બુધવારે થયેલી કેન્દ્ર સરકારની પ્રેસ કોન્ફરન્સમાં કહેવાયું છે કે કોરોના વેક્સીનેશનનો બીજો તબક્કો 1 માર્ચથી શરૂ કરાશે.
કયા લોકોને મળશે વેક્સિન
આ તબક્કામાં 60 વર્ષથી વધારે ઉંમરના લોકોને વેક્સિન અપાશે. સરકારે 45 વર્ષથી વધારે ઉંમરના જે લોકો ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા છે તેમને રાહત આપી છે અને તેઓ પણ આ તબક્કામાં વેક્સિન લઈ શકશે.
નક્કી ઉંમરથી ઓછી ઉંમરના લોકોએ આપવાનું રહેશે આ કાગળ
45 વર્ષથી વધુ અને 60 વર્ષથી ઓછી ઉંમરના લોકો માટે સરકારે સ્પષ્ટ કર્યું છે કે તેમને વેક્સિન અપાશે પણ કોઈ ગંભીર બીમારી હોય તો વેક્સિન લેવા માટે સરકારની તરફથી કોઈ કાગળ આપવાના આદેશ જાહેર કરાયા છે. તેઓએ તેમની બીમારી સંબંધિત રિપોર્ટ બતાવવાનો રહેશે. આ સાથે તેઓએ ડોક્ટરના કાગળ પણ સાથે રાખવાના રહેશે. આ ડેટા એપમાં ફીડ કરાશે અને પછી જ વેક્સિન અપાશે.
From March 1, people above 60 years of age and those above 45 years of age with comorbidities will be vaccinated at 10,000 govt & over 20,000 private vaccination centres. The vaccine will be given free of cost at govt centres: Union Minister Prakash Javadekar#COVID19pic.twitter.com/Rxhkkk8eSC
વેક્સિનના લાભાર્થીઓ પહેલા કોરોના વેક્સિન લગાવ્યા બાદ જ પોસ્ટ વેક્સિન સર્ટિફિકેટ મેળવી શકશે. પણ એવું હવે નથી. વેક્સિન લગાવ્યા બાદ સેન્ટ્રલ ગર્વમેન્ટ સર્ટિફિકેટ જાહેર કરશે અને લાભાર્થીને તે આપી દેવાશે. એપની મદદથી તેને ડાઉનલોડ પણ કરી શકાય છે. જેને તમે નોકરી કે વિદેશ જવા માટે યૂઝ કરી શકો છો.
પ્રકાશ જાવડેકરે કહ્યું કે, જે 10 હજાર સરકારી કેન્દ્રો પર પર જઈને રસી લેનાર વ્યક્તિને મફતમાં કોરોનાની રસી આપવામાં આવશે. જો કે, ખાનગરી હોસ્પિટલમાં રસી લેનારે શુલ્ક ચુકવવાનું રહેશે. વેક્સિનની કિંમત વિશે આગામી સમયગાળામાં કેન્દ્રીય આરોગ્ય વિભાગ જાહેરાત કરશે.
16 જાન્યુઆરીથી દેશભરમાં ચાલી રહ્યું છે રસીકરણ અભિયાન
જણાવી દઇએ કે, 16 જાન્યુઆરીથી દેશભરમાં કોરોના રસીકરણ અભિયાનની શરૂઆત થઈ છે. જેમાં ભારત સરકારે 2 કોરોના વેક્સિન કોવેક્સિન તથા કોવિશિલ્ડને મંજૂરી આપી છે. અત્યાર સુધીમાં 1.21 કરોડ લોકોને રસી અપાઈ ચૂકી છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, 24 ફેબ્રુઆરીની સવાર સુધી 1,21,65,598 લોકોને રસી આપવામાં આવી છે. જેમાં 64,98,300 આરોગ્ય કર્મચારીઓ (પ્રથમ ડોઝ), 13,98,400 આરોગ્ય કર્મચારીઓ (બીજી માત્રા) અને 42,68,898 ફ્રન્ટલાઈન કામદારો (પ્રથમ ડોઝ) શામેલ છે. બીજા ડોઝ માટે રસીકરણ 13 ફેબ્રુઆરીથી શરૂ થયું, જ્યારે રસીનો પ્રથમ ડોઝ 28 દિવસનો હતો. ફ્રન્ટલાઈન કામદારોનું રસીકરણ 2 ફેબ્રુઆરીથી શરૂ થયું હતું. મંત્રાલયે કહ્યું કે 75 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 75 ટકાથી વધુ આરોગ્ય કર્મચારીઓને રસી આપવામાં આવી છે. જેમાં બિહાર, ત્રિપુરા, ઓડિશા, ગુજરાત, છત્તીસગ,, લક્ષદ્વીપ, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, ઝારખંડ, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનનો સમાવેશ થાય છે.