કોરોના સંકટની વચ્ચે ભારતમાં શનિવારથી એટલે કે આજથી વેક્સીન લાગવાનું શરૂ થયું છે. આ બાબતે પીએમ મોદીએ પોતે આ અભિયાનની શરૂઆત કરશે. ભારતમાં સવારે 10.30 મિનિટે પહેલી વેક્સિન લાગશે અને સાથે અભિયાન શરૂ થશે. આ અભિયાનની સાથે પીએમ કોવિન એપ પણ લોન્ચ કરશે.
આજે સવારે 10.30 વાગે શરૂ થશે કોરોના વેક્સીનેશન અભિયાન
વીડિયો કોન્ફરન્સિંગથી પીએમ મોદી અભિયાનની શરૂઆત કરશે
પીએમ મોદી આ સાથે જ કોવિન એપ પણ લોન્ચ કરશે
આજે સવારે 10.30 વાગે શરૂ થશે કોરોના વેક્સીનેશન અભિયાન
મળતી માહિતી અનુસાર વીડિયો કોન્ફરન્સિંગની મદદથી ટીકાકરણ અભિયાન શરૂ કર્યા બાદ પીએમ મોદી વેક્સિન લગાવનારા હેલ્થ વર્કર્સની સાથે વાત પણ કરશે. આ વાતને દેશના 3006 વેક્સિન સેન્ટર પર લોકો જોઈ શકશે. આ અભિયાનના પહેલાં દિવસે લગભગ 3 લાખ હેલ્થ વર્કર્સને વેક્સિન અપાશે. એટલે કે પહેલા દિવસે સેન્ટર્સ પર 100 લાભાર્થીઓને વેક્સિન લગાવાશે. વેક્સીનેશનનો સમય સવારે 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યાનો રહેશે. કોરોના મહામારી વેક્સિન રોલઆઉટ અને કોવિન સોફ્ટવેર સંબંધી સવાલો માટે 24 કલાક એક કોલ સેન્ટર 1075 કામ કરશે. અહીંથી તમામ માહિતી મળશે.
Mega Covid-19 vaccination drive to begin in India today
કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી ડો, હર્ષવર્દને કહ્યું છે કે કોરોના વેક્સીન લગાવવાને માટે કોવિન પ્લેટફોર્મ પર રજિસ્ટર્ડ થવું અનિવાર્ય છે. તેઓએ કહ્યું કે ક્યૂઆર કોડ આધારિત વેક્સિનેશન સર્ટિફિકેટ એ લોકોને અપાશે જેઓએ કોવિન એપ પર રજિસ્ટ્રેશન કરાવ્યું હશે. પહેલા દિવસે દરેક સેન્ટર પર 100 લોકોને વેક્સિન લગાવાશે. પછી આ સંખ્યાને ધીરે ધીરે વધારાશે. શરૂઆતમાં 1.65 કરોડ ડોઝ દેશમાં મોકલવામાં આવ્યા છે.
80 લાખ લાભાર્થીઓએ પહેલાંથી કરાવ્યું છે રજિસ્ટ્રેશન
સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું છે કે આ એપના આધારે 80 લાખ લાભાર્થીઓએ પહેલાંથી રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આ એપની મદદથી કોઈ પણ રજિસ્ટ્રેશન કરી શકશે નહીં. ફક્ત અધિકારીઓ જ આ એપનું એક્સેસ કરશે. સામાન્ય લોકો માટે 4 અલગ અલગ મોડ્યુલ બનાવવામાં આવ્યા છે.
આ છે વેક્સીનેશનની પ્રોસેસ
કોરોના વેક્સીનેશનના કાર્યક્મમાં વેક્સિન લગાવવા માટે એક ફોટો આઈડી પ્રૂફની સાથે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આ પછી વેક્સિનની ઉપલબ્ધતા અને પ્રાયોરિટીના આઘારે વેક્સિનનું શિડ્યુલ બનાવાશે. પછી તમને મેસેજ કરીને કહેવાશે કે વેક્સિન ક્યાં અને ક્યારે મૂકાશે.
કોરોનાના અંતની શરૂઆત
શનિવારથી શરૂ થઈ રહેલા વેક્સીનેશન અભિયાન પહેલાં સ્વાસ્થ્યમંત્રી હર્ષવર્ધને કહ્યું કે આ પગલાં શક્ય એવા કોરોનાના અંતની શરૂઆત છે. આ ખાસ દિવસ છે અને લડાઈનું અંતિમ ચરણ છે. ઉલ્લેનીય છે કે ભારતના વેક્સીનેશન અભિયાનને દુનિયાનું સૌથી મોટું વેક્સીનેશન અભિયાન કહેવામાં આવી રહ્યું છે.
શું છે સરકારના નિર્દેશ
સરકારની તરફથી કહેવાયું છે કે ફક્ત 18 વર્ષથી ઉપરની વ્યક્તિને માટે વેક્સીન છે. ગર્ભવતી મહિલાઓ અને સ્તનપાન કરાવતી મહિલાઓને વેક્સિન આપવામાં આવશે નહીં. આ સિવાય પહેલી વેક્સીન જે લીધી છે તેનો જ બીજો ડોઝ આપવામાં આવશે. તેને ઈન્ટરચેન્જિંગની સુવિધા અપાશે નહીં. સાથે વેક્સિનની જવાબદારી સંભાળી રહેલા લોકોને 14 દિવસ બાદ બદલવામાં આવશે.