અમદાવાદ શહેરમાં સતત કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. અમદાવાદ શહેરમાં એક જ દિવસમાં 319 કેસ, જ્યારે અમદાવાદ ગ્રામ્યમાં 26 કેસ સાથે આજે અમદાવાદ જિલ્લામાં 345 કેસ નોંધાયા છે. તો ગઇકાલે અમદાવાદમાં કોરોનાના નવા 332 કેસ નોંધાયા હતા. કોરોનાના વધતા કેસોને લઇ તંત્રની ચિંતા વધી છે. તેવામાં હવે સુરતથી 30 વેન્ટિલેટર અમદાવાદ મોકલાયા છે.
સુરતથી 30 વેન્ટિલેટર અમદાવાદ મોકલાયા
986 કિલોલીટરની બે ઓક્સિજન ટેન્ક પણ મોકલાઈ
બે વરિષ્ઠ તબીબોને ડેપ્યુટેશન પર અમદાવાદ મોકલાયા
અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધતા તંત્રની ચિંતા પણ વધી છે. 1200 બેડની કોવિડ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સની અવરજવર જોવા મળી રહી છે. ત્યારે અમદાવાદમાં કોરોનાની સ્થિતિ વધુ બગડી હોવાના સંકેત જણાઇ રહ્યા છે. તેવામાં હવે સબ સલામતીના દાવા વચ્ચે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સુરતથી 30 વેન્ટિલેટર અમદાવાદ મોકલાયા છે. 986 કિલોલીટરની બે ઓક્સિજન ટેન્ક પણ અમદાવાદ મોકલાઈ છે. ડોકટર્સની ટીમને પણ ડેપ્યુટેશન ઉપર અમદાવાદ મોકલાઇ છે.
અમદાવાદ શહેરમાં કુલ 299 વિસ્તાર માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોન
અમદાવાદમાં દિવસેને દિવસે કોરોના સંક્રમણ વધી રહ્યુ છે. ત્યારે વધુ 7 વિસ્તારને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકાયા છે. હાલ અમદાવાદ શહેરમાં કુલ 299 વિસ્તાર માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોન હેઠળ છે.
સાબરમતી નદીના તમામ બ્રિજ પર અમદાવાદ પોલીસનું સઘન ચેકિંગ
અમદાવાદમાં કોરોનાના વધતા કેસો સામે પોલીસ એક્શનમાં આવી છે. અમદાવાદ શહેરમાં અનેક જગ્યાઓ પર પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરાયું છે. તો સાબરમતી નદીના તમામ બ્રિજ પર સઘન ચેકિંગ શરૂ કરી દેવાયું છે. કોરોનાના નિયમોનું પાલન ન કરનાર સામે પોલીસે લાલ આંખ કરી છે.
અમદાવાદ મનપાના એસ્ટેટ વિભાગએ કડક કાર્યવાહી
ગુજરાત હાઈકોર્ટ સામે આવેલા ક્રોમા સ્ટોરને સીલ કરવામાં આવ્યો છે. કારણ કે જ્યારે અહીંયા દરોડા પડ્યા ત્યારે કોવિડ ગાઈડલાઈનનો ભંગ થતો હતો. તેના જ કારણે ક્રોમા સ્ટોર સહિત 6 યુનિટોને સીલ કરી દંડ ફાટકરાયો છે. પંજાબ ઓટોમોબાઇલ્સ સાયન્સ સીટી, જય ભવાની, કારગિલ ચાર રસ્તા, ખુશી મોબાઈલ શોપ, ગુરુકુલ રોડ, સંજીવની હોસ્પિટલ, ભુયગદેવ ચાર રસ્તાને સીલ કરવા સાથે સોશિયલ ડિસ્ટન્સના ભંગ બદલ રૂ.50,000 દંડ કરાયો છે.
કોરોના અપડેટઃ રાજ્યમાં કોરોનાના એક જ દિવસમાં 1564 કેસ નોંધાયા છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 14 હજાર 889 છે. રાજ્યમાં કુલ કેસની સંખ્યા 2 લાખ 8 હજાર 278 થયા છે. એક જ દિવસમાં 16 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે. રાજ્યમાં કુલ 1 લાખ 89 હજાર 420 દર્દીઓ સાજા થયા છે.
26