રાજધાનીમાં સંક્રમણ ભલે વધી રહ્યું હોય પણ અહીં રિકવરી રેટનો દર રાષ્ટ્રિય સ્તર કરતાં પણ વધારે છે. દિલ્હીમાં રિકવરી રેટ 60.3 ટકા છે. જે દેશના કુલ રિકવરી રેટથી પણ વધુ છે. છેલ્લા 10 દિવસમાં લગભગ 29 હજાર દર્દીઓ સાજા થઈને ઘરે પહોચી ચૂક્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના અનુસાર શુક્રવારે દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 4,90, 401 હતી અને જેમાંથી 2,85,637 દર્દીઓ સાજા થયા છે. આ રીતે રાષ્ટ્રિય રિકવરી દર 58.2 ટકા છે. રાજધાનીમાં કુલ સંક્રમિતોની સંખ્યા 73,780 છે અને તેમાંથી 44 765 દર્દી સાજા થયા છે આ રીતે અહીંનો રિકવરી રેટ 60.3 ટકા પહોંચ્યો છે. ગુજરાતમાં રિકવરી રેટ સૌથી વધુ એટલે કે 72.5 ટકા નોંધાયો છે જે દિલ્હીથી પણ વધારે છે.
દિલ્હીમાં રિકવરી રેટ વધ્યો, ગુજરાત સૌથી આગળ
રાષ્ટ્રિય સ્તરથી પણ વધુ રિકવરી રેટ ધરાવે છે દિલ્હી
રાષ્ટ્રિય રિકવરી રેટ 58.2 ટકા તો દિલ્હીનો રિકવરી રેટ 60.3 ટકા
એવું પહેલી વાર બન્યું છે કે સાજા થયેલા દર્દીની સંથ્યા 60 ટકાથી વધારે છે. 10 દિવસ પહેલાં કોરોનાના કુલ 42829 કેસ હતા. તેમાંથી 16427 લોકો સાજા થઈને ઘરે પહોંચ્યા છે. 15 જૂન સુધી 38.30 ટકા લોકો સાજા થયા છે. હવે આ દર 60.3 ટકા થયો છે. સાજા થનારા દર્દીની સંખ્યા છેલ્લા 10 દિવસમાં 22 ટકાથી વધી છે. અન્ય રાજ્યોની સાથે તુલના કરવામાં આવે તો દિલ્હીનો રિકવરી રેટ મહારાષ્ટ્ર અને તમિલનાડુથી વધારે છે અને સૌથી વધુ રિકવરી દર ગુજરાતમાં છે.
दिल्ली में आज कोरोना वायरस से 63 लोगों की मौत हुई और 3,460 नए मामले सामने आए। राजधानी में कोरोना वायरस सक्रिय मामलों की कुल संख्या 77,240 है जिसमें 47,091 ठीक/डिस्चार्ज/विस्थापित मामले, 27,657 सक्रिय मामले और 2,492 मौतें शामिल हैं: दिल्ली सरकार #COVID19pic.twitter.com/P4FX4DxCe5