દિલ્હીમાં જ્યાં રોજના 27 હજાર ટેસ્ટ થતાં હતા ત્યાં ICMR દ્વારા હવે દરરોજ 37 હજાર 200 લોકોની તપાસ થશે. ગૃહ પ્રધાન અમિત શાહે 15 નવેમ્બરના રોજ રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસને નિયંત્રણમાં લાવવા માટે અનેક જાહેરાતો કરી હતી.
કોરોના કેસો વધતાં અમિત શાહે સંભાળી કમાન
ગૃહમંત્રીએ ટેસ્ટિંગ વધારવાના આપ્યા આદેશો
RT - PCR ટેસ્ટિંગનું પ્રમાણ વધારવા પર મૂકાયો ભાર
દેશમાં ફરીથી સ્પીડ પકડનાર કોરોના વાયરસ , પર લગામ લગાવવા માટે સરકાર હવે એલર્ટ મોડ પર છે. ભારતીય તબીબી સંશોધન પરિષદ ICMR એ ચેપગ્રસ્ત વ્યક્તિને શોધવા માટે RT - PCR પરીક્ષણની સંખ્યામાં વધારો કર્યો છે. ગૃહ મંત્રાલયે શનિવારે આ માહિતી આપી છે. વિશેષ વાત એ છે કે ગૃહમંત્રી અમિત શાહ ના આદેશ બાદ ICMR એ કોરોના પરીક્ષણની સંખ્યામાં વધારો કર્યો છે.
લેટેસ્ટ માહિતી અનુસાર દરરોજ પહેલા 27 હજાર પરીક્ષણો કરનારી ICMR હવે દરરોજ 37 હજાર 200 લોકોની તપાસ કરશે. 15 નવેમ્બરના રોજ ગૃહ પ્રધાન અમિત શાહ એ રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસ ને નિયંત્રિત કરવા માટે અનેલ પગલાંઓની સૂચના જાહેર કરી હતી. આ સૂચનોમાં RT - PCR પરીક્ષણની ક્ષમતા વધારવી અને દિલ્હી માં મોબાઇલ પરીક્ષણ વાનની સ્થિતિમાં સુધારો કરવો શામેલ છે.
આ ઉપરાંત અમિત શાહ એ એમ પણ કહ્યું હતું કે ક્ષમતા વધારવા માટે સેન્ટ્રલ સશસ્ત્ર પોલીસ દળના ડોકટરો અને પેરામેડિકલ સભ્યોને દિલ્હી લાવવામાં આવ્યા છે. કોવિડ 19 ચેપના ગંભીર કિસ્સાઓમાં, પ્લાઝ્મા ડોનેશનને લગતા નિયમો બનાવવામાં આવશે.
આ બેઠકનું આયોજન દિલ્હી ની તહેવારની સીઝનમાં કોરોના વાયરસ થી બચવા માટેની રણનીતિ બનાવવા માટે કરવામાં આવ્યું હતું. સરકારનું કહેવું છે કે દેશમાં અત્યાર સુધીમાં 13 કરોડથી વધુ કોરોના પરીક્ષણ કરવામાં આવ્યા છે. ખાસ વાત એ છે કે છેલ્લા 10 દિવસમાં જ માત્ર એક કરોડ ટેસ્ટિંગ કરવામાં કરવામાં આવ્યા છે.
કેન્દ્ર અને રાજ્ય સરકારો એલર્ટ મોડ પર છે
કેન્દ્ર સિવાય રાજ્ય કક્ષાની ઘણી સરકારો કોરોના વાયરસ સામે કાર્યવાહી કરવા માટે એલર્ટ મોડ પર છે. મધ્યપ્રદેશ, ગુજરાતના અનેક જિલ્લાઓ અને શહેરોમાં નાઇટ કર્ફ્યુની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત મહારાષ્ટ્રની BMC એ મુંબઈની શાળાઓને 31 ડિસેમ્બર સુધી બંધ રાખવાનો આદેશ આપ્યો છે. તે જ સમયે, ગુજરાતમાં સરકારે 23 નવેમ્બરના રોજ શાળા શરૂ કરવાના આદેશો પાછી ખેંચી લીધા છે.