ગુજરાતની શાળાઓમાં વિદ્યાર્થીઓમાં કોરોના સંક્રમણ વધ્યું છે. 1 ડિસેમ્બરથી અત્યાર સુધીમાં કુલ 1100 વિદ્યાર્થીઓ પોઝિટીવ આવ્યા છે. જેમા સૌથી વધારે સુરતમાં 532 વિદ્યાર્થીઓ પોઝિટીવ આવ્યા છે.
દેશમાં કોરોના સંક્રમણ હાલ વાયુવેગે ફેલાઈ રહ્યું છે. ત્યારે ગુજરાતમાં પણ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. જોકે સૌથી વધારે ચિંતાજનક બાબત એ છે કે રાજ્યની શાળાઓમાં કોરોના કેસ વધી રહ્યા છે. હાલ તો સરકારે ધોરણ 1 થી 9ના વર્ગો 31 જાન્યુઆરી સુધી બંધ કરી દીધા છે. તેમ છતા અત્યાર સુધીમાં ધરખમ વિદ્યાર્થીઓ કોરોના પોઝિટીવ થયા છે.
રાજ્યની શાળાઓમાં વિદ્યાર્થીઓમાં જે રીતે કોરોના સંક્રમણ વધી રહ્યું છે તે હવે એક ચિંતાનો વિષય બન્યો છે. કારણકે 1 ડિસેમ્બરથી અત્યાર સુધીમાં 1100 વિદ્યાર્થીઓનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. જેમા સૌથી વધારે કેસ સુરતના છે જ્યા કુલ 532 વિદ્યાર્થીઓનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.
રાજકોટમાં 80 વિદ્યાર્થીઓ પોઝિટીવ
બીજા નંબરે રાજકોટ આવે છે જ્યા અત્યાર સુધીમાં 80 વિદ્યાર્થીઓને કોરોના થયો છે. ત્યારાબાદ ગાંધીનગરમાં પણ અત્યાર સુધીમાં 50 જેટલા વિદ્યાર્થીઓ પોઝિટીવ આવ્યા છે જ્યારે સૌથી ઓછા કેસ વડોદરામાં નોંધાયા છે જ્યા 20 જેટલા વિદ્યાર્થીઓનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આ તમામ આંકડાઓ DEO કચેરી દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યા છે.
વિદ્યાર્થીઓમાં વધતા સંક્રમણને લઈ વાલીઓ ચિંતામાં
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા 1 થી 9 ધોરણના ઓફલાઈન વર્ગો બંધ કરી દેવામાં આવ્યા છે. જોકે વધતા જેતો કેસો હવે એક ચિંતાનો વિષય બન્યો છે. તેમા પણ મોટાભાગના વિદ્યાર્થીઓએ હજુ વેક્સિન નથી લઈ શક્યા જેથી બાળકોમાં ફેલાઈ રહેલા સંક્રમણને વાલીઓ પણ ટેન્શનમાં આવી ગયા છે.