કોરોનાની ત્રીજી લહેરને લઈને લોકોમાં ભયનો માહોલ ફેલાયેલો છે. ત્યારે વધુમાં હવે દિવસેને દિવસે કોરોનાના લક્ષણો બદલાઈ રહ્યા છે. જેને લઈને તબીબોએ લોકોને સાવચેત કર્યા છે.
કોરોના દિવસેને દિવસે બદલી રહ્યો છે લક્ષણો
વેક્સિન લીધી હોય તેમણે પણ સાવધાની રાખવી પડશે
લોકો હવે ટેસ્ટ કરવામાં ગંભીરતા નથી રાખતા: ડૉક્ટર
કોરોનાની બીજી લહેર દેશ માટે ઘણી સાબિત થઈ હતી. જોકે બીજી લહેર પછી લોકોમાં ત્રીજી લહેરનો માહોલ ફેલાયેલો છે. પરરંતુ હવે કોરોનાના લક્ષણો ધીરે ધીરે બદલાઈ રહ્યા છે. કોરોના સંક્રમણને ઓળખવા માટે ડૉક્ટરો સામે મોટો પડકાર ઉભો થયો છે.
ત્રીજી લહેર પહેલા બદલાયા કોરોનાના લક્ષણ
મોટા ભાગના તબીબોનું કહેવું છે કે હવે દર્દીઓને જ્યારે કોરોના ટેસ્ટ કરાવાનું કહીએ તો તેઓ ગંભરતા નથી લેતા. આ મામલે તબીબોનું એમ માનવું છે કે લોકો વેક્સિન લગાવી ચુક્યા છે. જેથી તેઓ આ બિમારીને હવે ગંભીરતાથી નથી લઈ રહ્યા. બીજી તરફ ત્રીજી લહેર પહેલા કોરોનાના લક્ષણો બદલાઈ રહ્યા છે. જે પહેલા કરતા હળવા થયા છે.
દર્દીઓ ટેસ્ટ કરવામાં તસ્દી નથી લેતા
જોકે કોરોના એક એવી બિમારી છે કે જો સમયસર તેનો ઈલાજ કરવામાં ન આવે તો પરિસ્થિતી ગંભીર થઈ શકે છે. તબીબના કહેવા પ્રમાણે ટેસ્ટ કરવામાં દર્દીઓ તસ્દી નથી લેતા. ટેસ્ટ ઓછા થાય છે. જેના કારણે ચોક્કસ આંકડો પણ સામે નથી આવી શકતો, લાંબા સમય સુધી જો કોઈને શરદી ખાસી રહે તો બની શકે છે કે દર્દીમાં કોરોનાના લક્ષણો છે.
શિયાળો આવતા વધી રહ્યા છે તાવ અને શર્દીના કેસ
શિયાળો આવી ગયો છે. ત્યારે શિયાળામાં શર્દી ખાસી અને સામાન્ય તાવની સમસ્યા રહેતી હોય છે. જોકે સમસ્યા લાંબા સમય સુધી રહે તેમજ દર્દીઓને સ્વાદ અને સુગંધ ન આવે તો સમજી લેવાવું કે વ્યક્તિ કોરોના પોઝિટીવ છે. આવા લક્ષણમાં કોઈ પણ દર્દીએ મોડું વન કરવું જોઈએ અને પહેલા ટેસ્ટ કરાવવો જોઈએ.
પહેલાની સરખાણીએ લક્ષણો બદલાયા
ઉલ્લેખનીય છે કોરોના સંક્રમણનો ભોગ બન્યા બાદ મોટા ભાગના દર્દીઓ હોમ આઈસોલેશનમાં સારા થઈ જતા હોય છે. પરંતુ અમુક દર્દીઓ એવા પણ હોય છે કે જેમને હોસ્પિટલમાં એડમીટ કરવા પડતા હોય છે. તબીબોના કહેવા પ્રમાણે મોટા ભાગના દર્દીઓમાં હાલ કફ પેદા કરવા વાળી ખાસીની સમસ્યા છે. સાથેજ સામાન્ય તાવની પણ સમસ્યા રહે છે. જ્યારે પહેલા સુકી ખાસી રહેતી હતી જ્યારે તાવ વધારે પ્રમાણમાં રહેતો હતો.