આઈઆઈટી કાનપુરના પ્રોફેસરે કહ્યું કે 20-25 એપ્રિલની વચ્ચે કોરોના પીક પર રહેશે. આ પછી રાહત મળશે અને એક્ટિવ કેસ ઘટશે. મે મહિનામાં રાહત મળશે.
આઈઆઈટી કાનપુરના પ્રોફેસરે આપી ચેતવણી
202-25 એપ્રિલ સુધી કોરોના સંક્રમણ રહેશે પીક પર
મે મહિનામાં મળી શકે છે રાહત
દેશમાં ઝડપથી વધી રહેલા કોરોના સંક્રમણને લઈને થોડી હેરાન કરનારા ન્યૂઝ આવી રહ્યા છે. કોરોના પર નજર રાખનારા વિશેષજ્ઞોનું કહેવું છે કે કોરોના વાયરસની ગતિને લઈને ડો. વીકે પોલે કહ્યું છે તે આવનારા 4 અઠવાડિયા ખાસ રહેશે. આઈઆઈટી કાનપુરની ટીમે ગણિતિય મોડલના આધારે કહ્યું છે કે દેશમાં કોરોનાની લહેર 20-25 એપ્રિલ સુધીમાં તેના પીક પર હશે.
જાણો શું કહ્યું કાનપુરના પ્રોફેસરે
આઈઆઈટી કાનપુરના પ્રોફેસરે કહ્યું કે કોરોનાની બીજી લહેર પહેલાથી વધુ સંક્રામક છે. 15 એપ્રિલ પહેલા કેસ 2 લાખને પાર કરી ચૂક્યા છે અને હજુ પણ કોરોના સંક્રમણ ઘટી રહ્યુ નથી. ટીમે ગણિતિય મોડલથી કોરોના પર નજરી રાખી છે તો 20-25 એપ્રિલ સુધી આ આક 2 લાખ થવો જોઈતો હતો. પમ સ્થિતિ તે પહેલા જ ખરાબ થી છે. પીક વેલ્યૂની વાત કરીએ તો તે 20-25 તારીખમાં પીક પર હશે. આ પછી મે મહિનામાં રાહત મળી શકે છે.
જાણો ક્યારે ઘટશે કોરોનાના કેસ
એક રિપોર્ટ અનુસાર 25 એપ્રિલ બાદ કોરોનાથી રાહત મળી શકે છે. એક્ટિવ કેસ ઘટી શકે છે અને સાથે મે ના અંતમાં સ્થિતિ સુધરી શકે છે. દરેક રાજ્યોમાં સ્થિતિ સામાન્ય થશે. તો મે મહિનાના અંત સુધીમાં કોરોના ઘટી શકે છે. વેક્સીન આવ્યા બાદ લોકોની બેદરકારીના કારણે કોરોનાના કેસ વધી રહ્યા હોવાનું પણ સામે આવ્યું છે.
સંક્રમણની સરખામણીએ ઘટી રહ્યો છે મોતનો આંક
પ્રોફેસરે કહ્યું કે આ વખતો મોતનો આંક ઘટવાથી રાહત મળી છે પહેલા દેશમાં મોતનો આંત પણ વધારે હતો. આ વખતે કેસ 2 લાખ સુધી પહોંચ્યા છે પણ મોતનો આંક 1000 સુધી રહ્યો છે.