દેશમાં કુલ 3, 43 122 મામલા સામે આવ્યા છે જ્યારે 3994 દર્દીઓના મોત થયા છે.
24 કલાકમાં દેશમાં 3, 43 122 મામલા આવ્યા
3994 દર્દીઓના મોત થયા
રોજના મામલામાં ઘટાડો આવ્યો છે.
3994 દર્દીઓના મોત થયા
દેશમાં કોરોનાથી થઈ રહેલી મોતની સંખ્યા નથી ઘટી રહી. ભલે કોરના સંક્રમણના મામલામાં ઘટાડો આવી રહ્યો હોય પરંતુ મૃત્યુદર ઉંચો છે. ગુરુવારે દેશમાં કુલ 3, 43 122 મામલા સામે આવ્યા છે જ્યારે 3994 દર્દીઓના મોત થયા છે.
રોજના મામલામાં ઘટાડો આવ્યો છે.
એક દિવસ પહેલા બુધવારે 3, 62, 720 દર્દી સંક્રમિત જોવા મળ્યા હતા અને ચાર હજારથી વધારે લોકોના મોત થયા છે. જો કે ગત 7 દિવસના આંકડા જણાવે છે કે રોજના મામલામાં ઘટાડો આવ્યો છે. શનિવારે જ્યાં 3.91 લાખ કેસ નોંધાયા હતા. ત્યારે ગુરુવારે 3.43 લાખ કેસ સામે આવ્યા છે. પરંતુ રોજના થઈ રહેલી મોતની સંખ્યા ઉચ્ચ દર પર બનેલી છે. સાત દિવસમાં સરેરાશ રોજના લગભગ 4 હજાર મોતનો છે.
આ રાજ્યોમાં કોરોના મામલા સતત ઓછા થઈ રહ્યા
કેટલાક રાજ્યોમાં કોરોના મામલા સતત ઓછા થઈ રહ્યા છે. કર્ણાટકમાં ગુરુવારે 35, 297 મામલા સામે આવ્યા છે. જ્યારે 5 મેના રોજ આ 50, 112 સુધી પહોંચી ગયા હતા. આ અંતર્ગત દિલ્હીમાં 10, 489, ઉત્તર પ્રદેશમાં 17, 775, છત્તીસગઢમાં 9, 121, મધ્ય પ્રદેશમાં 8419 બિહારમાં 7752 અને તેલંગાનામાં 4693 મામલા નોંધાયા છે.
આ રાજ્યોમાં મોટા ભાગના કેસ
ગુરુવારે તમિલનાડુમાં 30, 621 કેસ, બંગાળમાં 20, 839 કેસ નોંધાયા જે અહીંના સૌથી વધારે કેસ છે. આ રીતે કેરળમાં 39, 955, આંધ્ર પ્રદેશમાં 22, 399, રાજસ્થાનમાં 15, 867, પંજાબમાં 8, 494 કેસ સામે આવ્યા છે.
મહારાષ્ટ્રમાં કોવિડ 19ના 42, 582 નવા મામલા
મહારાષ્ટ્રમાં ગુરુવારે કોવિડના 42,582 નવા મામલા સામે આવ્યા. જ્યારે સંક્રમણના 850 અને લોકોના મોત થયા. રાજ્યના સ્વાસ્થ્ય વિભાગે જણાવ્યુ કે નવા મામલા બાદ સંક્રમિતોની કુલ સંખ્યા 52,69,293 થઈ ગઈ. જ્યારે મૃતકોની સંખ્યા 78, 857 પર પહોંચી. બુધવારે રાજ્યમાં સંક્રમણના 46,781 મામલા સામે આવ્યા હતા. મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય વિભાગે જણાવ્યુ તે બુધવારે આવેલા 46,781 મામલાની સરખામણી ગુરુવારે ઓછા આંકડા આવ્યા હતા.