દેશમાં કોરોનાના વધતાં જતાં કેસોની વચ્ચે સરકાર પર પણ દબાણ વધી રહ્યું છે, પીએમ મોદી હવે કોરોનાના મુદ્દે રાજ્યપાલો સાથે બેઠક કરશે.
દેશમાં કોરોનાથી હાલત ગંભીર
મોદી સરકાર પણ સ્થિતિને નિયંત્રણમાં લેવાના કરી રહી છે પ્રયાસ
પીએમ મોદી 14 એપ્રિલના રોજ રાજ્યપાલો સાથે કરશે બેઠક
દેશમાં કોરોનાના વધતાં સંકટની વચ્ચે પીએમ મોદી આગામી ૧૪ એપ્રિલે વિવિધ રાજ્યોના રાજ્યપાલો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ઉપરાજ્યપાલો સાથે ચર્ચા કરશે, અને કોરોનાની સ્થિતિની સમીક્ષા કરશે.
દેશમાં કોરોનાની નવી લહેર ચાલી રહી છે
હાલના સમયમાં ભારત કોરોનાની નવી લહેરનો સામનો કરી રહ્યું છે, અને ભારતમાં રેકોર્ડબ્રેક કેસો નોંધાઈ રહ્યા છે, રવિવારે ભારતમાં રેકોર્ડબ્રેક સૌથી વધુ 1.83 લાખ કોરોના કેસ નોંધાયા હતા અને 800થી વધુ લોકોના મોત પણ નીપજયાં હતા, આ બધાની વચ્ચે દેશમાં પીએમ મોદી દ્વારા 11 એપ્રિલથી 14 સુધી ચાલનારા ટીકા ઉત્સવની શરૂઆત કરવામાં આવી છે, જો કે ઘણી જગ્યાએ મીડિયા અહેવાલઓ અનુસાર રસીનો સ્ટોક ખૂટી પડ્યો છે , અને રસીના અભાવે ઘણા રાજ્યોમાં ચાલુ રસીકરણ કેન્દ્રો પણ બંધ કરવા પડી રહ્યા છે.
હાલમાં જ અમુક સમય પહેલા પીએમ મોદીએ વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી હતી, જેમાં તેમણે લોકડાઉનની સંભાવનાને નકારી કાઢી હતી અને કહ્યું હતું કે કોરોનાને હરાવવા માટે 3t એટલે કે ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને ટ્રીટમેન્ટની રણનીતિ પર ભાર મૂકવો પડશે અને સાથે જ વધુને વધુ લોકોનું રસીકરણ થાય તે દિશામાં કામ કરવું પડશે. અ સમયગાળા દરમિયાન ઘણા રાજ્યો જેવા કે રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત અને દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલની બધી ઉંમરના લોકો માટે રસીકરણની પરવાનગી આપવાની તેમણે નકારી હતી અને કહ્યું હતું કે જે લોકોને સૌથી પહેલા જરૂર છે , તેના સુધી રસી પહોંચાડવી તે સૌથી પહેલુ લક્ષ્ય છે.
રેમિડેસીવીરની નિકાસ પર પ્રતિબંધ
છેલ્લા અમુક દિવસોથી દેશના ઘણા રાજ્યોમાં રેમિડેસીવીરના ઇન્જેકશન બાબતે ઘણી ડિમાન્ડ વધી ગઈ છે અને આ ઇન્જેકશન લીધે અમુક રાજકીય વિવાદો પણ વધ્યા છે, જો કે કેન્દ્ર સરકારે રેમિડેસીવીર ઇન્જેકશનની વધી રહેલ ડિમાન્ડ જોતાં તાત્કાલિક રૂપે આ ઇન્જેકશન અને તેને બનાવવામાં વપરાઇ શકનાર તેના એપીઆઇના નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો છે, આ બાબતે એક પ્રેસનોટ જાહેર કરીને કેન્દ્ર સરકાર દ્વારા જાણકારી આપવામાં આવી હતી કે હાલમાં આ ઇન્જેકશનની ડિમાન્ડ વધી રહી છે અને ભવિષ્યમાં પણ તે વધી શકે છે, માટે જ્યાં સુધી ભારતમાં કોરોનાની સ્થિતિ કંટ્રોલમાં ન આવે ત્યા સુધી આ ડ્રગ અને તેના એપીઆઇની નિકાસ પર પ્રતિબંધ રહેશે.
કેન્દ્ર સરકારે કર્યો મહત્વનો નિર્ણય
આ સિવાય કેન્દ્ર સરકાર દ્વારા આ ઇન્જેકશનના ઘરેલુ ઉત્પાદકોને તેમની વેબસાઇટ પર તેમની પાસે હાજર સ્ટોક અને તેનાઓ સ્ટોકિસટ્સ અને ડીલરોની પણ માહિતી આપવાનું ફરજિયાત કર્યું છે, સાથે જ ડ્રગ ઈન્સ્પેકટરોને આ સ્ટોકનું વેરીફાય કરવાની અને રાજ્યો અને કેંદ્રશાસિત પ્રદેશોના આરોગ્ય સચિવો દ્વારા આ મામલે માહિતી મેળવવાની વ્યવસ્થા કરી છે.
મહત્વનું છે કે સોમવારે જ દિલ્હી એમ્સ ડિરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ એક ચેતવણી આપતા જણાવ્યું હતું કે દેશમાં નવી લહેર ખૂબ જ ચેપી છે, અને એક ટકા દરદીથી આસપાસના 80 ટકા લોકોને સંક્રમણ થવાનું જોખમ વધી રહ્યું છે.