અમદાવાદમાં કોરોના થઇ જઇ રહ્યો બેકાબુ બન્યો છે. ત્યારે હવે અમદાવાદમાં હોસ્પિટલોના બેડ હાઉસફુલ થઈ રહ્યા છે. ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓ માટેના બેડ ભરાઈ ગયા છે. એક તરફ સરકાર તરફથી એવું કહેવામાં આવે છે કે, પુરતા પ્રમાણમાં બેડ છે પરંતુ વાસ્તવિકતા તો કંઈક અલગ જ છે. સરકારી વેબસાઈટ ઉપર જ ખાનગી હોસ્પિટલોના તમામ બેડ ભરાઈ ગયા છે. તેવી માહિતી આપવામાં આવી છે.
અનલોક-1 બાદ અમદાવાદમાં કોરોનાના વધતા કેસ
કોવિડ-19ની ખાનગી હોસ્પિટલમાં પણ બેડ થયા ફૂલ
ખાનગી હોસ્પિટલના 2292 બેડમાંથી માત્ર 155 બેડ ખાલી
ક્યાં કેટલા બેડ ખાલી
અનલોક બાદ અમદાવાદમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે. કોવિડ-19ની ખાનગી હોસ્પિટલના પણ બેડ ફૂલ થયા છે. ખાનગી હોસ્પિટલના 2292 બેડમાંથી 155 બેડ જ ખાલી છે. શહેરની 42 ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર થાય છે. જ્યારે 40 હોસ્પિટલના આંકડા જોઈએ તો, ખાલી બેડ માત્ર 155 બાકી વધ્યા છે. જ્યારે સરકારી હોસ્પિટલની વાત કરીએ તો સિવિલમાં 400 ખાલી અને એસવીપીમાં માત્ર 100 બેડ ખાલી છે. અનલોક-1 બાદ શહેરમાં કોરોનોમાં થયો છે. વિસ્ફોટ માત્ર 12 દિવસમાં જ પ્રાઇવેટ હોસ્પિટલ ભરાઇ ગઇ છે.
અમદાવાદમાં પુરતી પથારી હોવા મામલે આજે જ આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે જણાવ્યું હતુ કે અમદાવાદની હોસ્પિટલો પાસે પૂરતા બેડ છે પરંતુ આકંડાકિય તપાસ તો કંઈક ઓર જ કહે છે. અમદાવાની ખાનગી હોસ્પિટલોમાં માત્ર 155 બેડ જ ખાલી છે. બાકી તમામ બેડ 12 જ દિવસમાં ભરાઈ ગયા છે.
શું કહ્યુ આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે?
મેટ્રો શહેરમાંથી દર્દીને અન્ય જિલ્લામાં રિફર કરવામાં આવશે નહીં. રાજ્ય આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરેએ કહ્યું કે મેટ્રો શહેરમાંથી કોઇ દર્દી અન્ય જિલ્લામાં રિફર થશે નહીં. જનતાએ કોઇપણ પ્રકારની અફવામાં આવવું નહીં. અમદાવાદ-અન્ય શહેરોમાં પુરતા બેડ ઉપલબ્ધ છે. સરકાર-તંત્ર દ્વારા દર્દીઓને ઉત્તમ સારવાર મળી રહી છે. અમદાવાદમાં કોરોનાની પરિસ્થિતિ પહેલા કરતા સારી છે. ધમણ-રાજ્યમાં ડેથ રેટ મુદ્દે આરોગ્ય કમિશનરે મૌન સેવ્યું છે.
અમદાવાદમાં આંકડા ડરામણા
અમદાવાદમાં કેસની વાત કરીએ તો છેલ્લાં 12 દિવસમાં પોઝિટિવ કેસ 3782 નોંધાયા છે. 4200 લોકો સાજા થયા છે જ્યારે મોત 297 થયા છે. આમ જોવા જઈએ તો રોજના સરેરાશ 25 મોત થાય છે જ્યારે સરેરાશ સાજા 350 થાય છે અને રોજના 315 કોરોનાના કેસ નવા નોંધાયા છે.