રાજકોટમાં કોરોનાની સારવારને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. રાજકોટની ખાનગી હોસ્પિટલોમાં બેડ ખાલી થવા લાગ્યા છે. રાજકોટની કોવિડમાં નોંધાયેલી 34 હોસ્પિટલમાં હાલ 550 બેડ ખાલી છે. જોકે ખાનગી હોસ્પિટલોના મોટા બિલથી ડરીને પણ ઘરે સારવાર લઇ રહ્યો છે.
રાજકોટમાં ખાનગી હોસ્પિટલોમાં બેડ ખાલી થવા લાગ્યા
રાજકોટમાં કોરોનાની સારવાર ઘરે જ લેવાનો ટ્રેંડ શરૂ થયો
કોરોનાથી દર્દીઓના મોતનો આંકડો ઘટ્યો
રાજકોટમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાથી દર્દીઓના મોતનો આંકડો ઘટી રહ્યો છે. તો રાજકોટમાં કોરોનાની સારવાર ઘરે જ લેવાનો ટ્રેંડ શરૂ થયો છે. ખાનગી હોસ્પિટલના મોટા બિલથી પણ લોકો ડરી રહ્યાં છે. સૌરાષ્ટ્રના દર્દીઓ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે આવે છે. રાજકોટની ખાનગી હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓનું ભારણ ઘટવા લાગ્યું છે. હાલ રાજકોટની 34 કોવિડ હોસ્પિટલમાં 550 બેડ ખાલી છે. 10 દિવસમાં 7 દર્દીઓના મોત થયા છે.
બીજી તરફ ગુજરાત સરકારની વેબસાઇટમાં છેલ્લે અપડેટ કરેલી માહિતી અનુસાર, અત્યાર સુધીમાં 150 દર્દીઓના મોત થયા અને 9756 દર્દીઓ સાજા થયા. જેથી રાજકોટમાં હાલ 1107 એક્ટિવ કેસ છે. મહત્વનું છે કે, ગઇકાલે રાજકોટ કોર્પોરેશનમાં 77 નવા કેસ નોંધાયા જેની સામે 104 દર્દીઓ સાજા થયા. તો રાજકોટ જિલ્લામાં 36 નવા કેસ નોંધાયા જેની સામે 43 દર્દીઓ સાજા થયા. આમ શહેર અને જિલ્લામાં સાજા થતા દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે.