કોરોનાની ત્રીજી લહેરના ખતરાની વચ્ચે પર્યટન સ્થળો ખોલવાને લઈને ઈન્ડિયન મેડિકલ એસોસિયેશને ચિંતા વ્યક્ત કરી છે. ભલે ભારતમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે પણ વિશેષજ્ઞોએ ચેતવણી આપી છે કે જો બેદરકારી દાખવી તો કોરોનાનો કહેર આવી શકે છે.
IMAએ આપી છે ચેતવણી
IMAએ કેન્દ્ર અને રાજ્ય સરકારને ઓછામાં ઓછા 3 મહિના માટે કોરોના ગાઈડલાઈન્સનું પાલન કરવાની અપીલ કરી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારને મોકલવામાં આવેલા લેટરમાં કહેવાયું છે કે પર્ટન, ધાર્મિક સ્થળો અને અને ધાર્મિક ઉત્સાહ જરૂરી છે પણ તેના માટે થોડી રાહ જોવાની જરૂર છે.
IMAના અધ્યક્ષે શું કહ્યું છે જાણો
તેઓએ કહ્યું છે કે દેશ કોરોના મહામારીની વિનાશકારી બીજી લહેરથી બહાર આવ્યો છે, પણ કોરોના ખતમ થયો નથી. વૈશ્વિક સબૂત અને કોઈપણ મહામારીમાં ઈતિહાસમાં સ્પષ્ટ છે કે ત્રીજી લહેર આવે છે અને આવવાની પણ છે. તેઓએ કહ્યું છે કે ભારતમાં વેક્સિનની ગતિને વેગ આપવાની જરૂર છે અને કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરીને ત્રીજી લહેરના પ્રભાવને ઘટાડી શકાય છે. ત્રીજી લહેરની સંભાવના છે તે દુઃખદ છે. પણ સરકાર અને જનતા જે રીતે બેફિકર થઈને ભીડ કરી રહી છે તે ચિંતા જન્માવનારું સાબિત થઈ શકે છે.
પર્યટન અને ધાર્મિક સ્થળો માટે ખાસ ચેતવણી
IMAએ કહ્યું કે પર્યટન અને ધાર્મિક યાત્રાને ખોલવા અને વેક્સિન લગાવ્યા વિનાના લોકોને સમારોહમાં પરમિશન આપવી એ ત્રીજી લહેર માટે સંભવિત સુપર સ્પ્રેડર સાબિત થઈ શકે છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણના આધારે ભારતમાં 12 જુલાઈ 2021ના રોજ 4,50, 899 એક્ટિવ કેસ જોવા મળ્યા છે.