ભારતમાં આજથી દુનિયાની સૌથી મોટી વેક્સીનેશન ડ્રાઇવ શરુ થવા જઇ રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કોરોના વેક્સીનેશન ડ્રાઇવનો પ્રારંભ કરવામાં આવ્યો છે. હાલ કોરોના વેક્સીનેશન અભિયાનને લઇને સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આી છે. આ અભિયાન સાથે પીએમ મોદી CoWIN એપ પણ લોન્ચ કરશે.
માતાઓ રડતી હતી પણ બાળકોની પાસે જઇ શક્તી નહોતી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ બિમારીને લોકોને પોતાના ઘરના વ્યક્તિઓથી દૂર રાખ્યા. માતા બાળકો માટે રડતી રહેતી હતી, પરંતુ તે પોતાના બાળકોની પાસે જઇ શક્તી નહોતી. લોકો હોસ્પિટલમાં પોતાના ઘરના વડ઼ીલોને મળવા જઇ શક્તા નહોતા, કેટલાક આપણા સાથીઓ આ બિમારીની ઝપેટમાં આવીને આપણાથી દૂર ચાલ્યાં ગયા, જે લોકોનો આપણે અંતિમ સંસ્કાર પણ ન કરી શક્યાં.
સંબોધન કરતા ભાવુક થયા પીએમ મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકોને સંબોધન કરતા ભાવુક થયા. પીએમ મોદીએ કહ્યું કે કોરોનાકાળ દરમિયાન આપણા કેટલાંક સાથીઓ એવી રહ્યાં જે બીમાર થઇ હોસ્પિટલ તો ગયા પણ પરત ફર્યાં નહી. પીએમ મોદીએ કહ્યું કે સંકટના તે સમયમાં, નિરાશાના એવા વાતાવરણમાં, કોઇ આશાનું કિરણ લાવી રહ્યું હતું, આપણને બચાવવા માટે પોતાના પ્રાણોને સંકટમાં નાંખી રાખ્યા હતા. આ લોકો હતા આપણા ડોક્ટર, નર્સ, પેરામેડિકલ સ્ટાફ, એમ્બ્યુલન્સ ડ્રાઇવર, આશા વર્કર, સફાઇ કર્મચારી, પોલીસ અને બીજા ફ્રંટલાઇન વર્કર્સ.
#WATCH | PM Narendra Modi gets emotional while talking about the hardships faced by healthcare and frontline workers during the pandemic. pic.twitter.com/B0YQsqtSgW
આપણા કેટલાક સાથીઓ કોરોનાની અસરથી હોસ્પટલ ગયા હતા તેઓ પરત ફર્યા નહી. એવા આપણા બધા સાથીઓને આપણે સાદરાંજલિ અપ્રિત કરીએ છીએ.
દુનિયાનું સૌથી મોટું રસીકકરણ અભિયાન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને સંબોધન કરતા કહ્યું કે ઇતિહાસમાં આ પ્રકારનું અને આટલુ મોટા પાયે રસીકરણ અભિયાન પહેલા ક્યારેય ચલાવામાં આવ્યું નથી. દુનિયાના 100થી પણ વધારે દેશ છે જેની સંખ્યા 3 કરોડથી ઓછી છે, અને ભારત વેક્સિનેશનના પહેલા તબક્કામાં 3 કરોડ લોકોને રસી લગાવા જઇ રહ્યું છે. બીજા તબક્કામાં 30 કરોડની સંખ્યા સુધી પહોંચવાનું છે. જે વડીલો, જે ગંભીર બિમારીગ્રસ્ત છે, તેમને આ તબક્કામાં રસી લગાવામાં આવશે. તમે કલ્પના કરી શકો છો કે 30 કરોડની સંખ્યાથી ઉપર ત્રણ જ દેશ છે છે. ભારત, ચીન અને અમેરિકા.
પીએમ મોદીએ દેશવાસીઓને કરી અપીલ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે હું આ વાત ફરી યાદ કરવા ઇચ્છીશ કે કોરોના વેક્સીનની 2 ડોઝ લગાવવી ઘણી જરૂરી છે. પીએમ મોદીએ લોકોને પ્રાર્થન કરી કે તમે બે ડોઝ જરુરથી લગાવજો, એક ડોઝ લગાવાની ભૂલ ન કરશો.
I request you not to make the mistake of taking off the mask and not maintaining social distancing after getting the first dose because immunity develops after the second dose: PM Narendra Modi pic.twitter.com/Rc6COMPC3u
પીએમ મોદીએ કહ્યું કે પહેલા અને બીજા ડોઝ વચ્ચે લગભગ એક મહીનાનું અંતર રાખવું, એમાં પણ ધ્યાન રાખવું કે બીજા ડોઝ લગાવતા 2 અઠવાડિયા પછી તમારા શરીરમાં કોરોનાના સામેની જરુરી શક્તિ વિક્સિત થઇ શકશે.
વૈજ્ઞાનિકો રિસર્ચર પ્રશંસાના હકદાર છે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે એ વૈજ્ઞાનિકો, વેક્સિન શોધ સાથે જોડાયેલા અન્ય લોગો વિશેષ પ્રશંસના હકદાર છે, જે છેલ્લા ઘણા મહિનાઓથી કોરોના સામેની વેક્સીન બનાવામાં લાગ્યા છે. આમ તો એક વેક્સિન બનાવવા માટે ઘણા વર્ષો વીતી જતા હોય છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના વેક્સિનેશનના અભિયાનની શરુઆત કરાવી છે. પીએમ મોદીએ કહ્યું આજના દિવસની આતુરતાથી રાહ જોવામાં આવી રહી હતી. કોરોના વેક્સિન આવી ગઇ છે.
પીએમ મોદીએ કહ્યું કે વેક્સિન બનાવનારાઓ ઘણી મહેનત કરી છે. પીએમ મોદીએ કહ્યું કે તેઓએ તહેવારની ચિંતા ન કરી કે ન રજા લઇને ઘર ગયા. પીએમ મોદીએ કહ્યું કે આવા જ દિવસ
માટે રાષ્ટ્રકવિ દિનકરે કહ્યું હતું કે જ્યારે મનુષ્ય જ્યારે લગનથી કામ કરે છે ત્યારે પથ્થરમાંથી પાણી બનાવી દે છે.
AIIMS ના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયા વેક્સિન લગાવશે
કોરોના વેક્સિનને લઇને બધી આશંકાઓ દૂર કરવા કરવા એઇમ્સ ડાયરેકટર ડો. રણદીપ ગુલેરિયાએ જણાવ્યું છે કે તેઓ પોતે કોરોનાની વેક્સિન લગાવશે.