રાજ્યમાં કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે ત્યારે સુરતની ઓલપાડ તાલુકાની ખાનગી શાળામાં કોરોના વિસ્ફોટ જોવા મળી રહ્યો છે
સુરતની સ્કૂલમાં કોરોના વિસ્ફોટ
ઓલપાડની સ્કૂલમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો સંક્રમિત
8 વિદ્યાર્થીઓ, 7 શિક્ષકોને કોરોના સંક્રમિત
ગુજરાતમાં નવા વર્ષના પ્રારંભથી કોરોના કેસમાં વધારો થતો જોવા મળી રહ્યો છે પહેલા જ દિવસે કોરોનાના 1000થી વધુ કેસ નોંધાયા હતા જ્યારે આજે રાજ્યમાં કોરોનાના 968 કેસ નોંધાયા છે તે જોતા લાગી રહ્યું છે કે કોરોનાની ત્રીજી લહેરની શરુઆત થઈ ગઈ છે.
8 વિદ્યાર્થીઓ, 7 શિક્ષકોને કોરોના સંક્રમિત
રાજ્યમાં કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે ત્યારે સુરતની ઓલપાડ તાલુકાની ખાનગી શાળામાં કોરોના વિસ્ફોટ જોવા મળી રહ્યો છે, ઓલપાડની શાળામાં એક સાથે 8 વિદ્યાર્થીઓ અને 7 શિક્ષકો પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું છે. શાળામાં અણધાર્યા એક સાથે કોરોનાના 15 કેસ સામે આવતા આરોગ્ય વિભાગનું સફાળું પણ જાગ્યું છે. જ્યારે તંત્ર દ્વારા તાત્કાલિક શાળાને 5 દિવસ માટે બંધ રાખવાના આદેશ આપી દેવામાં આવ્યા છે.
નવસારીમાં આજે વધુ 6 વિદ્યાર્થીઓ કોરોનાગ્રસ્ત
આ તરફ નવસારીમાં પણ 6 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા છે.જ્યારે 21 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જો વાત કરવામાં આવે તો એબી સ્કૂલમાં કોરોના 3 કેસ, વિજલપોરની સેવર્થ ડે સ્કૂલમાં 1 કેસ, જ્યારે સુરતની જી.ડી.ગોયેન્કા સ્કૂલમાં એક વિદ્યાર્થી કોરોના પોઝિટિવ થયો છે. તો ગણદેવીમાં પણ વિદ્યાર્થી કોરોના સંક્રમિત થયો છે. જો કે કોરોનાને 5 લોકોએ માત આપી છે જેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જ્યારે નવસારી જિલ્લામાં એક્ટિવ કેસનો આંકડો 65 સુધી પહોંચી ગયો છે.
અમદાવાદમાં સૌથી વધુ 404 કેસ નોંધાયા
ગુજરાતમાં કોરોના કેસ વધી રહ્યા છે ત્યારે રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ કોરોના કેસનું પ્રમાણ વધી રહ્યું છે. જો વાત અમદાવાદની કરવામાં આવે તો શહેર અને જિલ્લામાં સૌથી વધુ 404 કેસ નોંધાયા છે. તો વલસાડમાં કોરોનાના કારણે એકનું મોત પણ નિપજ્યું છે. જ્યારે 9 જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી અને ઓમિક્રોનનો પણ એક પણ કેસ સામે આવ્યો નથી. ઓમિક્રોનના અત્યાર સુધીમાં કુલ 136 કેસમાંથી 65 દર્દી ડિસ્ચાર્જ થયા છે.