IIT કાનપુરના પ્રોફેસર મણીન્દ્ર અગ્રવાલે જણાવ્યું કે જો કોરોનાનો કોઈ નવો વેરિયન્ટ નહીં આવે તો ત્રીજી લહેર પણ નહીં આવે.
IIT કાનપુરના પ્રોફેસર મણીન્દ્ર અગ્રવાલનો દાવો
નવો વેરિયન્ટ નહીં આવે તો ત્રીજી લહેર પણ નહીં આવે
આપણે કોરોનાની સામે આ લડાઈ જીતી રહ્યાં છીએ
તેમણે કહ્યું કે જો ભવિષ્યમાં ડેલ્ટા વેરિયન્ટ જ હાવી રહ્યો અને કોઈ નવો વેરિયન્ટ ન આવ્યો તો સમજજો કે આપણે કોરોનાની સામે આ લડાઈ જીતી રહ્યાં છીએ.
દેશે કોરોના પર કાબુ મેળવી લીધો છે
કેરળની સ્થિતિ પર બોલતા તેમણે કહ્યું કે દેશે કોરોના પર કાબુ મેળવી લીધો છે. કેરળમાં કાબુ મળતા આખો દેશ કોરોના સામેની લડાઈ જીતી લેશે. આગામી એક મહિનામાં કેરળમાં કેસો કાબુમાં આવી શકે છે.
કોરોનાની લડાઈમાં યુપી મોડલ ઘણું સફળ રહ્યું
અગ્રવાલે ભારપૂર્વક કહ્યું કે કોરોનાની લડાઈમાં યુપી મોડલ ઘણું સફળ રહ્યું છે. ત્યાં 75 ટકા લોકોમાં કોરોના સામેની ઈમ્યુનિટી પેદા થઈ છે. યુપીમાં કોરોના કન્ટ્રોલમાં આવી ગયો છે.
ઝડપી રસીકરણને કારણે સ્થિતિ સુધરી
કોરોનાના કેસો હાલ માટે ચોક્કસપણે વધી રહ્યા છે, પરંતુ મનિન્દ્રા અગ્રવાલે સ્વીકાર્યું કે પરિસ્થિતિ નિયંત્રણમાં છે. તેમની નજરમાં દેશમાં ઝડપથી રસીકરણ થઈ રહ્યું છે અને તે રસીકરણને કારણે જ પરિસ્થિતિ નિયંત્રણની બહાર ગઈ નથી. તેમણે કહ્યું હતું કે, ભારતીય રસી કોરોના સામેની સૌથી મોટી સિદ્ધિ છે, જો કોઈ રસી કે કોવિકશિલ્ડ ન હોત તો દેશની સ્થિતિ બેકાબૂ બની હોત.