કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને કહ્યું હતું કે દેશને આગામી વર્ષની શરૂઆત સુધીમાં એકીસાથે 1 થી વધુ કરોના વેક્સીન મળી શકે છે.
2021ના આરંભમાં મળી શકે છે 1 થી વધુ કોરોના વેક્સિન
કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો હર્ષવર્ષને આપી જાણકારી
અમારા એક્સપર્ટસ વેક્સિન વિતરણની દિશામાં કામ કરી રહ્યા છે: ડો હર્ષવર્ધન
કોરોના મહામારીના પ્રકોપથી રાહત અનુભવી શકાય એવી એક માહિતી કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી દ્વારા આપવામાં આવી હતી, જે મુજબ તેમને કહ્યું હતું કે ભારત ને વર્ષ 2021ના પ્રારંભ સુધીમાં એકથી વધુ કોરોના વેક્સિન મળી શકે છે.
ગ્રુપ ઓફ મિનિસ્ટર્સની બેઠકમાં આપ્યું નિવેદન
ગ્રુપ ઓફ મિનિસ્ટર્સનીની બેઠકમાં આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે અમારા એક્સપર્ટ્સ હાલમાં કોરોના રસી નું વિતરણ દેશમાં કેવી રીતે કરી શકાય તે દિશામાં રણનીતિ તૈયાર કરી રહયા છે, અમે નિશ્ચિત રુપે કોલ્ડ ચેઈન સુવિધાને મજબૂત કરવાની દિશામાં કામ કરી રહયા છીએ. નોંધનીય છે કે હાલમાં ભારતમાં ચાર કોરોના વેક્સિનનું પ્રિ ક્લિનિકલ ટ્રાયલના એડવાન્સ્ડ સ્ટેજમાં પરીક્ષણ ચાલી રહ્યું છે.
ભારતની માંગણીને એક વેક્સિનથી ન સંતોષી શકાય: ડો હર્ષવર્ધન
ડો હર્ષવર્ષન એ આ આગાઉ રવિવારે કહ્યું હતું કે 2021ના પહેલા ક્વાર્ટર સુધીમાં કોરોના વેક્સિન ઉપલબ્ધ થઇ જવાની આશા છે,તેમણે કહ્યું હતું કે ભારત ની વધુ વસ્તીને ધ્યાનમાં લઈને કોઈ એક વેક્સિન કે પછી એક વેક્સિન નિર્માતા સમગ્ર દેશની વેક્સિન ની માંગણીને પૂરી કરવામાં સક્ષમ ન બની શકે, માટે અમે ભારતીય વસ્તીની સ્થિતિ અનુસાર એક થી વધુ કોરોના વેક્સિન ની વ્યવહારુતાનું આકલન કરવા માટે સ્વતંત્ર છીએ.
કોરોનાના સ્ટડીમાં થયા છે નવા દાવા
જો કે કોરોના સાથે જોડાયેલા એક નવા સ્ટડીમાં દાવો કરવામાં આવ્યો છે કે કોઈ પણ વ્યક્તિની ઉમરથી આ નક્કી નથી થઇ શકતું કે કોવિડ 19 ના સંક્ર્મણ માટે કોઈ વ્યક્તિની ઉંમર કેટલી જવાબદાર છે જો કે જે તે વ્યક્તિમાં કોરોનાના લક્ષણોનો વિકાસ, બીમારીની તીવ્રતા અને મૃત્યુ દરનું પ્રમાણ ઉમર પર ઘણું બધું નિર્ભર કરે છે. આ માટે જાપાન, સ્પેન અને ઇટલીના આંકડાઓને આધાર બનાવવામાં આવ્યા હતા.
જો કે એક બીજી સારી ખબર એ છે કે કોરોના સંક્રમિત મહિલાઓ પોતાના નવજાત શિશુઓને સ્તનપાન કરાવડાવી શકે છે, તે માટેનું જોખમ ઘણું ઓછું જ છે.