકની કોવેક્સીનનું ટ્રાયલ કરવામાં આવ્યું હતું. જણાવવામાં આવ્યું કે બાળકો પર વેક્સીન અસરદાર સાબિત થઈ છે.
વેક્સીનના કોઈ સાઈડ ઈફેક્ટ્સ છે?
વેક્સીનના અત્યાર સુધી કોઈ સાઈડ ઈફેક્ટ્સ સામે આવ્યા નથી. વેક્સીન લગાવ્યા બાદ તાવ, બોડી પેઈન, ઈન્જેક્શન વાળી જગ્યા પર સોજો જેવા સાઈડ ઈફેક્ટ્સ થઈ શકે છે.
પહેલો અને બીજો ડોઝ ક્યારે આપવામાં આવશે?
જે કોવેક્સીન વયસ્કોને આપવામાં આવી રહી છે. તે જ બાળકોને પણ આપવામાં આવશે. માટે બાળકોની વેક્સીનમાં પણ બન્ને ડોઝની વચ્ચે 28 દિવસનું અંતર રહેશે. જો 3 જાન્યુઆરી પહેલા ડોઝ લાગી જશે તો 31 જાન્યુઆરી બાદ બીજો ડોઝ લગાવવામાં આવી શકે છે.
શું વેક્સીન માટે પૈસા પણ આપવાના હોય છે?
ના, દેશમાં કોરોના વેક્સીનેશનનો પ્રોગ્રામ સંપૂર્ણ રીતે ફ્રી ચાલી રહ્યો છે. ફક્ત ખાનગી હોસ્પિટલમાં વેક્સીન માટે પૈસા આપવાના હોય છે. સરકારી કેન્દ્રોમાં ફ્રી વેક્સીન જ આપવામાં આવે છે.
ક્યાં આપવામાં આવી શકે છે વેક્સીન?
વેક્સીનેશન માટે સરકારની તરફથી ઘણા કેન્દ્ર બનાવવામાં આવ્યા છે. આ કેન્દ્રોમાં જઈને વેક્સીન લગાવી શકાય છે. જ્યાં વયસ્કોને વેક્સીન આપવામાં આવી રહી છે. ત્યાં જ બાળકોને વેક્સીન લગાવવા અથવા બાળકો માટે અલગથી વેક્સીનેશન સેન્ટ બનાવવામાં આવશે. આ વિશે હજુ સરકારની તરફથી કોઈ જાણકારી આપવામાં નથી આવી.