કોરોનાના વધતા કેરને જોતા કશ્મીરમાં બુધવારથી નાઈટ કર્ફ્યૂ લગાવવામાં આવ્યું છે.
કશ્મીરમાં બુધવારથી નાઈટ કર્ફ્યૂ લગાવવામાં આવ્યું
રાતના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યૂ
પોઝિટિવિટી દરમાં હાલમાં જ 0.2 ટકાની વૃદ્ધિ થઈ
કશ્મીરમાં બુધવારથી નાઈટ કર્ફ્યૂ લગાવવામાં આવ્યું
કોરોનાના વધતા કેરને જોતા કશ્મીરમાં બુધવારથી નાઈટ કર્ફ્યૂ લગાવવામાં આવ્યું છે. જિલ્લાધિકારી અંશુલ ગર્ગે મંગળવારે ચેતવણી આપી છે કે પ્રતિબંધોનો ભંગ કરનારાની સામે કડક પગલા ભરવામાં આવશે.
રાતના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યૂ
ગર્ગે એક ટ્વીટમાં કહ્યું જમ્મુમાં વધતો પોઝિટિવિટી રેટને જોતા ડીડીએમએએ 17 નવેમ્બરે (બુધવાર)થી રાતના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે. તેમણે શહેરમાં રહેનારા લોકોને કોરોના એસઓપીનું પાલન કરવા અને સૂપર્ણ રસી લગાવવાની સલાહ આપી છે.
In view of increasing Positivity Rate in #Jammu, DDMA imposes Night Curfew from 10pm to 6am from 17th Nov (Wednesday) onwards.
All are advised to follow COVID SOPs and get fully vaccinated.@diprjkpic.twitter.com/AYgGhp2EI9
લોકોને નવા વિકાસ અંગે જાગૃત કરવાની જવાબદારી અધિકારીઓને સોંપાઈ
જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જારી એક આદેશમાં કહેવામાં આવ્યું છે કે તમામ સ્ટેશન હાઉસ અધિકારી અને તલાટી એ સુનિશ્ચિત કરે કે લોકોને નવા વિકાસ અંગે જાગૃત કરવા માટે પબ્લિક એટ્રેસ સિસ્ટમ પર જાહેરાત કરવામાં આવે.
પોઝિટિવિટી દરમાં હાલમાં જ 0.2 ટકાની વૃદ્ધિ થઈ
ડીએમે કહ્યું કે જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ (ડીડીએમએ)એ શહેરમાં કોરોનાની સ્થિતિની વિસ્તૃત સમીક્ષા કરી અને નિર્ણય કર્યો કે તાત્કાલિક ઉપયોની જરુર છે. કેમ કે પોઝિટિવિટી દરમાં હાલમાં જ 0.2 ટકાની વૃદ્ધિ થઈ છે.
શું છે કોરોનાની સ્થિતિ
જમ્મુ- કાશ્મીરની કોરોનાની સ્થિતિની વાત કરીએ તો https://www.mohfw.gov.in/ મુજબ હાલ અહીં એક્ટિવ કેસની સંખ્યા 1544 છે. તો સાજા થનારાનો આંક 328433 છે. જ્યારે 4455 લોકોના મોત થયા છે.