ભારત સહિત દુનિયાના તમામ દેશમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. કોરોના વાયરસ અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે તમામ પ્રકારના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. ત્યારે બંગાળના રાજધાની કોલકત્તામાં આવેલ એક મીઠાઇની દુકાન હાલ ચર્ચાનો વિષય બની છે. અહીં કોરોના વાયરસ જેવી દેખાતી મીઠાઇ બનાવવામાં આવી છે. જેનું નામ કોરોના સંદેશ આપવામાં આવ્યું છે.
કોલકત્તામાં આવેલ મીઠાઇની દુકાન ચર્ચાનો વિષય બની
કોરોનાના નામની બનાવાઇ મીઠાઇ
આ મીઠાઈ જાદવપુરમાં હિન્દુસ્તાન સ્વીટ્સ શોપ દ્વારા બનાવવામાં આવી છે. બંગાળના જાણીતા સંદેશને કોરોના વાયરસના સ્વરૂપમાં બનાવવામાં આવ્યો છે. કોરોનાના જૈવિક વર્ણનમાં મીઠાઈઓ તૈયાર કરવામાં આવી છે, જેથી લોકોને આ રોગચાળા વિશે જાગૃત કરી શકાય. મીઠાઈઓ વિશે એક સંદેશ લખવામાં આવ્યો છે - 'અમે કોરોનાને ડાયજેસ્ટ કરી શકીએ છીએ.'
કોરોના સ્વીટ બનાવી આપ્યો અનોખો સંદેશ
Crazy people
Some name their new born babies as corona and covid.... some make corona sweets 🤦🤦 pic.twitter.com/HWz4WX16Lh
હિન્દુસ્તાન સ્વીટ શોપના માલિક રવીન્દ્રકુમાર પાલ કહે છે, 'લોકોને આ રોગચાળાથી વાકેફ કરવા માટે અમે એન્ટી-કોરોના સંદેશ બનાવ્યો છે. લોકોએ આ વાયરસથી ગભરાવું જોઈએ નહીં. અમારું સૂત્ર એ છે કે આપણે કોરોનાને પચાવી લઇશું ગભરાયા વગર. રવિન્દ્રકુમાર પાલ કહે છે, 'બેશક આ મુશ્કેલ સમય છે. પરંતુ આપણે ચોક્કસ જીતીશું. હું દરેક ગ્રાહકને આ ડેઝર્ટનો સ્વાદ મફત આપીશ.
મિઠાઇની દુકાન દરરોજ 4 કલાક ખુલ્લી રાખવાના આદેશ
આપને જણાવી દઇએ કે, પશ્ચિમ બંગાળ સરકાર ગયા અઠવાડિયે કહ્યું હતું કે, કોરોના વાયરસના વધતા પ્રભાવને જોતા સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આ દરમિયાન સોશ્યલ ડિસ્ટેસિંગના નિયમનુ પાલન કરતા મિઠાઇની દુકાને માત્ર 4 કલાક ખુલ્લી રહી શકશે.