ખોટો જાદુ અને અંધ શ્રદ્ધાની સાથે ધર્મ-કર્મથી ભોળા લોકોની બિમારી અને પરેશાનીને દૂર કર કરનારા બાબાઓ તમને સામેથી બિમારી પણ આપી શકે છે. મધ્યપ્રદેશના રતલામમાં એવું થયું કે એક સંક્રમિત બાબાએ પોતાના ભક્તોને કોરોના વાયરસ આપ્યો.
આવા જ એક બાબાનું 4 જૂનના રોજ કોરોનાના કારણે મૃત્યું થયું. તંત્રએ બાબાની કોન્ટેક્ટમાં આવેલા લોકોની શોધ કરી તેઓને ક્વોરોન્ટાઇન કર્યાં. જ્યારે આ બધાનો કોરોના રિપોર્ટ કઢાવામાં આવ્યો તો તે શહેરમાં કોરોનાનો બોમ્બ ફૂટ્યો. આ બાબાએ પોતાના મૃત્યું પહેલા 29 લોકોને કોરોના બિમારી આપી હતી.
રતલામના નયાપુરાના આ બાબા કાળો જાદુ કરતો હતો અને તાવીજ આપતો હતો. લોકો મોટી સંખ્યામાં તેમની પાસે આતાં હતા અને ક્યારેક-ક્યારેક આ બાબા લોકોનો હાથ પણ ચુમતો હતો.
તંત્ર હજી પણ આ બાબાના સંપર્કમાં આવેલા લોકોને શોધી રહ્યું છે. આ બાબાના કારણે જે લોકો કોરોના પોઝિટિવ મળ્યાં છે તેઓ બાબાના નિવાસ સ્થાન નયાપુરા વિસ્તારના છે. નયાપુરા શહેરનું કોરોના હૉટસ્પોટ બની ગયું છે.
એક બાબાના કારણે શહેરમાં કોરોના ફેલાયો તો તંત્રએ શહેરમાંથી બીજા આવા બાબાઓને પકડવાનું શરૂ કરી દીધું છે. તંત્રએ અંદાજે બીજા 29 બાબાઓને પકડી અલગ-અલગ ક્વોરોન્ટાઇ સેન્ટરમાં મોકલી આપ્યાં છે.
ક્વોરોન્ટાઇન સેન્ટરમાં આ બાબાઓએ ફરિયાદ કરી છે કે તેમને અહીં સુવિધા આપવામાં આવતી નથી. અહી તેઓની કોઇ તપાસ પણ કરવામાં આવી નથી. આ બાબાઓનું કહેવું છે કે કોરોના મહામારીના કારણે આ કામ બંધ કરી દીધું હતું તેમ છતાં અમને પકડીને લાવી અહીં બંધ કરવામાં આવ્યાં છે.