કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર મંગળવારે 71000થી વધુ વેક્સીનેશન કેન્દ્રનું સંચાલન કરાયું છે અને હાલમાં 13 કરોડથી વધુ લોકોને વેક્સીન અપાઈ છે. પરંતુ કોરોનાનો કહેર અટકી રહ્યો નથી.
ભારતમાં વધ્યો કોરોનાનો કહેર
13 કરોડ લોકોને અપાઈ કોરોનાની પહેલી વેક્સીન
24 કલાકમાં નવા કેસ 3 લાખની નજીક, 2020 લોકોના થયા મોત
ભારતમાં કોરોના વાયરસનો હાહાકાર વધી રહ્યો છે. એક દિવસમાં દેશમાં કોરોનાના નવા કેસની સંખ્યા 2 લાખ 94 હજાર 115ની થઈ છે. એક દિવસમાં કોરોનાથી દેશમાં 1 લાખ 66 હજાર 520 દર્દી સ્વસ્થ થયા છે તો ભારતમાં એક દિવસમાં કોરોનાથી 2 હજાર 20ના મૃત્યુ પણ થયા છે. ભારતમાં કોરોનાના એક્ટીવ કેસ 21 લાખ 50 હજાર 119 થઈ છે. ભારતમાં કોરોનાના કુલ કેસ 1 કરોડ 56 લાખ 9 હજાર 4 સુધી પહોંચ્યા છે. દેશમાં કોરોનાથી રિકવર દર્દીની કુલ સંખ્યા 1 કરોડ 32 લાખ 69 હજાર 863 થઈ ચૂકી છે. તો સાથે જ દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 1 લાખ 82 હજાર 570 પહોંચી ગયો છે.
आज सुबह तक 12,71,00,000 से ज्यादा लोगों को कोरोना वैक्सीन की डोज दी जा चुकी हैं। मृत्यु दर 1.18% है जो लगातार कम हो रही है। परसो देश में 1.93% लोग ICU बेड पर थे तो आज 1.75% हैं। परसो वेंटिलेटर पर 0.40% लोग थे आज भी इतने ही हैं: केंद्रीय स्वास्थ्य मंत्री डॉ.हर्षवर्धन pic.twitter.com/PWgPZv4p3D
શું કહે છે સ્વાસ્થ્ય મંત્રાલય
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે કહ્યું કે ભારતમાં અત્યારસુધીમાં લાભાર્થીને અપાનારી કોરોના વેક્સીનેશનની સંખ્યા 13 કરોડને પાર થઈ ચૂકી છે. તેમાંથી 29 લાખ ડોઝ મંગળવારે અપાયા છે. તો સાથે જ અત્યાર સુધીમા 13,00,27,370 વેક્સીનના ડોઝ અપાઈ ચૂક્યા છે. મંગળવારે 71000થી વધારે વેક્સીનેશન કેન્દ્રો ચલાવાયા હતા. પહેલા આ સંખ્યા 45 હજારની હતી.
आज की स्थिति में हमें देश को लॉकडाउन से बचाना है। मैं राज्यों से भी अनुरोध करूंगा कि वो लॉकडाउन को अंतिम विकल्प के रूप में ही इस्तेमाल करें। लॉकडाउन से बचने की भरपूर कोशिश करनी है।माइक्रो कन्टेनमेंट जोन पर ही ध्यान केंद्रित करना है: PM मोदी pic.twitter.com/9YUPacz6WR
લોકડાઉનને અંતિમ વિકલ્પમાં ઉપયોગમાં લેવામાં આવેઃ પીએમ મોદી
દેશમાં એક દિવસમાં દેશમાં કોરોનાના નવા કેસની સંખ્યા 2 લાખ 94 હજાર 115ની થઈ છે. તો સાથે જ 24 કલાકમાં 2020 લોકોના મોત થવાની સાથે સાથે અનેક રાજ્યોએ આંશિક કે પૂર્ણ લોકડાઉન પણ લાગૂ કર્યું છે. આ સમયે પીએમ મોદીએ મંગળવારે રાષ્ટ્રજોગ સંબોધનમાં કહ્યું કે કોરોનાની બીજી લહેર તોફાની છે. આ સમયે રાજ્યોને પણ સલાહ આપી કે લોકડાઉનને અંતિમ વિકલ્પમાં ઉપયોગમાં લેવામાં આવે. તેઓએ રાષ્ટ્રજોગ સંબોધનમાં કહ્યું કે રાજ્યોએ લોકડાઉનથી બચવું જોઈએ. અનેક લોકોએ કોરોનાથી જીવ ખોવ્યા છે તેમને માટે સંવેદના પ્રગટ કરી અને સાથે જ કહ્યું બીજી લહેર ખતરનાક છે તો સૌએ શક્ય ત્યાં સુધી ઘરમાં રહેવું. દેશમાં વેક્સીનેશન અને ઓક્સીજનને લઈને જે પણ મુશ્કેલીઓ આવી રહી છે તેના માટે શક્ય તમામ પ્રયાસો થઈ રહ્યા છે. દરેક લોકો 1લી મેથી વેક્સીન લગાવે અને સાથે કોરોનાની મહામારીમાં સહકાર આપે.