આ જાણકારી CPCB કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના આંકડાઓથી સામે આવી છે. માત્ર સપ્ટેમ્બર મહિનામાંજ આખા દેશમાં લગભગ 5500 ટન જેટલો કછરો જનરેટ થયો હતો, જે એક મહિનામાં સૌથી વધુ છે.
કોરોના વાયરસને લીધે પેદા થયો 18000 ટન જેટલો કચરો
મહારાષ્ટ્ર રાજ્યમાં પેદા થયો સૌથી વધુ કચરો
CPCB ના ડેટાથી બહાર આવી આ મહત્વપૂર્ણ જાણકારી
છેલ્લા ચાર મહિનામાં ભારતમાં 18,006 ટન COVID-19 બાયોમેડિકલ વેસ્ટનું ઉત્પાદન થયું હતું, અને તેમ પણ મહારાષ્ટ્રનો ભાગ (3587 ટન) જેટલો હતો જે સૌથી વધુ છે. આ માહિતી સેન્ટ્રલ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ CPCB ના ડેટા પરથી પ્રાપ્ત થઈ છે. એકલા સપ્ટેમ્બર મહિનામાં જ લગભગ 5,500 ટન કોવિડ -19 કચરો પેદા થયો હતો, જે કોઈ પણ મહિનામાં સૌથી વધુ છે.
કોવિડ -19 કચરામાં PPE કિટ્સ, માસ્ક, શૂ કવર, ગ્લોવ્સ જેવી ચીજો સામેલ છે
રાજ્યોના પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા મળેલા ડેટા અનુસાર, જૂનથી, બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 18,006 ટન જેટલો કોરોના વાયરસ સંબંધિત બાયોમેડિકલ કચરો પેદા થયો છે. હાલમાં જો કે તેનો 198 યુનિટ દ્વારા નિકાલ પણ કરવામાં આવી રહ્યો છે. કોવિડ -19 કચરામાં PPE કિટ્સ, માસ્ક, શૂ કવર, ગ્લોવ્ઝ, લોહીથી દૂષિત વસ્તુઓ, બ્લડ બેગ, સોય, સિરીંજ વગેરેનો સમાવેશ થાય છે.
મળતી માહિતી મુજબ, જૂનથી ચાર મહિનામાં મહારાષ્ટ્રમાં 3587 ટન કચરો ઉત્પન્ન થયો છે, જ્યારે તમિળનાડુમાં 1737 ટન, ગુજરાતમાં 1638 ટન, કેરળમાં 1516 ટન, ઉત્તર પ્રદેશમાં 1416 ટન, દિલ્હીમાં 1400 ટન, કર્ણાટકમા 1380 ટન અને પશ્ચિમ બંગાળમા 1000 ટન જેટલો કચરો ઉત્પન્ન થયો હતો.
સપ્ટેમ્બરમા ગુજરાતમા પેદા થયો હતો સૌથી વધુ કચરો
સપ્ટેમ્બરમાં આશરે 5490 ટન કચરો પેદા થયો હતો. આ સમયગાળા દરમિયાન, ગુજરાતમાં સૌથી વધુ 622 ટન કચરો ઉત્પન્ન થયો. ત્યારબાદ તામિલનાડુમાં 543 ટન, મહારાષ્ટ્રમાં 424 ટન, ઉત્તર પ્રદેશમાં 507 ટન અને કેરળમાં 494 ટન કચરાનું ઉત્પાદન થયું હતું. CRPB ના ડેટા અનુસાર સપ્ટેમ્બરમાં દિલ્હીમાં 382 ટન કચરો પેદા થયો હતો.
નોંધપાત્ર વાત એ છે કે દેશમાં મહારાષ્ટ્ર સૌથી વધુ કોરોના અસરગ્રસ્ત રાજ્ય રહ્યું છે. દેશમાં કોરોના ફાટી નીકળ્યો ત્યારથી, મહારાષ્ટ્ર એક એવું રાજ્ય રહ્યું છે જેમાં દેશમાં સંક્રમણના મામલામાં સૌથી વધુ દર્દીઓ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના ના 15 લાખથી વધુ કેસ નોંધાયા છે, જેમાં સાડા 12 લાખથી વધુ દર્દીઓ સ્વસ્થ થઈ ચૂક્યા છે, જેમાં હાલમાં 2 લાખ 21 હજાર જેટલા એક્ટિવ કેસ છે અને 40 હજાર જેટલા લોકોના મૃત્યુ થયા છે.