કોરોનાના ખતરાને જોતા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોને બુધવારે જરૂરી દિશા નિર્દેશ જાહેર કર્યા છે. તો આવો આપને જણાવીએ આ જરૂરી દિશા નિર્દેશોમાં રાજ્યોને શું સાવધાની રાખવાની રહેશે.
દેશમાં કોરોનાના કેસો ઘટ્યા
સરકારે ફરી એક વાર ગાઈડલાઈન જાહેર કરી
રાજ્યોને આપી દીધી આ સૂચના
દેશમાં કોરોના મહામારીનો ગ્રાફ દિવસેને દિવસે નીચે આવી રહ્યો છે. રોજ આવતા કોરોનાના કેસો છેલ્લા કેટલાય દિવસોથી 2 હજારથી નીચે આવી ગયો છે. કેટલાય રિપોર્ટ્સમાં એવું પણ આવી રહ્યું છે કે, દેશમાં મહામારીની ચોથી લહેર આવી શકે છે. ત્યારે આવા સમયે એ માની લેવુ તદ્દન ખોટુ છે કે, કોરોના ખતમ થઈ ચુક્યો છે. વાયરસની ગંભીરતાને જોતા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોને બુધવારે જરૂરી દિશા નિર્દેશ જાહેર કર્યા છે. તો આવો આપને જણાવીએ આ જરૂરી દિશા નિર્દેશોમાં રાજ્યોને શું સાવધાની રાખવાની રહેશે.
અહીં કોરોના પ્રતિબંધો ચાલુ રહેશે
કોવિડ મામલામાં ઘટાડાને જોતા કેન્દ્રએ બુધવારે રાજ્યોને આર્થિક અને સામાજિક ગતિવિધિઓમાં છૂટ આપવાનું કહ્યું છે, સાથે જ કોવિડ યોગ્ય વ્યવહારનું પાલન કરવાની પણ વાત કહી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે 10 ટકાથી વધારો કોરોના પોઝિટિવરેટવાળા, 40 ટકા ઓક્સિજન સમર્થિત અથવા આઈસીયૂ બેડના ઈંગેજ થનારા ક્ષેત્રોને જરૂરી પ્રતિબંધો લગાવાની પણ ભલામણ કરી છે.
ટેસ્ટ-ટ્રેક-ટ્રીટ-રસીકરણ
સરકારે ટેસ્ટ-ટ્રેક-ટ્રીક અને રસીકરણ તથા કોવિડ યોગ્ય વ્યવહારનું પાલન કરવાની પાંચ ગણી રણનીતિ પર નિરંતર ધ્યાન કેન્દ્રિત કરવા પર ભાર આપ્યું છે. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને લખેલા પત્રમાં, કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે તેમને કોવિડ સ્વાસ્થ્ય બુનિયાદી માળખાની પર્યાપ્ત ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા કહ્યું. તમામ સ્વાસ્થ્ય સુવિધાઓમાં બિન કોવિડ સ્વાસ્થય સેવાઓને સમગ્ર પણે લાગૂ કરવાના નિર્દેશ પણ આપ્યા છે.
કોવિડ ઉચિત વ્યવહારનું વિધિવત પાલન જરૂરી
તેમણે કહ્યું કે, હળવા કેસો માટે હોમ આઈસોલેશન પ્રોટોકોલ અને હાઈ રિસ્કવાળા કેસોમાં વિશેષ દેખરેખ જાહેર કરવાના નિર્દેશો આપ્યા છે. ભૂષણે કહ્યું કે, સામાજિક, ખેલ, મનોરંજન, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક, તહેવાર સંબંધિત અન્ય સભાઓને ફરીથી શરૂ કરી શકાય છે. પણ એ ધ્યાન રાખવું પડશે કે, આ જગ્યા પર કોવિડ યોગ્ય વ્યવહારનું વિધિવત પાલન કરવામાં આવે. શૈક્ષણિક સંસ્થાઓમાં કોઈ પણ પ્રતિબંધ વિના ઓફલાઈન ક્લાસ ફરથી શરૂ કરી શકાશે. જો કે, શૈક્ષણિક સંસ્થા શિક્ષણનું હાઈબ્રિડ મોડલનો પણ લાભ ઉઠાવી શકે છે.
આ જગ્યા પર નહીં હોય કોરોનાના પ્રતિબંધ
ભૂષણે આગળ કહ્યું કે, વિવાહ અને અંતિમ સંસ્કારની અનુમતી આપવામાં આવે છે અને તમામ શોપિંગ કોમ્પ્લેક્સ, સિનેમા હોલ, રેસ્ટોરંટ અને બાર, સ્પોર્ટ્સ અને કોમ્પેલેક્સ, જિમ, સ્પા, સ્વમિંગ પુલ અને ધાર્મિક સ્થળોને પુરી ક્ષમતા સાથે સંચાલિત કરવાની મંજૂરી આપવામાં આવે છે .સાર્વજનિક પરિવહન (રેલ્વે, મેટ્રો, બસ, કેબ) કોઈ પણ પ્રકારની ક્ષમતા સાથે વગર પ્રતિબંધે ચાલુ થશે. સાથે જ જરૂરી વસ્તુઓના પરિવહન સહિત આંતરરાજ્ય અને રાજ્યની અંદર અવરજવર પર કોઈ પ્રતિબંધો લાગશે નહીં. આ ઉપરાંત તમામ સરકારી અને ખાનગી કાર્યાલયો કોઈ પણ ક્ષમતા વગર પ્રતિબંધ રહિત કામ કરી શકે છે. તમામ ઓદ્યોગિક અને વૈજ્ઞાનિક પ્રતિષ્ઠાનોને મંજૂરી આપવામાં આવી શકે છે.