સુશાસન સપ્તાહમાં સરકારી અને સામાજિક કાર્યક્રમોમાં પોતાના વિસ્તારમાં પ્રભુત્વ જમાવવાની કોશિશમાં ભીડ અને રેલીઓનો ભાગ બનેલા નેતાઓ કોરોનાની ઝપટે ચડી જતા હોમ અઈસોલેટ
ગુજરાત સાથે ભાજપમાં પણ 'કોરોના'નો કકળાટ
સ્થાનિક મેળાવડામાં મહાલેલા નેતાઓ સંક્રમિત
તો યુપીમાં પ્રચાર કરી આવેલા નેતાઓ પણ પોઝીટીવ
ગુજરાત ભાજપમાં ચિંતાના વાદળ છે. એક તરફ ઉત્તરપ્રદેશની ચૂંટણી છે તેમાં પ્રચારરત કેટલાક નેતાઓ કોરોના સંક્રમિત થયા છે. બીજી તરફ સુશાસન સપ્તાહમાં સરકારી અને સામાજિક કાર્યક્રમોમાં લગોલગ ઊભીને પોતાના વિસ્તારમાં પોતાનું પ્રભુત્વ જમાવવાની કોશિશમાં ભીડ અને રેલીઓનો ભાગ બનેલા પણ કેટલાક ઝપટે ચડી જતા હોમ અઈસોલેટ થયા છે. રાજકોટ ભાજપમાં એટલા માટે ફફડાટ છે કે, નીતિન ભારદ્વાજ,ધનસુખ ભંડેરી, ભરત બોધારા, મનીષ ચાંગેલા ઉત્તર પ્રદેશના ચૂંટણી પ્રચાર-[રસાર પ્રવાસે ગયેલા હતા,ત્યાંથી પછા ફરતા સંક્રમિત જાહેર થયા છે.
ઋત્વિજ પટેલ,બોધારા, બાવળીયા સંક્રમિત
અમદાવાદના સંત સંમેલનમાં ઉપસ્થિત ડો.ઋત્વિજ પટેલ સહીત કેટલાક સંક્રમિત થયા.તો સુરતમાં પણ ત્રણ થી પાંચ કોર્પોરેટર ઉપરાંત ધારાસભ્ય ઝંખના પટેલ પણ સંક્રમિત થયા છે. વધુમાં રૂપાની સરકારમાં કેબીનેટ મંત્રી રહેલા કુંવરજી બાવળીયા પણ કોરોનાની ઝપટે ચઢ્યા છે. ત્રણ દિવસ પહેલા જ ગાંધીનગરમાં કોળી સમાજનાં આંતર કલહ મુદે આવેલા બાવળીયા હોમ આઈસોલેશનમાં ગયા છે.આ માહિતી તેમને ખુદ ટવિટ કરીને આપી છે.
ટોળાનાં ચહેરા હવે 'હોમ'આઇસોલેશનમાં
વેકસીનના બે-બે ડોઝ અને ચારે બાજુથી ઘેરાયેલા રહેવાની ( કુ )ટેવનાં કારણે, સોશિયલ ડીસ્ટન્સ નાં રાખી શક્યા અને માસ્ક તો જાણે સરકારી ચોપડે શોભાયમાન હોય તે રીતે નીતિ-નિયમોને કોરાણે મુકીને કરાયેલું વર્તન કદાચ કારણભૂત હોય શકે. છેલ્લા 15 દિવસની ઘટનાઓ અને રેલીઓ ઉપરાંત સામાજિક કાર્યક્રમો પર નજર કરશો તો લાગશે કે હકીકતમાં સામાન્ય જનતાને શીખ આપનારા નેતાઓ જ પોતે આ તમામ નીતિ-નિયમોથી પર હોવાની પ્રતીતિ કરાવતા રહ્યા છે. આ ભાજપ માટે આજે ચિંતા છે.અને આ ચિંતા હવે ચિંતનમાં પરિણમી છે