ભારતમાં કોરોના વાયરસની સામે 16 જાન્યુઆરીથી વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન શરુ થઈ ચૂક્યું છે . ભારતમાં કોરોના રસીકરણ પ્રોગ્રામને શરુ થયાને હજું એક અઠવાડિયું થયું છે. અત્યાર સુધીમાં લગભગ 10 લાખ લોકોને રસી અપાઈ ચૂકી છે. અત્યાર સુધી અમેરિકાએ સૌથી ઝડપી રસીકરણ કર્યુ હતુ. અમેરિકામાં 10 લાખ લોકોના રસીકરણમાં 10 દિવસનો સમય લાગ્યો હતો. ત્યારે ઈઝરાઈલે પણ લગભગ આટલો જ સમય લીધો હતો. પરંતુ ભારતે 10 લાખ લોકોનું રસીકરણ 6 દિવસમાં પુરુ કરી દીધું છે.
21 જાન્યુઆરી સાંજે 6 વાગ્યા સુધી દેશમાં કુલ 9,99,065 લોકોને અપાઈ રસી
રસી લેનાર કોરોના દર્દીઓની દેખરેખ કરી શકે છે
રસીકરણ બાદ પણ કોરોના ગાઈડલાઈનનું પાલન કરવુ પડશે
21 જાન્યુઆરી સાંજે 6 વાગ્યા સુધી દેશમાં કુલ 9,99,065 લોકોને અપાઈ રસી
ગુરુવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અતિરિક્ત સચિવ મનોહર અગનાનીએ કહ્યુ કે 21 જાન્યુઆરી સાંજે 6 વાગ્યા સુધી દેશમાં કુલ 9,99,065 લાભાર્થીઓએ કોરોનાની રસી લગાવી છે. જેમાંથી કુલ 18, 159 સત્ર આયોજિત કરવામાં આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાનુંસાર બુધવારે સાંજે 6 વાગ્યા સુધ કુલ 7.86 લાખ સ્વાસ્થ્યકર્મીઓને રસીનો પહેલો ડોઝ અપાઈ ચૂક્યો છે. રસી લગાવ્યા બાદ હજુ સુધી કોઈ લાભાર્થીમાં ગંભીર અથવા અતિ ગંભીર આડઅસર જોવા મળી નથી.
રસીકરણ બાદ પણ કોરોના ગાઈડલાઈનનું પાલન કરવુ પડશે
કોરોના રસીકરણની વચ્ચે સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે ભલે રસી અભિયાન શરુ કરવામાં આવ્યુ હોય. તમે રસી લઈ ચૂક્યા હોવ કે તે લેવાની રાહ જોઈ રહ્યા હોવ તમારે પહેલાની જેમ સરકાર તરફથી જારી કરવામાં આવેલી કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવુ પડશે.
રસી લેનાર કોરોના દર્દીઓની દેખરેખ કરી શકે છે
રસીના બન્ને ડોઝ લીધા બાદ રસી લેનાર વ્યક્તિ કોવિડ 19ના દર્દીઓની સારવાર કરી શકે છે. આ જ કારણ છે કે કોરોનાના પહેલા ચરણમાં હેલ્થ વર્કર્સને કોરોનાની રસીના ડોઝ આપવામાં આવી રહ્યા છે. કોરોનાનો નવા સ્ટ્રેન આવવાથી કોરોના ક્યારે ફરી એકવાર નવો ખતરો બની જાય તેની કોઈને ખબર નથી. તેવામાં પાયાની સુરક્ષાના ઉપાયોનું પાલન કરવું જરુરી રહેશે.