કેરળમાં કોરોનાના કેસ અટકવાનું નામજ નથી લઈ રહ્યા. છેલ્લા 24 કલાકમાં અહીયા 114 લોકોના મોત થયા છે. જેના કારણે હવે અહીયાના લોકોમાં ભયનો માહોલ ફેલાયેલો છે.
કરેળમાં કોરોનાના કેસમાં સતત વધારો
કેસમાં વધારો થવાને કારણે લોકોમાં ભયનો માહોલ
છેલ્લા 24 કલાકમાં 114 લોકોના મોત
છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાના કુલ 41, 277 જેટલા કેસ નોંધાયા છે. જેની સામે 42 હજાર કરતા વધારે લોકો સાજા પણ છથયા છે. પરંતુ ભારતમાં સૌથી વધું એક્ટિવ કેસ અત્યારે કેરેલામાં જોવા મળી રહ્યા છે. સાથેજ અહીયા છેલ્લા પાંચ દિવસમાંતો એક્ટિવ કેસની સંખ્યામાં પણ વધારો થયો છે. જેના કારણે લોકોમાં ચિંતાના માહોલ ફેલાઈ ગયો છે.
114 લોકોના મોત
ગતરોજ કેરેલામાં કુલ 16 હજાર કરતા પણ વધારે પોઝિટીવ કેસ સામે આવ્યા છે. સાથેજ 114 લોકોએ અહીયા પોતાનો જીવ પણ ગુમાવ્યો છે. જોકે સારી બાબત એ પણ છે કે ત્યા 13 હજાર કરતા વધારે દર્દીઓ સાજા થયા છે. હાલ કેરળમાં કુલ 2837 એક્ટિવ કેસ વધ્યા છે જેના કારણો લોકોમાં ભય ફેલાયો છે.
છેલ્લા 25 દિવસથી દેશમાં કોરોનાના આકડા સ્થિર
છેલ્લા 25 દિવસથી દેશમાં કોરોનાના કેસ સ્થિર જોવા મળી રહ્યા છે. એટેલેકે જેટલા કેસ નોંધાઈ રહ્યા છે. સામે તેટલાજ લોકો રિકવર પણ થઈ રહ્યા છે. છેલ્લે 23 જૂનના રોજ દેશમાં કુલ 53 હજાર કરતા વધારે કેસ નોંધાયા હતા. જોકે હવે રોજના 37 થી 45 હજાર જેટલા કેસ નોંધાઈ રહ્યા છે. સાથેજ તેટલાજ દર્દીઓ સાજા પણ થઈ રહ્યા છે.
30 લાખ કરતા વધું લોકો રિકવર
ઉલ્લેખનીય છે કે ગતરોજ કેરેળમાં 16 હજાર કરતા વધારે લોકો સંક્રમિત થયા હતા જે પૈકી 13 હજાર કરતા વધારે લોકો રિકવર પણ થયા હતા. જોકે 114 લોકોના મોત પણ થયા છે. અત્યાર સુધીમાં અહીયા 31.46 લોકો સંક્રમણમાં ઝડપાઈ ગયા છે. જે પૈકી 30 લાખ કરતા વધારે લોકો ઠીક પણ થઈ ચુક્યા છે. અને કુલ 15,269 લોકોના અહીયા મોત થયા છે. હાલ અહીયા કુલ 1,24,000 એક્ટિવ કેસ છે. જેમનો ઈલાજ ચાલી રહ્યો છે.